SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ શાંતિનાથચરિત્ર–ચિત્રપટ્ટિકા ૭૫ કે કલા-ઇતિહાસવિદ્યા તા કલાકારો અને કલા-સંપ્રદાયાના આંતર્–સમધાનુ વર્ણન કરવા માટે મુખ્યત્વે તા તેઓની શૈલી ( કલારશૈલી ) ઉપર જ આધાર રાખવા ટેવાયેલા છે, છતાં આ કામને કલાકારની વસ્તુસામગ્રીની દૃષ્ટિએ પણ જોવું જોઈએ. ખરેખર તેા ચિત્રકારની કાર્યક્ષમતા, સ્પષ્ટ માહ્યરેખાઓ વડે તથા રંગાના ચાગ્ય ઉપયોગ વડે વિવિધ રસ અને જુદા જુદા ભાવના સફળતાપૂર્વકના નિરૂપણમાં રહેલી છે. પૃથક્કરણના પરિણામા ઃ - જેમ અન્ય ચિત્ર-પટ્ટિકામાં મિશ્રર ંગાની સૂક્ષ્મતાએ ખૂબ દર્શાવાઈ છે, તેવુ અહિં નથી; અર્થાત્ પ્રસ્તુત ચિતરેલી કાષ્ઠપટ્ટિકામાં મિશ્રરંગાની સૂક્ષ્મતાએમાં આછે. રસ દર્શાવ્યા છે. તદ્દન સામાન્ય જોનારને પણ આ પફ્રિકાના લઘુચિત્રોમાં ધેરા પાદક લાલરંગના ચળકતા પાતળા થર અને ચળકતા પીળા રંગ, એ બન્ને ખૂબ અસાધારણ અને વિલક્ષણ લાગે છે. ભૂમિકા તૈયાર કરવી — આ ચીતરેલી કાપટ્ટિકા ઉપર ભૂમિકા તરીકે વપરાયેલ પદા' તકનીકી દૃષ્ટિએ તપાસવામાં આભ્યા હતા. તે ઉપરથી એવું જાણવા મળ્યુ કે પાલીશ કરેલી સપાટીવાળી ટીકવુડની તકતી ઉપર લેડવાઈટ ( સીધા ધાતુથી બનેલા સફેદા )ના એકસરખા પાતળા થર કરીને ભૂમિકા તૈયાર કરવામાં આવી હતી. ચિત્ર-હસ્તપ્રતાના આચ્છાદન તરીકે વપરાતી સુંદર રીતે ચિતરેલી લાકડાની તકતી અથવા પટ્ટી બનાવવા માટે બીજા લાકડા કરતાં માટેભાગે તા ટીકવુડ જ પસંદ કરવામાં આવતું. ભૂમિકા તૈયાર કરવામાં વપરાયેલ પદાર્થ લેડવા રસપ્રદ છે. વેજીટેખલ ગમ અર્થાત્ વનસ્પતિમાંથી પ્રાપ્ત કરેલા ગુંદરનેા, રંગ મેળવણીના માધ્યમ તરીકે ઉપયોગ કરીને લેહવાઈટ બનાવવામાં આવતા. સીમારેખા અથવા ચિત્રની બાહ્યરેખા તૈયાર કરવી :— ચિત્ર બનાવવા માટેની ભૂમિકા તૈયાર થઈ જાય કે તરત જ કલાકાર અમુક પસંદ કરેલા વિષયવસ્તુ ઉપર આધારિત દાની બાહ્યરેખાઓ દરે છે. પહેલાં ધાર અથવા કિનારીની રેખાઓ નક્કી કરવામાં આવે છે અને ત્યારપછી રંગા પૂરતા પહેલાં રેખા ચિતાનું કામ પૂરૂ કરવામાં આવે છે. તૈયાર કરેલી ભૂમિકા ઉપર પ્રારંભના રેખાચિત્રા બનાવવા માટે વપરાતી અણીદાર શલાકા ( વર્તિકા ) વડે ચિત્રમાં નિરૂપણ કરવાના દાની માહ્યરેખા ઢારવામાં આવી છે. પ્રારંભના રેખાચિત્રા ઢારવાની જે કુશળતા હોય છે તે ચિત્ર મનાવવા માટેની અગ્રિમ આવશ્યકતા છે, રેખાચિત્ર ઢારવા માટેની શલાકા માટીના ર્ગામાંથી બનાવવામાં આવે છે અને તે પેન્સીલ જેવી અણીદાર હાય છે. રંગા પ્રયાજવાની પદ્ધતિ :— સીમારેખા ઢાર્યા પછી કલાકારની રંગ યોજનાના ખ્યાલ પ્રમાણે રંગા પ્રયાજવામાં આવે છે, અહિં એ નોંધવું જરૂરી છે કે ચિત્ર તૈયાર કરવામાં, આકૃતિની પ્રારંભની સીમારેખાએ ડાર્યા પછી ભૂમિકામાં રંગ પૂરવાની પ્રક્રિયા થાય છે. ત્યાöાદ ચિત્રમાં આકૃતિઓને અમુક ચાસ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004028
Book TitleShantinath Charitra Chitra Pattika
Original Sutra AuthorN/A
AuthorSheelchandravijay
PublisherL D Indology Ahmedabad
Publication Year1986
Total Pages132
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy