SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ અંજ] ગુઝરાતમાં વૈષધતિ ૩૫ર લાયેલી ટીજાને [૨૩ • તેનો આદર્શ (મૂળ પ્રતિ ) મને બતાવો.’ પંડિતે કહ્યું – અન્યત્ર આ ગ્રન્થ નથી, માટે ચાર પ્રહરને માટે જ હું તમને પુસ્તિકા આપીશ.' એમ કહી તેણે પુસ્તિકા આપી. વસ્તુપાળે રાત્રે લેખકોને રોકીને નવી પુસ્તિકા લખાવી લીધી. જીર્ણ દોરી વડે ખાંધી અને વાસના ન્યાસ વડે ધૂસર કરીને મૂકી રાખી, સવારમાં પંડિતને પુસ્તિકા પાછી આપી લ્યો. આ તમારું નૈષધ'. પંડિતે પુસ્તિકા લીધી મન્ત્રીએ કહ્યું –‘અમારા ભંડારમાં પણ આ શાસ્ત્ર છે. એવું અમને સ્મરણ થાય છે, માટે ભંડાર જુઓ,’વિલંખપૂર્વક પેલી નવીન પ્રતિ ખોળી કાઢવામાં આવી અને જુએ છે તો નિષીય ચર્ચ ક્ષિતિરક્ષિળઃ ચાઃ ઈત્યાદિથી શરૂ થતું નૈષધ' નીકળ્યું. આ જોઈને પંડિત હરિહરે કહ્યું – મન્ત્રી, તમારી આ માયા છે, કેમકે આવાં કાર્યોમાં અન્યની મતિ ચાલી શકે નહીં. તમે પ્રતિપક્ષીઓને યોગ્ય રીતે દંડ્યા છે; જૈન, વૈષ્ણવ અને શૈવ શાસનો સ્થાપ્યાં છે; સ્વામીના વંશનો ઉદ્ધાર કર્યાં છે; જેની પ્રજ્ઞા આવી પ્રકાશે છે' (તેને માટે શું આકી રહે ?)’ C આ ઉપરથી જણાય છે કે વસ્તુપાલના સમયમાં હરિહર પંડિત પ્રબન્ધની પહેલી હાથપ્રત ગુજરાતમાં લાવ્યો હતો અને તે ઉપરથી વસ્તુપાલે નકલો કરાવી લીધી હતી. એ કાવ્યનો ત્યાર પછી જ બહોળો પ્રચાર થયો હશે. વસ્તુપાલ – તેજપાલે રાણા વીરધવલના મન્ત્રીપદનો સં. ૧૨૭૬ આસપાસમાં સ્વીકાર કર્યો હતો અને સં, ૧૨૯૫ અથવા ૧૨૯૬માં વસ્તુપાલનું અવસાન થયું હતું, એટલે સં. ૧૨૭૬ અને ૧૨૯૫ વચ્ચેનાં વર્ષોમાં ક્યારેક હરિહર પંડિત ગૂજરાતમાં આવ્યો હશે. એ પહેલાં ‘નૈષધ’ હિન્દનાં ખીજા ભાગોમાં પણ ઝાઝી પ્રસિદ્ધિ નહીં પામ્યું હોય એ ચોક્કસ છે. કેમકે વીરધવલના દરબારમાં અને વસ્તુપાલના આશ્રિત તરીકે હિન્દના જુદા જુદા પ્રદેશોના પંડિતો આવતા હતા, વસ્તુપાલ પોતે તથા પુરોહિત સોમેશ્વર સંસ્કૃત ભાષાના સારા કવિઓ હતા, એ કાળનું ગુજરાત સંસ્કૃત કાવ્યસાહિત્યના અધ્યયનઅધ્યાપન વડે શબ્દાયમાન હતું અને નવા કાવ્યો પણ મોટા પ્રમાણમાં રચાતાં હતાં. સિદ્ધરાજના કાળથી રાજકીય ગ્રન્થભંડારો સ્થાપવામાં આવતા હતા અને વસ્તુપાલે પણ લાખોના ખર્ચે નવા ગ્રન્થભંડારો સ્થાપ્યા હતા. આવી સ્થિતિમાં જે ‘નૈષધ’ જેવું કાવ્ય ઠીક ઠીક પ્રસિદ્ધિ પામ્યું હોત તો તેની પ્રતો ગૂજરાત સુધી અને તેમાંયે વસ્તુપાલ જેવાના ગ્રન્થભંડારમાં આવ્યા સિવાય રહે એ લગભગ અસંભવિત હતું. એટલે હરિહર પંડિતની પ્રત અહીં આવ્યા પછી ‘નૈષધ'નો મહોળો પ્રચાર કરવાનું તથા તે દુર્ગમ કાવ્ય ઉપર ટીકાઓ લખી તેના અધ્યાપનને વેગ આપવાનું માન ગૂજરાતના સાહિત્યરસિકો અને પંડિતોને ઘટે છે. ગુજરાતમાં ‘નૈષધીયચરિત’ની તાડપત્રીય પ્રતો વિક્રમના તેરમા શતકના અંતમાં ‘નૈષધીયચરિત'ની પોથી હરિહર પંડિત ગુજરાતમાં લાવ્યો અને તે ઉપરથી વસ્તુપાલે નકલ કરાવી લીધી ત્યાર બાદ એ કાવ્યની નકલો ગુજરાતમાં મોટા પ્રમાણમાં થઈ હોવી જોઇએ એમ અત્યારે મળતી તાડપત્રીય હાથપ્રતો ઉપરથી જણાય છે. ‘નૈષધ’ની જૂનામાં જૂની હાથપ્રતો ગુજરાતમાં જ મળે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003403
Book TitleBhartiya Vidya Part 03
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherBharatiya Vidya Bhavan
Publication Year
Total Pages408
LanguageHindi, Sanskrit, Gujarati
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy