SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા કરનાર દુષ્ટ આશાનઘોષ જઈ જઈને કયાં જશે? એ અહીથી બહુ દૂર નથી. આ રીતે રાજાને આશ્વાસન આપી તેઓ તેને ત્યાંથી વૈતાઢય પર્વત પર, અમિતતેજને ત્યાં લઈ ગયા. અમિતતેજે તેને આશ્વસ્ત કરીને વિવિધ વિદ્યાઓ આપવા ઉપરાંત પોતાના પાંચ પુત્રો અને લકર તેને સોંપી દીધાં. એ બધું લઈને શ્રીવિજય ચમચંચા નગરી તરફ ઉપડશે અને અમિતતેજ, પિતાના મોટા પુત્રને લઈને, બીજાની બધી વિદ્યાઓને પરાસ્ત કરનારી મહાજવાલા નામની વિદ્યાની સાધના કરવા હિમાવાન પર્વત પર ગયો, શ્રીવિજયે અશનિષ પાસેથી સુતારાને મેળવવા માટે ઘણા પ્રયત્નો કર્યા, પણ તેમાં નિષ્ફળ જતાં, છેવટે, તેણે યુદ્ધ છેડયું. યુદ્ધમાં શરૂઆતમાં અશનિઘોષના સૈન્યને દેખાવ નબળો રહ્યો, પણ તેથી તે તેને એવી ચાનક ચડી કે ખુદ મેદાનમાં ઊતરી આવ્યો, અને થોડી જ વારમાં તે અને શ્રી વિજય સામસામા આવી ગયા. પૂરી તાકાતથી લડતા શ્રીવિજ્યને તેણે વિદ્યાબળે હંફાવી દીધે, અને શ્રીવિજય પરાસ્ત થવાની અણીએ જ હતો એટલામાં, એકાએક, અમિતતેજ તેની વહારે આવી પહોંચ્યો. આવીને તત્કાળ એણે, પિતે સાધેલી વિદ્યા મહાજ્વાલાનો પ્રયોગ અશનિઘોષ ઉપર કર્યો. એની સામે પોતાની તમામ વિદ્યાઓ નિષ્ફળ જતાં અશનિષ ત્યાંથી નાઠે. આગળ એ ને પાછળ મહાવાલા, અને તેની પાછળ અમિતતેજ, હવે કઈ સ્થાન એવું ન હતું, જે એને આ વિદ્યાની પકડમાંથી બચાવી શકે, છેવટે, નાસતો નાસતો એ એક એવા સ્થાને આવ્યો, જયાં એક પરમતપસ્વી અને ત્યાગી, કેવળજ્ઞાની મુનિ બિરાજતા હતા, આ મુનિ પૂર્વાવસ્થામાં શ્રીવિજયના કાકા અચલ નામના બળદેવ હતા. તેમને જોતાં જ એ દોડ અને એણે મુનિના ચરણોનું શરણ લઈ લીધું. એ જોતાં જ, પાછળ પાછળ જ આવી રહેલા અમિતતેજે મહાજવાલાને પાછી ખેંચી લીધી. સાધુના શરણનો એ પ્રભાવ હતો. એ પછી અમિતતેજ પણ એ મુનિરાજ પાસે જઈને બેઠો અને પછી, થોડી જ વારમાં, શ્રીવિજય વગેરે પણ, વિમાન દ્વારા, ત્યાં આવી પહોંચ્યા અને તેઓ બધા પણ કેવળજ્ઞાની મુનિ પાસે વિનયપૂર્વક બેઠા. થોડીવારમાં જ, તેમણે મોકલેલ પુરુષ-મારીચિ વિદ્યાધર–પણ, અમરચંચાએ જઈને, સુતારા અને તેની સાથે આવવાને ઉસુક એવી અશાનઘોષની માતાની લઈને ત્યાં આવી પહોંચ્યો. એ પર્ષદામાં જ અશનિઘોષની માતાએ સુતારાને શ્રીવિજયને સુપરત કરી દીધી. અને પછી સૌએ મુનિની ધર્મદેશના સાંભળી. છેવટે અશનિઘોષે કહ્યું: “ આ સુતારાને જોતાં જ મને તેના પ્રતિ અગમ્ય આકર્ષણ જાગ્યું ને મેં તેને ઉપાડી. બાકી, મેં તેની સાથે કોઈ જ અણછાજતો વર્તાવ નથી કર્યો. તે મારી માતા પાસે જ રહી છે. આ પછી તેણે મુનિરાજને, સુતારા પ્રત્યે પોતાને થયેલા આકર્ષણનું કારણ પૂછતાં, મુનિરાજે તેને કપિલથી લઈને આજ સુધીના પૂર્વભવે અને સુતારા સાથે તેને પૂર્વસંબંધ કહી સંભળાવ્યો. એ સાંભળીને પ્રતિબંધ પામેલા અશનિઘોષે, શ્રીવિજય વગેરેને ખમાવીને, તેમ જ પિતાનું રાજ્ય વગેરે અમિતેજને ભળાવીને, ત્યાં જ દીક્ષા લઈ લીધી. બીજા બધા સ્વસ્થાને ગયા. પછી તો, કાળક્રમે, અમિતતેજ અને શ્રીવિજય એકવાર મેરુપર્વત પર યાત્રાએ ગયેલા ત્યારે ત્યાં એમણે, વિપુલમતિ અને મહામતિ નામના બે ચારણમુનિઓ [આકાશગામિની આદિ વિદ્યાઓના સાધક મુનિઓ] નાં મુખે ધર્મદેશના સાંભળી, અને પછી, તેમને પોતાના શેષ આયુષ્ય વિશે પૂછ્યું. તે એ મુનિવરેએ કહ્યું: “હવે તમે માત્ર છવીસ દિવસ જ જીવવાના છો. ? આ સાંભળીને તરત જ તેઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy