SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શાન્તિનાથચરિત્ર-ચિત્રપત્રિકા સાધુવેષ તેમણે ક્ષેમંકરમુનિ પાસે દીક્ષા લીધી હોવાનું સૂચક છે. બંનેના હાથમાં લાંબી મુખવશ્વિકા છે, અને બન્નેનાં મ પર પ્રસન્નતા લહેરાય છે. (ચિત્ર-૨૦) એ પછી તરત જ દેખાય છે એક સુંદર વિમાન; બે બાજુ બે મજાના, આછું રૂપકામ કરેલા તંભ, તેના આધારે રહેલી સરસ નકશીદાર છત; તે છતના સામરણસમાં મધ્યભાગ ઉપર ગોઠવાયેલા કળશ; આ બધું ખૂબ મનોરમ છે. આ વિમાનમાં બેઠેલી દેખાતી બે આકૃતિમાં મોટી તે વાયુધની અને નાની તે સહસ્ત્રાયુધની છે. સાધુ-અવસ્થામાં જીવન પૂરું કરીને તે બન્ને દેવ થયા, તે દર્શાવતી આ આકૃતિઓ છે. બન્ને વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો હશે એવું, વશ્વયુધ-દેવની હસ્તમુદ્રા જતાં લાગે છે, આ પછી નજરે પડે છે એક કદાવર પુરુષની સુંદર આકૃતિ; તે છે રાજા ઘરથ, ઊંચા તકિયા જેવા આસન પર તે બેઠા છે. ડાબા પગના ઊચા કરેલા ઢીંચણ અને કમરને વીટી લેતું, લીલી કિનારીઓવાળું અને લાંબા પટ્ટા જેવું લાગતું લાલ વસ્ત્ર બાંધીને અને ઢીંચણ ઉપર ટેકવેલા ડાબા હાથની તજની ઊંચી કરીને બેઠેલા ઘનરથ રાજાની આકૃતિમાંથી ભારે રૂવાબ નીતરી રહ્યો હોય એમ દેખાય છે. તેમની સામે બેઠેલી ચાર આકૃતિઓની ઓળખ ક્રમશ: આ પ્રમાણે છે: ૧, બાળક મેઘરથ, ૨. રાણી પ્રિયમતી, ૩. બાળક દરથ, ૪, રાણી મનોરમા, મેઘરથ અને તેની માતા પ્રિયમતીના મસ્તક ઉપર મુગટ નથી, જ્યારે દરથ અને તેની માતા મનોરમાએ મુગટ પહેરેલાં છે. આપણી ચિત્રકથાને નાયક (Hero) તો મેઘરથ છે, છતાં ચિત્રકારે અહીં, મેઘરથને મુગટ ન પહેરાવતાં દદરથને કેમ પહેરા હશે, અને એમ કરીને અત્યાર સુધીની-કથાના નાયકને જ સર્વત્ર મહત્તા આપવાની–પ્રથાને કેમ ફેરવી હશે, એ એક વિચારણીય મુદ્દો છે. એનો ઉકેલ નથી જડતો. મેઘરથના માથા ઉપરની છતમાં લીલા રંગનો લાંબો ચંદરે છે અને દરથના મસ્તક ઉપરની છતમાં ગળાકાર ચંદરે છે. ઘનરથ આદિ પાંચ આકૃતિઓની પછી તરત જ આવે છે, પેલા, પહેલી કાષ્ઠપદ્રિકાના પૂર્વાર્ધના પ્રારંભમાં (ચિત્ર નં. ૧માં) આવ્યા હતા તેવા, ઊભા કરેલાં બે બેટ જેવા અને કરકતી ધ્વજાઓથી શેભતા સમાપ્તિસૂચક બે સ્તંભ, (ચિત્ર-૨૧) એ પછીનું સમગ્ર દશ્ય ભારે રળિયામણું છે. રાજા મેઘરથ, પિતાના તીર્થકર પિતા ઘનરથની ધર્મસભામાં, ધર્મદેશના સાંભળવા માટે, પોતાના પરિવાર સાથે જઈ રહ્યો છે, તે પ્રસંગનું એ દશ્ય છે. ચિત્રકારે પોતાની તમામ કલાનિપુણતા, પૂરા ઉલ્લાસથી, જાણે આ દશ્ય આલેખવામાં ઠલવી દીધી છે! દશ્યમાં દેખાતી આકૃતિઓનો ક્રમ આ પ્રમાણે છે : બે પદાતિઓ (ઉપર-નીચે), તે પછી એક ઘોડેસવાર, તે પછી એક હાથી ઉપર સવાર થયેલા બે પુરુષો, તે પછી વળી બે પદાતિઓ (ઉપર, નીચે), અને તેની પછી એક ઘોડેસવાર, હાથી ઉપર સવાર થયેલી બે વ્યક્તિઓ તે મેઘરથ અને દઢરથ છે, હાથી અને તેની આગળના –સમવસરણ તરફના-ઘોડાની વચમાં રહેલા બે પદાતિઓ, પાછું વાળીને કાંઈક જોઈ રહ્યા છે. રાજા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy