SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ अंक १] धर्माभ्युदय महाकाव्य अने महामात्य वस्तुपाल-तेजपाल [ ९१ ૩૪ ૩૫ તે દાનશૂરે શત્રુંજય ઉપર આદિનાથ ભગવાનના મંદિર આગળ ઇંદ્રમંડપ બંધાવ્યો હતો જેની નોંધ આગળ પણ આપી ગયા છીએ. ગ્રંથકાર ફરીથી તેનો ઉલ્લેખ કરતાં તે મંડપની પાસે સ્તંભન પાર્શ્વનાથ અને ગિરનારના નેમિનાથ ભગવાનનાં મંદિરો બંધાવ્યાં હોવાનું જણાવે છે. આ જ હકીકતને ગ્રંથકારે પોતાના મુતાતિજોજિની કાવ્યમાં પણ મુકી છે. મુદ્દતસંીર્તનકાર પણ આ બન્ને ગ્રંથોના ક્શનને પુષ્ટી આપે છે. પવસંત વાસ અને તીર્થક્ષ્વમાં ધર્મસ્થાનો અને દેવમંદિરો બંધાવ્યાના મોઘમ ઉલ્લેખો છે; પણ કયે કયે સ્થળે, કેટલાં મંદિરો, કોનાં કોનાં બંધાવ્યાં હતાં તેની પૃથક્ પૃથક્ વિચારણા કરી નથી. આ ઇંદ્રમંડપમાં જીતીર્તિવહોહિની નામક સંસ્કૃત કાવ્ય વિવિધ વૃત્તોમાં રચાયેલા ૧૭૯ શ્લોકોવાળું શિલોત્કીર્ણ કરવામાં આવ્યું હતું એમ કેટલાક ઉલ્લેખો ઉપરથી જણાય છે. ઉદયપ્રભસૂરિએ પણ આ મહાકાવ્યમાં ઇંદ્રમંડપમાં મુકવામાં આવેલી વસ્તુપાળની યશઃપ્રશસ્તિની પ્રશંસા રજી કરતાં સુંદર શબ્દોમાં તેનો ઉલ્લેખ કર્યો છે.' આ મંદિરમાં વસ્તુપાળે ગુરુ, પૂર્વજ, સંબંધિ, અને મિત્રની મૂર્તિઓ તેમ જ તે બન્ને ભ્રાતૃયુગલની અશ્વારૂઢ પ્રતિમાઓ બનાવી મુકી હતી. સુશ્રૃતીર્તિજ્જોજિનીમાં ફક્ત તેનો ઉલ્લેખ જ છે. જ્યારે સુતસંકીર્તનકાર તે અન્ને ભાઇઓ (વસ્તુપાળ-તેજપાળ)ની તથા વીરધવળની હાથી ઉપર બેઠેલી મૂર્તિઓ મુકી હતી એમ નોંધે છે. અન્નેના કથનમાં વધુ તફાવત નથી ફક્ત તેમાં ઘોડાને ખલે હાથી ઉપર હોવાની જણાવી છે. આ સિવાય વધચંતામળિમાંથી પણ ઈંદ્રમંડપ અને ખીજાં વિવિધ ચૈત્યો બંધાવ્યાની તથા પોતાની અને ગુરુવગરેની મૂર્તિઓ બેસાડ્યાની હકીકત મળી આવે છે. વસ્તુપાળે આ પવિત્ર તીર્થમાં ગિરનારની સાંબાદિકોના જેવી રચના કરાવી હતી. ત્યાં જિનમંદિરો ઉપર કલશો (શિખર કળશો) બેસાર્યાં અને ઉપર્યુક્ત પ્રાસાદો ઉપર સુવર્ણ દંડો (ધ્વજદંડો ) મુકવામાં આવ્યા હતા. આદીશ્વર ભગવાનના મંદિર ઉપર જ્ઞાન, દર્શન, અને ૩૭ ३४ व्यातन्वन्नमरेन्द्र मण्डपमयं श्रीरैवतस्तम्भना लङ्कारप्रभुने मिपार्श्वसहितं तीर्थेऽत्र शत्रुञ्जये । प्राग्वाटान्वयवाद्धिंवर्धन विधुर्धात्रीशमन्त्री शिता श्लाध्यः सङ्घपतिः सतां विजयते श्रीवस्तुपालोऽधुना ॥ १६७ सुकृत कीर्तिकल्लोलिनी ३५ शत्रुञ्जयाद्रिमुकुटस्य पुरो जिनस्य तेनेन्द्र मण्डपमिदं तदकारि किञ्चित् । अप्येकवारमधिगम्यजना यदन्तर्जन्मान्तरेऽपि न भजन्ति कदापि तापम् ॥ १५ सुकृतसंकीर्तन, सर्ग ११ ३९ श्रीवस्तुपालसचिवस्य परे कविन्द्राः कामं यशांसि कवयन्तु वयं तु नैव । येनेन्द्र मण्डपकृतोऽस्य यशः प्रशस्तिरस्त्येव शक्रहदि शैलशिलाविशाले ॥ धर्माभ्युदय महाकाव्य, पंचम सर्गान्ते. ३७ मूर्तित्रयं हरिकरिस्थमपूरि तेजःपालस्य वीरधवलस्य तथात्मनोऽसौ । सन्नद्धमुद्धुरकलिप्रलयाय मूर्तमग्र्यं युगत्रयमिवात्र पवित्रदेशे ॥ १९ सुकृतसंकीर्तन, सर्ग ११ ३८ नन्दीश्वरावतारे प्रासादान् इन्द्रमण्डपं च तन्मध्ये गजाधिरूढश्रीलवणप्रसाद वीरधवलमूर्तिः, तुरङ्गाधिरूढां निजमूर्ति तत्र सप्तपूर्वपुरुषमूर्तीः सप्तगुरुमूर्तीश्च । प्रबन्धचिन्ता० पू. १६३ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy