SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ જૈન શૈલીનું પૃથફ અસ્તિત્વ ભાષાને કે ધર્મસંપ્રદાયન હોય તે પણ, આચાર્ય દ્વારા ને તેમની સૂચનાનુસાર લખાતા ગ્રંથની લિપિનું સ્વરૂપ, જેન ભંડારોમાં સચવાયેલી હાથપોથીઓમાં આજે જોવા મળતી લિપિ પ્રમાણેનું જજૈન લિપિનું જ-રહેતું. અને એ જ રીતે, ચિત્રકાર ગમે તે દેશનો, જ્ઞાતિનો કે ધર્મનો હોય ને તે ગમે તે પ્રકારની ચિત્રશૈલીનો નિષ્ણાત હોય તો પણ જૈન આચાર્યના માર્ગદર્શન હેઠળ તેના દ્વારા થતું જૈન ગ્રંથપથીઓનું ચિત્રકર્મ, “જૈન શૈલીનું જ રહેતું. જેન ગ્રંથન કે જેનાચાર્યો/જૈન દ્વારા લખાયેલા લખાવાયેલા ગ્રંથનો લિપિમરે, એ બીજા કેઈ પણ લિપિમરેડ કરતાં જુદો તરી આવે તેવી વિશેષતાઓ ધરાવનાર તેમ જ સૈકાઓ સુધી પિતાની આગવી છતાં સ્વીકૃત-સ્થાપિત ધોરણ-બંધારણની મર્યાદાને અનુસરતી એકવિધતા/પરિપાટીને જાળવી રાખનારે જેમ જણાઈ આવે છે, ને તેથી જ તે લિપિને “જૈનલિપિ” કહેવામાં આવે છે; તેમ, તાડપત્ર અને કાગળ વગેરેની પિથી વગેરેમાં ઉપલબ્ધ ચિત્રકમ પણ, તે જુદા જુદા સૈકાઓ તથા તબક્કાઓમાં, જુદી જુદી વ્યક્તિઓના હાથે ને જુદી જુદી વ્યક્તિઓના માર્ગદર્શન હેઠળ થયું હોવા છતાં, તેણે પોતાની આગવી લાક્ષણિકતાઓને તથા સ્વીકૃત સ્થાપિત નિયમબદ્ધતાને છોડી નથી, ને તે જ કારણે તે બીજી તમામ ચિત્રશલીઓથી અલગ તરી આવે છે, ને માટે જ તે ચિત્રશૈલીને કેઈ પ્રદેશવિશેષનું નામ આપવાને બદલે “જૈન ચિત્રશૈલી ” નામ આપવામાં વિશેષ ઔચિત્ય જળવાય છે. . વિદ્વાનો સમક્ષ ઊભી થયેલી એક મહત્ત્વની મુશકેલી એ હતી કે જેન દોલી ની રાહ આંખ વગેરે લાક્ષણિકતાઓ ધરાવતાં ચિત્રો તો માળવા તેમ જ લડાખ અને બારમા વગેરે પ્રદેશમાંથી પણ મળી આવ્યાં છે, અને વળી તેનો સંબંધ બૌદ્ધ ધર્મના તથા અન્ય વિષયો સાથે છે, તો પછી આ શૈલીને “જૈન શૈલી કેવી રીતે કહી શકાય? એ ઉપરાંત, ૧૫મા સૈકામાં અને તે પછી આલેખાયેલાં કેટલાંક એવાં ગ્રંથચિત્રો મળી આવ્યાં છે કે જેનો સંબંધ જનેતર ધર્મસંપ્રદાય સાથે હોય અથવા તો તુવિલાસ સાથે હોય; દા. ત. બાલગોપાલસ્તુતિ, રતિરહસ્ય, વસંતવિલાસ, હંસાઉલી કે હંસાવલી વગેરે. આ ચિત્રોની શૈલી “જૈન શૈલીનાં ચિત્રો જેવી છે અને તે ગ્રંથ તો જન ધર્મ સાથે સંબદ્ધ નથી ! આથી, આ શૈલીને “જૈન શૈલી કેવી રીતે કહી શકાય? આનો સીધો જવાબ જો કે આ આપી શકાય. જે આ પ્રકારનાં ચિત્રો અન્ય પ્રદેશમાંથી મળ્યાં હોવાને કારણે જ આ ચિત્રોની શૈલીને “જેન રીલી” નામ ન આપી શકાય, તો આ જ કારણ સર આ શૈલીને ગુજરાત શૈલી , કે પશ્ચિમ ભારતીય શૈલી ” એમાંનું એકેય નામ આપી ન જ શકાય. માળવાની ચિત્રકલાને “ગુજરાત શૈલી શી રીતે કહી શકાય ભલા? અને એ જ રીતે લડાખ તથા બારમામાં ઉપલબ્ધ ચિત્રકલાને પણ “ગુજરાત શૈલી, કે પશ્ચિમ ભારતીય શૈલી તરીકે શી રીતે ઓળખાવી શકાય? આમ છતાં, વિદ્વાનોના પ્રશ્નનું સમાધાન આ રીતે વિચારી શકાય: - (૧) મધ્યકાલના ગુજરાતના સોલંકી રાજાઓએ, ગુજરાત બહારના વિવિધ પ્રદેશ ઉપર પોતાનું સાર્વભૌમત્વ સ્થાપ્યું, ત્યારે અન્ય સાંસ્કૃતિક તત્તની જેમ જ, મૂળ ગુજરાતમાં ઊગમ પામેલી અને Jain Education International For Personal & Private Use Only www.ainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy