SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન લૌકિક-લોકોત્તર ધર્મોના મૂળભૂત સિદ્ધાંતોને-તત્ત્વોને-પદાર્થોને-રહસ્યોને સારી રીતે જાણવાં હોય-માણવાં હોયમૂળ સુધી પહોંચી ઉજજાગરિત કરવા હોય તો વ્યાકરણનો અભ્યાસ કરવો-કરાવવો અતિ આવશ્યક કાર્ય બની રહે છે. કારણકે કોઈ પણ શબ્દની સ્પષ્ટ વ્યુત્પત્તિ વ્યાકરણથી જ થઈ શકે છે- કરી શકાય છે, અર્થનો નિર્ણય પણ વ્યાકરણના આધારે થઈ શકે છે. જ્ઞાન પણ વ્યાકરણના અભ્યાસથી જ મૂર્તિમંત બને છે. પ્રકૃતિ અને પ્રત્યયોના વિભાગ દ્વારા પદોનું સ્પષ્ટીકરણ વ્યાકરણથી જ કરી શકાય છે. તેથી પ્રાચીનકાળથી વર્તમાનકાળ સુધીમાં અનેકવિધ મહર્ષિકારો-જૈનાચાર્યોએ સૈકે સૈકે ભિન્ન ભિન્ન વ્યાકરણોની રચના કરી. ભગવાન મહાવીરસ્વામીના સમયમાં ઐન્દ્ર વ્યાકરણની રચના થઈ હતી. ભગવાન મહાવીરસ્વામીના પછીના સમયમાં શબ્દપ્રાભૃત વ્યાકરણની રચના થઈ હતી. વિક્રમની છઠ્ઠી શતાબ્દીમાં જૈનેન્દ્રવ્યાકરણની રચના થઈ હતી. વિક્રમની નવમી શતાબ્દીમાં યાપનીય સંઘના આચાર્ય પાલ્યકીર્તિ-શાકટાયને શબ્દાનુશાસનની રચના કરી હતી. વિ.સં. ૧૦૮૦માં આચાર્ય વર્ધમાનસૂરિ મહારાજના શિષ્ય આચાર્ય બુદ્ધિસાગરસૂરિ મહારાજે પંચગ્રંથી વ્યાકરણની રચના કરી હતી. ત્યારબાદ વિ.સં. ૧૧૯૪માં ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે પંચાંગી સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન નામનાં વ્યાકરણની રચના કરી હતી. ત્યાર પછી પણ મુષ્ટિવ્યાકરણ-દીપકવ્યાકરણ આદિ અનેક વ્યાકરણોની રચના થઈ હતી, તે તમામ વ્યાકરણોમાં કલિકાલસર્વજ્ઞ રચેલું વ્યાકરણ સર્વશ્રેષ્ઠ-સર્વોત્કૃષ્ટ-સર્વમાન્ય બન્યું હતું. મંદબુદ્ધિવાળા વિદ્યાર્થીઓ પણ વ્યાકરણના બોધથી વંચિત ન રહે-વિમુખ ન બને તે માટે મૂળસૂત્રો પર છે હજાર શ્લોક પ્રમાણ સૂત્રાર્થપ્રદર્શિકા લઘુવૃત્તિની રચના કરી. કુશાગ્રબુદ્ધિવાળા વિદ્યાર્થીઓ શબ્દોની સિદ્ધિ સારી રીતે કરી શકે તે માટે અઢાર હજાર શ્લોક પ્રમાણ તત્ત્વપ્રકાશિકા નામની બૃહદવૃત્તિની પણ રચના કરી. તત્ત્વપ્રકાશિકા 'નામની બહવૃત્તિ પર અનેક ન્યાયના સૂત્રોની ચર્ચાથી સભર ૮૪,૦૦૦ શ્લોક પ્રમાણ શબ્દમહાર્ણવન્યાસની પણ રચના કરી. તે દ્વારા પોતાની પહેલાંના વ્યાકરણોમાં રહેલી ત્રુટિઓને દૂર કરી હતી. તથા સંસ્કૃત વ્યાકરણની સાથે પ્રાકૃત-શૌરસેની-માગધી-પિશાચી-ચૂલિકાપિશાચી-અપભ્રંશ વ્યાકરણ લખવાની પ્રથાના આદિ આવિર્ભાવક હેમચન્દ્રાચાર્ય જ હતા. ( શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનવ્યાકરણના મૂળસૂત્રોમાં આવેલા શબ્દો, તથા ઉદાહરણ-પ્રત્યુદાહરણની સાધનિકાઓ કોઈક વ્યાકરણ વિશારદે તૈયાર કરી ઢિકા નામે પ્રસિદ્ધ કરી હતી. તેની એક હસ્તલિખિત પ્રતિ શ્રી હેમચન્દ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર-પાટણનાં જ્ઞાનભંડારમાં રહેલી “સિદ્ધહેમચન્દ્રાનુશાસન બૃહદુવૃત્તિ ઢુંઢિકા પંચાધ્યાયપર્યત” (ચતુષ્ક-આખ્યાતકદુવૃત્તિઢંઢિકા) પત્ર-૩૫૭, ડો. ૯૭, નં. ૨૪00 તથા બીજી હસ્તલિખિત પ્રતિ શ્રીહંસવિજયજી-કાંતિવિજયજી મહારાજ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003294
Book TitleSiddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 04
Original Sutra AuthorN/A
AuthorVimalkirtivijay
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2011
Total Pages408
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy