SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૬] આતીય વિદ્યા [ વર્ષ ૩ દર્શકનું નામ મળતું નથી, પણ જૈન સ્થવિરાવલિ પ્રમાણે અાત શત્રુ પછી ઉદયનઅજ ઉદયી મગધ સામ્રાજ્યનો સ્વામી થયો એમ ઉલ્લેખ છે. જાયસ્વાલ મગધની ગાદીએ દર્શક પછી તેનો ઉત્તરાધિકારી તેનો પુત્ર અજ ઉચી ગાદીએ આવ્યો એમ જણાવે છે. અજ ઉદથી તેના પિતામહ અજાતશત્રુ જેવો પરાક્રમી હનો, એણે બિંબિસારના મગધ સામ્રાજ્યની સીમા વધારવાની જિજ્ઞાસા ઘણી જ હતી. એનો રાજ્યકાલ તેર અથવા સોળ વર્ષનો કહેવાય છે; ઈ.સ.પૂ. ૪૮૩-૪૬૭ ( જાયસ્વાલ પ્રમાણે) બૌદ અને જૈન સાહિત્ય પ્રમાણે અજ ઉદીએ નવું રાજનગર પાટલિપુત્ર (વર્તમાન પટણા) વસાવ્યું. * ઇતિહાસથી ફળે છે કે કેટલાક સૈકા સુધી ભારતવર્ષના અસ્ત અને ઉદયનું કેન્દ્ર પાટલિપુત્ર હતું. ૩૪ ઈસવીસનના ઓગણીસમા સૈકામાં ભારત વર્ષના પ્રાચીન ઇતિહાસના ગર્ભને પ્રકાશ આપનાર કનિંગહામ સાહેબને પટણા નજીકના ખસ્તી ગામમાંથી કેટલીક પ્રતિમાઓ મલી હતી. આ પ્રતિમાઓ યક્ષની હોવાનો નિર્દેશ તેમના ગ્રંથમાં મળે છે. આ પ્રતિમાઓ કલકત્તા મ્યુઝીયમમાં સુરક્ષિત પડી છે. ઈશુની વીસમી સદીમાં જાયસ્વાલે આ પ્રતિમાઓમાંથી એક પ્રતિમાના પ્રતિલેખનું વાંચન કરી તે પ્રતિમા મગધના અજ ઉદયીની હોવાનું જાહેર કર્યું હતું." આ વિષયમાં દરેક ઐતિહાસિક પંડિતોએ, લિપિ અને સ્થાપત્યના નિષ્ણાતોએ પોતપોતાની કળાની મહત્તાનો ભાગ ભજવ્યો છે, અને ઇતિહાસપટ ઉપર આ પ્રતિમા વિશે અનેક લેખોદ્વારા અનેરો પ્રકાશ પાડ્યો છે. પંડિત જાયસ્વાલનો અભિપ્રાય સ્વીકારી લઇએ તો, મગધ સામ્રાજ્યના સમ્રાટ્ની પ્રતિમા–જે સમયે ગુજરાત એવા ભૂમિ પ્રદેશનું નામ નિશાન ન હોવું– એ પ્રદેશના ઇતિહાસના સાધનના આલેખનમાં ગુજરાતના રાજાધિરાજની પ્રથમ પ્રતિમા મલી એમ કહી શકાય. અવન્તિ અને મગધે પોણા સૈકા સુધી શાંતિ ભોગવી. શૂરા અજ ઉચીએ અલન્તિની મહત્તા તોડવા સંકલ્પ કર્યો. અજ ઉદયીનો સમકાલીન ઉજ્જૈનમાં વિશાખ યૂપ શાસન કરતો હતો. મગધરાજ અવન્તિ ઉપર સવારી લઈ ગયો અને વિશાખ યૂપને રણ મેદાનમાં નમાવ્યો. પ્રધાન પ્રમાણે અવન્તિને મગધ સામ્રાજ્યમાં જોડનાર અજ ઉદયીનો ઉત્તરાધિકારી શૈથુનાગ – નન્દિવર્ધન હતો. કલ્કિપુરાણ પ્રમાણે વિશાખ ૩૬ ૩૪ વાયુ પુરાણ પ્રમાણે ઉદ્દયીએ પોતાના રાજ્યના ચોથા વર્ષમાં કુસુમપુર-પાટલિપુત્ર વસાવ્યું. રોય ચૌધરી. હિન્દનો પ્રાચીન ઇતિહાસ પૃ. ૧૩૧ પાછૈટર પૃ. ૬૯. પ્રધાન પૃ. ૨૧૬. રૂપ અસ્તી પ્રતિમા ઉપર મને શો છીષીરો–ભગવાન અજ ક્ષોણ્યધીશ = અજ પૃથ્વીપતિ. અને બીજી પ્રતિમા બેસીવાલીના લેખમાં સ્વપ સ્વરે ટનન્દ્રિ સર્વક્ષેત્રેવર્તનન્તિ સંપૂર્ણ સામ્રાજ્યવાલા વત નન્દિ. જાચરવાલના વાચન ઉપર લિપિ અને પ્રાકૃતના નિષ્ણાતોએ, અને ભાષા ત્રિશારદો અને પ્રતિમાનિરીક્ષકોએ અનેક નિબંધો લખી જુદા જુદા મત પ્રદર્શિત કર્યાં છે. કેટલાક પંડિતો પં. લયસ્વાલના મતને સહમત થયા છે જ્યારે કેટલાકે આ વાંચનમાં મતભેદ જાહેર કર્યો છે. તા. ઈ. ૬. રેખા. ૩૬ રાય ચૌધરી જણાવે છે કે પુરાણો અને સીલોનના ઔદ્ધોના ગ્રંથોના ઉલ્લેખો એકજ નન્દ વંશનું અસ્તિત્વ સ્વીકારે છે. આ ગ્રંથો નન્દિવર્ધનને શૈથુનાગવંશના રાજા તરીકે ઓળખે છે અને તેને નન્દવંશથી તદ્દન જુદોજ હોવાનું જણાવે છે. રા. ચૌ. પૃ. ૧૩૩, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy