SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૭૬) ભેજપ્રબંધ ભાષાંતર. પામ્યા. પછી રાજાએ પોતાના હાથવતી કવિને હાથ પકડી પિતાના સિંહાસન પાસે લઈ જઈ તેની ઉપર જ તેને બેસાડ્યા અને પોતે પણ તેની સાથેજ બેઠા. તે વખતે કાલીદાસને રાજાના સિંહાસન ઉપર બેઠેલા જોઈ બાણ કવિ પિતાનો જમણે હાથ ઉચે કરી બોલ્યા કે–“કળાને જાણનાર આ ભેજરાજો ખરેખર રૂદ્ર (મહાદેવ) છે, કે જેણે આ દષાકર કાળીદાસને પણ માન આપવા વડે સર્વ વિબુધોમાં રાજા રૂપ કર્યો.” ત્યારપછી હમેશાં કાળીદાસ કવિ રાજાને અર્ધ સિંહાસનપર બેસતા હતા, તેથી વિદ્વાની સાથે તેને વૈરરૂપી અગ્નિ અધિક પ્રજ્વલિત થશે. કેટલાક બુદ્ધિમાન વિદ્વાનોએ વિચાર કરી ભેજરાજાની તાંબૂલ વહન કરનારી દાસીનું સુવર્ણાદિક વડે સન્માન કર્યું, અને પછી તે પાપીઓએ તેણુને કહ્યું કે “અમારા સર્વેની કીતિને આ કાળીદાસ પિતાની કવિત્વશક્તિથી ગળી ગયું છે, અમારા સવમાં કઈ પણ તેની સાથે કળાની તુલ્યતા ધારણ કરતો નથી, માટે હે પુત્રી! તું એ કેઈ ઉપાય કર કે જેથી રાજા તેને દેશનિકાલ કરે, તેને દેરાપાર કર્યા પછી અમે તને બહુમૂલ્યવાળે મુક્તામણિને હાર આપશું.” તે સાંભળી દાસી બોલી કે - “હું તે મહાકવિને દેશમાંથી કાઢી મૂકાવું, પરંતુ મને હાર આપ્યા પહેલાં તમારું કાર્ય કરીશ નહીં, માટે હારે પ્રથમ આપો.” ત્યારે તેઓએ તેને હાર આ છે. પછી તે પંડિતો પિતાને ઘેર ગયા. પછી દાસી બુદ્ધિને કાંઈ પણ અસાધ્ય નથી” એમ વિચારી અવસરે રાજા પાસે ગઈ તે દૈવયોગે રાજા એકલા જ સુતા હતા. તેમના પગ ચાંપવા વિગેરે સેવા કરી કપટ કરીને દાસી નેત્ર મીંચીને ત્યાંજ સુઈ ગઈ. ત્યારપછી થોડી વારે રાજા જાગ્યા, તે વખતે રાજા જાગ્યા છે એમ બરાબર જાણીને ઉંઘમાં બેલતી હોય તેમ તે બોલી કે-“હે સખી! મદનમાલિની! તે દુરાત્મા કાળીદાસ દાસીને વેષે અંત:પુરમાં આવી લીલાવતી દેવી સાથે ક્રીડા કરે છે.” તે સાંભળી રાજા જાણે સંભ્રમ પામ્યા હોય તેમ એકદમ બોલ્યા કે “હે તરંગવતી ! તું જાગે છે ? ” આ પ્રમાણે રાજાએ પૂછયું ત્યારે જાણે કે તે નિદ્રામાં હોય તેમ તેણે સાંભળ્યું પણ નથી એમ જણવવા બોલી નહી. તેથી રાજાએ તે વાણું ઉપરથી વિચાર કર્યો કે-“આ તરંગવતીએ નિદ્રામાં દેવીનું દુચરિત્ર કહ્યું તે ખરૂં જ હશે અને કાળીદાસ સ્ત્રીને વેષ પહેરી અંત:પુરમાં આવ ૧ દોષની ખાણ, પક્ષે ચંદ્ર ૨ દેવમાં, પક્ષે પંડિતમાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003642
Book TitleBhojprabandh Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1924
Total Pages230
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy