SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા જેને સફળતા મેળવવી હોય, તેણે પુરુષાર્થ કરવો જ જોઈએ; કેમ કે જે પુરુષાથી છે, તે જ સફળ બની શકે છે. ભગવાન શાન્તિનાથનું જીવન આ વાતનું જવલંત ઉદાહરણ છે. શ્રીષેણના ભવમાં, ભલે અજાણપણે પણ, એમણે આદરેલે આત્મકલ્યાણ માટે પુરુષાર્થ, એ પછીના દસ ભવમાં ક્રમશ: અંકુરિત, પલવિત અને પુષ્પિત તો બન્યો હતો; હવે એને ફળ બેસવાની વેળા આવી પહોંચી હતી. એમ કહેવાય છે કે, આંબાનું વૃક્ષ વાવનાર ભલે એ વાવે, પણ એનાં ફળ-એની કેરી-તો એનાં છોકરાં જ ચાખી શકવાનાં; એ પોતે નહિ, પણ એ સાથે એ પણ ચેકસ હતું કે, એણે આંબો વાવ્યો હોય તો જ તેનાં છોકરાં કેરી પામી શકે; ન વાવ્યો હોય તો કયાંથી પામે? એમ, શાન્તિનાથના છે, શ્રીણના ભવમાં, કલ્યાણવૃક્ષનું બી વાવ્યું હતું અને તે પછીના ભામાં તેનું સિંચન પણ તેઓ કરતા રહ્યા તે અગિયાર ભોમાં એમને એનું સાચું કે પૂરું ફળ ભલે ન મળ્યું, પણ એ અગિયારેય ભવમાં કરેલા પુરુષાર્થ આ બારમા ભવમાં એ ફળવાનો હતો કે, એ અગિયારે ભમાં પડેલી મહેનતનું પૂરેપૂરું સાટું વળી જવાનું હતું. અત્યાર સુધી આપણે એમના પુરુષાર્થનું બયાન જતાં રહ્યા, હવે આપણે, એમના એ પુરુષાર્થના વળતરરૂપે એમણે જે ફળ મેળવ્યું, તેની સમગ્ર પ્રક્રિયાનાં દર્શન કરવાનાં છે. બીજી કાષ્ઠપટ્ટિકાના અગ્રભાગના ઉત્તરાર્ધથી એ પ્રક્રિયાનું ચિત્રણ પ્રારંભાય છે. આ ચિત્રણ એટલે શાતિનાથના ભવનું ચિત્રણ. શાન્તિનાથ એ એક જૈન તીર્થકર હતા. જૈન ધર્મના પ્રવર્તમાન કાળચક્રના ચોવીશ તીર્થ"કરો પૈકી એમને ક્રમાંક સેળમો હતો, તીર્થકર હોવાની સાથે-સાથે તેઓ બાર ચક્રવતીઓ પૈકી એક ચક્રવતી રાજા પણ હતા. તીર્થકરો અને ચક્રવતીઓ માટે જૈન ધર્મગ્રંથોમાં કેટલાક ખાસ નિયમો વણવાયા છે. તેમાંના, અહી જરૂરી એવા કેટલાક નિયમો આપણે, ટૂંકાણમાં જાણી લઈએ: (૧) તીર્થકરના જીવનની પાંચ મહત્ત્વની ઘટનાઓ પાંચ કલ્યાણક તરીકે ઓળખાય છે. એક, તીર્થકરનો જીવ દેવલોકમાંથી પૃથ્વીલોકમાં માતાની કૂખે ગર્ભરૂપે અવતરે તે અવનકલ્યાણક. ૨. તેમનો જન્મ થાય તે જન્મકલ્યાણક. ૩. દીક્ષા કલ્યાણક. ૪, કેવળજ્ઞાન-કલ્યાણક. ૫. મોક્ષકલ્યાણક, તીર્થકરની આ પાંચેય જીવન-ઘટનાઓ જંતુમાત્રને સુખ અને આનંદ આપનારી હોઈ તે કલ્યાણકર તરીકે ઓળખાય છે. (૨) તીર્થકર (અને ચક્રવતી) ક્ષત્રિય રાજાના કુળમાં જ અવતરે. (૩) જ્યારે તીર્થકર (અને ચક્રવતીને) જીવ, માતાના ઉદરમાં ગભ તરીકે પ્રવેશે, ત્યારે તેમની માતાને ચૌદ વિશિષ્ટ સ્વપ્ન આવે. (૪) તીર્થકરનો જન્મ થતાં જ, છપન દિશાકુમારીઓ (એક પ્રકારની દેવકુમારિકાઓ) દ્વારા સુતિકર્મ સંપન્ન થયા બાદ, દેના ઇન્દ્રો, પરિવાર સાથે, તત્કાળ એ સ્થાને પહોંચી જાય અને નવજાત શિશ-તીર્થકરને મેરુપર્વત ઉપર લઈ જઈ ત્યાં તેમનો મહાન જન્માભિષેક ઊજવે. તીર્થકરને લઈ જનાર મુખ્ય ઇન્દ્ર, પોતાના શરીરનાં પાંચ સ્વરૂપ રચે, અને તીર્થંકરની માતાની સમીપે, તીર્થકરનું પ્રતિબિંબ મૂકીને, પેલાં પાંચેય સ્વરૂપ દ્વારા તીર્થકરને મેરુપર્વત ઉપર લઈ જાય. (૫) જે ચક્રવતી હોય, તેને ચૌદ રત્ન અને નવનિધાનની પ્રાપ્તિ થાય, www.jainelibrary.org For Personal & Private Use Only Jain Education International
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy