SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ * અનંતાનુબંધીચતુનો ઉદય બીજા ગુણઠાણા સુધી જ હોય છે, એટલે તેનું પણ અહીં વર્જન કર્યું. ઉદયસ્વામિત્વ * સમ્યક્ત્વ સાથે કોઈપણ જીવ સ્ત્રી તરીકે ઉત્પન્ન થતો નથી, એવું અમે ઔદારિકમિશ્રકાયયોગમાર્ગણામાં વિસ્તારથી બતાવી ગયા.. એટલે વિગ્રહગતિમાં સમ્યક્ત્વ સાથેની કોઈપણ સ્ત્રી મળતી નથી. તેથી કાર્યણકાયયોગમાં ચોથે ગુણઠાણે સ્ત્રીવેદનો પણ ઉદય ન સંભવે. તે * જે જીવ ક્ષાયોપશમસમ્યક્ત્વ સાથે પરભવમાં ઉત્પન્ન થાય છે, જીવને લઈને અહીં સમ્યક્ત્વમોહનીયનો ઉદય નિર્બાધ ઘટી શકે.. * પૂર્વબદ્ધ નરકાયુષ્યવાળો જે જીવ ક્ષાયિક સમ્યક્ત્વ લઈને નરકગતિમાં ઉત્પન્ન થાય છે, તે જીવને કાર્યણકાયયોગમાં ચોથે ગુણઠાણે નરકગત્યાદિ ત્રણ પ્રકૃતિનો ઉદય પણ સંભવી શકે છે. • હવે સયોગીગુણઠાણે કેવલીસમુદ્દાતાવસ્થામાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે પણ કાર્યણકાયયોગ સંભવે છે, તો ત્યાં કેટલી કર્મપ્રકૃતિનો ઉદય હોય તે જણાવવા કહે છે— तसथिरतिगुच्चतेआइज्जा - थिरवेअदुगणराउगई । वन्नचउपणिदिनिमिण - अगुरुलहु उदये सजोगिम्मि ॥ ४३ ॥ त्रसस्थिरत्रिकोच्चतेज-आदेयाऽस्थिरवेदनीयद्विकनरायुर्गति - । वर्णचतुष्कपञ्चेन्द्रियनिर्माणागुरुलघव उदये सयोगिनि ॥ ४३ ॥ ગાથાર્થ : સયોગીગુણઠાણે ત્રસત્રિક, સ્થિરત્રિક, ઉચ્ચગોત્રદ્વિક, તેજસદ્ધિક, આદેયદ્ધિક, અસ્થિરદ્ધિક, વેદનીયદ્ધિક, મનુષ્યાયુષ્ય-મનુષ્યગતિ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિયજાતિ, નિર્માણ અને અગુરુલઘુ આ ૨૫ પ્રકૃતિઓ ઉદયમાં હોય છે. (૪૩) Jain Education International વિવેચન : (૧૩) સયોગીકેવલીગુણઠાણે ત્રસ, બાદર, પર્યાપ્ત, સ્થિર, શુભ, સુભગ, ઉચ્ચગોત્ર-જિનનામ, તેજસ-કાર્મણ, આદેય-યશ, અસ્થિરઅશુભ, શાતા-અશાતાવેદનીય, મનુષ્યાયુષ્ય-મનુષ્યગતિ, વર્ણચતુષ્ક, પંચેન્દ્રિય, નિર્માણ અને અગુરુલઘુ આ ૨૫ કર્મપ્રકૃતિઓનો ઉદય કહેવો. - For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004045
Book TitleUdayswamitvam
Original Sutra AuthorN/A
AuthorGunratnasuri, Rashmiratnasuri
PublisherJingun Aradhak Trust
Publication Year2013
Total Pages184
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy