SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ २६ તેના પરથી નીચે ઉતરીને ઠંડીને કારણે ધ્રુજતો અને શ્રમિત થઈ ગયેલો મંગલકલશ અગ્નિ પાસે પહોંચીને તાપ લે છે. • ત્યાં રહેલા લોકોમાંથી કેટલાક તેની મશ્કરી ઉડાળે છે અને કેટલાક તેને મારે પણ છે. એટલામાં મંત્રીના સ્થાનપાલકે તેને જોયો, સ્થાનપાલકે તેને ત્યાંથી અન્ય સ્થાનમાં લઈ જઈ તાપણું કરાવ્યું, સવાર પડતા ગુપ્ત રીતે મંગલકલશને મંત્રી પાસે લઈ ગયો. • મંત્રીપણ રૂપવાન કુમારને જોઈને આનંદિત થઈ ગયો. મંત્રી તેને પોતાના ઘરે એક સ્થાનમાં ગુપ્ત રીતે રાખીને દરરોજસ્નાનવિલેપન ભોજનાદિથી તેની સાર સંભાળ કરે છે. • એક દિવસ કુમારે મંત્રીને પૂછ્યું–કોઈ ઓળખાણ કે પરિચય વિના મારી આટલી સાર-સંભાળ શા માટે રાખો છો? મને અહીંથી બહાર નીકળવા શા માટે નથી દેતા? અને આ નગરી કઈ છે?” મંત્રીએ નગરીનું નામ જણાવ્યા બાદ ‘તેનું કારણ તને થોડા દિવસ પછી કહીશ.” એવું કહ્યું. • મંગલકલશે થોડા દિવસ પસાર થયા પછી ફરીથી પૂછ્યું ત્યારે મંત્રીએ હકીકત જણાવી કે–“તારે રાજપુત્રી પરણીને મારા પુત્રોને આપવાની છે.” ઉભયલોકવિરુદ્ધ અને ગહણીય આ કાર્ય કરવાનો મંગલકલશે સાફ ઈન્કાર કર્યો. ત્યારે મંત્રીએ તલવાર કાઢી તેને મારવાની ધમકી આપી. છતાં પણ મંગલકલશ નિર્ભયતાથી પોતાના નિર્ણયમાં અડગ છે. મંત્રી ક્રોધમાં આવીને તેને મારવા જાય છે ત્યારે મંત્રીના સેવકો તેને અટકાવે છે અને મંગલકલશને સમજાવે છે. • મંગલકલશ પણ વિચારે છે કે “આવી જ ભવિતવ્યતા હશે, નહી તો ઉજજૈની ક્યાં ? અને મારું અહીં આવવું ક્યાં ? પેલી આકાશવાણી પણ એ રીતે જ થઈ હતી, આથી વાત માની લઉં.” • મંત્રીની વાતનો સ્વીકાર કરતા મંગલકલશ એક શરત કરે છે કે લગ્નમાં ફેરા ફરવાના સમયે રાજા જે આપે તે બધુ મને આપવું અને ઉજજૈનના માર્ગે એ બધું રાખી દેવું.” • તેની શરતનો સ્વીકાર કરીને મંત્રીએ લગ્નની સર્વ તૈયારીઓ કરી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004056
Book TitleMangal Kalash Charitra Sangraha
Original Sutra AuthorN/A
AuthorTirthbhadravijay
PublisherVijay Kanaksuri Prachin Granthmala
Publication Year2013
Total Pages324
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy