SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શાન્તિનાથચરિત્ર-ચિત્રપટ્ટિકા આ રંગને પાતળો થર કરવામાં આવ્યો હતો. આ રંગ ઊડી જાય તે ક્ષણિક હેવાને લીધે ઘણી જગ્યાએ ઝાંખો પડી ગયું છે. વેત રંગ—રસ્વત ચિત્ર-પત્રિકામાં સફેદ રંગનું પૃથકકરણ કરતાં જણાયું કે સફેદ રંગ અ લડવાઈટ (સીસા ધાતુથી બનેલો સફેદો) છે. વેત રંગ એક તે ચિત્ર-પદિકાની કિનારમાં વેત બતકની આકૃતિ નિરૂપવામાં અને બીજું સફેદ વસ્ત્રો તથા પશુના શરીરનો રંગ નિરૂપવામાં પુષ્કળ પ્રમાણમાં પ્રયોજાયો હતો. સફેદ રંગ કવચિત અમુક ખાસ આકૃતિઓના શરીરની ત્વચાનો રંગ નિરૂપવામાં પણ પ્રયોજાય છે. વળી સફેદ રંગ તપુષ્પને હાર નિરૂપવામાં અને બેસવાની સાદડી અથવા ગાલીચે નિરૂપવા માટે પણ પ્રજા હતો. ' બધા જ લેડ પીગમેન્ટમાં લડવાઈટ સૌથી વધુ અગત્યનું છે. તે લડવાઈટ લેડને મૂળભૂત કાર્બોનેટ છે. પહેલાના જમાનામાં પણ વાઈટ લેડ જાણીતો હતો, અને કૃત્રિમ રીતે બનાવેલા રંગમાં તે એક અને પહેલો હતો. તેને બનાવવાની રીત આ પ્રમાણે છે.–મેટાલીક લેડને લગભગ ત્રણ મહિના માટીના ઘડાઓમાં ખુલ્લો મૂકવામાં આવે છે, જે ઘડાઓમાં તળિયે એસીટીક એસીડનું દુર્બળ દ્રાવણ ધરાવતું જુદું ખાનું પણ હોય છે. પછી તે ઘડાઓને બંધ વાતાવરણમાં (એક બંધ રૂમમાં) છાયામાં એક ઉપર બીજા, બીજા ઉપર ત્રીજા, એવી રીતે મૂકવામાં આવે છે. એટલે તેમાં એસીટીક બાક, ગરમી અને કાર્બન ડાયોકસાઈડ, હવામાંનો પ્રાણવાયુ અને પાણીની ભીનાશ–આ બધાની સંયુક્ત ક્રિયા ધીમે ધીમે લેડનું મૂળભૂત લેડ-કાર્બોનેટમાં રૂપાંતર કરે છે. ત્યારબાદ આ બનાવટને ધોયા પછી સૂકાવા દીધા બાદ અને ચાળ્યા પછી, વેજીટેબલ ગામ અર્થાત્ વનસ્પતિમાંથી પ્રાપ્ત ગુંદર જેવા અનુકૂળ રંગ-માધ્યમમાં લસોટવામાં આવે છે. વાઈટલેડ હાનિકારક ઝેરી મિશ્રણ છે, તેથી રંગારાઓ જો તેનો બેકાળજીથી ઉપયોગ કરે તો તેઓ “પ્લમ્બીઝમ” એટલે કે પિટના દુ:ખાવાના રોગથી પીડાય છે. વાઈટ લેડ ખૂબ સુંદર રીતે વિભાજિત દ્રવ્ય છે, છતાં નિશ્ચિતપણે દાણાદાર રસાયણ છે. આ રંગના (વાઈટ લેડના) થર સારા એવા મજબૂત છે. જૂના વાઈટલેડ રંગના થરની પારદર્શકતા પણ સારી એવી ટકાઉ છે. શુદ્ધ લડવાઈટ રંગ જો બહારના ભાગમાં ખુલો રાખવામાં આવે છે તે વાતાવરણની અસરથી ઝાંખે પડી જાય તે હોય છે, પરંતુ તેનામાં તીરાડો નથી પડતી, એટલે ફરીથી તેનાં ઉપર ચિતરી શકાય તેવી સંતોષકારક સપાટી જાળવી રાખે છે. પણ ઘરની અંદરના ભાગમાં ખાસ કરીને અંધારામાં ખુલ્લો રાખવામાં આવે તો તે રંગ (લેડવાઈટ) પીળો પડી જાય છે. એટલું જ નહિ પણ તે બહુ જ ધીમે ધીમે કાળો પડી જાય છે; અર્થાત સલ્ફાઈડ રંગો સાથેના સંપર્કથી અને હવામાંના હાઇડ્રોજન સલ્ફાઈડના સંપર્કથી તેનું (લેડવાઈટનું) કાળા લેડ સફાઈડમાં રૂપાંતર થવા માંડે છે અને પરિણામે તે કાળે પડી જાય છે. તેનાં ઉપર (વાઈટ લેડ ઉપર) જે વાનીશનું પડ લગાવીને તેનું રક્ષણ કરવામાં આવે તો આ પ્રતિક્રિયા અને અસર નહિવત હોય છે. ખરેખર તો વાઈટલેડ ચિત્રોમાં બહુ સામાન્યપણે પ્રયોજાયેલો જોવા મળે છે, જ્યાં તેનું વરમીલીયન લાલ રંગ અને ગળી રંગ (અલદ્રામેરીન) સાથે મિશ્રણ કરવામાં આવે છે. ગુજરાત અને રાજસ્થાનને અરવલ્લી પર્વ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy