SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા જૈન ધર્મસંઘમાં અને સમાજમાં ભગવાન શાન્તિનાથનો મહિમા વિશિષ્ટ છે. એમના નામમાં સમાવાયેલો “શાન્તિ ” શબ્દ, એમના જીવનમાં શાન્તિનું કેટલું પ્રભુત્વ હતું અને એમણે સર્વતોમુખી શાન્તિની સ્થાપનામાં અને તેને ટકાવવામાં કે ઉત્કટ પુરુષાર્થ કર્યો હતો, તેનું સૂચન કરે છે. એમના શાન્તિ-સૂચક નામ અને કામમાંથી એક એ ચિરસ્થાયી પ્રભાવ પેદા થયો હતો કે જેની અસર અત્યારે પણ પ્રવર્તે છે. આજે પણ કોઈ પણ પ્રકારની અશાન્તિ પેદા થાય, ખાસ કરીને સાધારણ જનસમાજને અસર કરે તેવા રેગાદિના ઉપદ્રવ ફેલાય, ત્યારે ભગવાન શાન્તિનાથના નામનું સ્મરણ પૂર્વક કરાતા બાહ્યાંતર ઉપચારે, એ તમામ અશાન્તિ અને અશાતિજનક ઉપદ્રવના અમેઘ ઈલાજ બની રહે છે. જેને, કેઈ બીજા કારણસર કે કઈ સિદ્ધિની લાલસાએ, ભગવાન પાર્શ્વનાથનું સ્મરણ ભલે કરે, પણ શાતિની ગરજ પડે ત્યારે તો તેઓ ભગવાન શાન્તિનાથનું જ સ્મરણ કરે છે. શાન્તિનાથ જૈન ધર્મના સોળમા તીર્થંકરરૂપે મહાપુરુષ તો હતા જ. પરંતુ, એમને વિશેષ મહત્તા અપાવનાર અને યુગોના યુગે વીતી જવા છતાં, આજે પણ એમનું સ્મરણ કરવામાં અનુભવાતી કૃતાર્થતા દ્વારા સૂચવાતી એમની પ્રભાવકતાને જીવંત રાખનાર પરિબળ તો એમની વિલક્ષણ એવી પૂર્વની જીવનસાધના જ હતી. અને કદાચ એટલે જ, એમની એ જીવનસાધનાને અને પ્રભાવશીલતાને કેન્દ્રમાં રાખીને, એમનું સમગ્ર જીવનચક્ર, ૬૪૮૨ સે. મી. ની બે કાષ્ઠપટિકાઓમાં, આજથી સાત વર્ષો પૂર્વે , આલેખવામાં આવ્યું હશે. આ બે કાપદિકાઓના, બને તરફ મળીને કુલ ચાર વિભાગમાં, અને તેમાં પણ બન્ને પત્રિકાઓના એકેક વિભાગને બબ્બે પેટા વિભાગોમાં વિભાજિત કર્યા હોઈ કુલ છ વિભાગમાં ચિત્રિત આ જીવનચક્રનું ટૂંકું અવલોકન આપણે કરવાનું છે. ' જૈન સિદ્ધાન્ત મુજબ આત્મા, પરલોક, મેક્ષ વગેરે તત્વોનું અસ્તિત્વ છે. આત્મા કર્મોથી લેપાયેલો હોઈ, અનાદિ કાળથી, જુદા જુદા નામે ને સ્વરૂપે, આ સંસારમાં ભમતો રહે છે. પરંતુ એના ( આત્માના) અસ્તિત્વને સ્વીકાર કહે કે એની ગણતરી કહે, તે તો ત્યારે જ થાય છે, જ્યારે એ જીવાત્મા કઈક અકળ અને છતાં કુદરતી ગણતરીપૂર્વકના પુરુષાર્થ દ્વારા પિતાને વળગેલાં કર્મોના ભારને હળવે કરીને “સમ્યફાવ” એટલે કે “સાચો માર્ગ : મેળવી લે. આજ દિન સુધી એ ખોટે માગે ચઢી ગયો હોઈ એ ( આમા ) કયાં રખડે છે તેનો કોઈ પત્તો ન હતો, પણ હવે તો તે ખરા રસ્તાને વટેમાર્ગ બની ચૂકયો છે, એટલે તેના અસ્તિત્વની નોંધ લીધા વિના ચાલે જ નહિ, એ ઉપરાંત, એ સાચા રસ્તે ચઢી ગયો હોઈ, હવે એ, ટૂંકા ગાળામાં અને આજપર્યંતની અનાદિકાલીન રખડપટ્ટીની સરખામણીમાં તો અતીવ સીમિત સમયગાળામાં, પિતાનું દશેયસ્થાન નકકી કરી લઈ, ત્યાં પહોંચી શકવાને, આ જે સમયગાળો છે–મળેલા સાચા રસ્તાને પસાર કરવા માટેનોતેમાં એ આત્મા દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરક એ નામની ચાર ગતિઓમાંથી ચારેચાર અથવા ઓછી ગતિઓને, કોઈપણ કમે, પિતાની યોગ્યતા પ્રમાણે, પામતો રહે છે. આનું નામ જ “એ જીવાત્માના અમુક સંખ્યાના ભો થવા ' એ છે. દા. ત. ભગવાન ગષભદેવના તેર ભ થયા હતા તે ભગવાન મહાવીરના સત્તાવીશ ભ હતા, મતલબ કે, સાચે રસ્તો મેળવ્યા પછી, એમણે તેર કે સત્તાવીસ જ જિદગીઓ-ભ, સંસારમાં કરવા પડ્યા. એ પૂરા થયા, ત્યારે તેઓ મોક્ષ પામ્યા, અજન્મા બન્યા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy