SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય નિવેદન કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય મહારાજે ગૂર્જરેશ્વર સિદ્ધરાજ જયસિંહની પ્રેરણાથી વિ.સં. ૧૧૯૪ માં સંસ્કૃતભાષાનો બોધ સુગમતાથી થઈ શકે તેવા, સૂત્રપાઠ-ઉણાદિવૃત્તિ - લિંગાનુશાસનાદિ પાંચ અંગવાળું ‘‘સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન’’ નામના વ્યાકરણની રચના કરી હતી. કલિકાલસર્વજ્ઞે રચેલા વ્યાકરણ પૂર્વે સંસ્કૃતભાષાનો બોધ થાય તેવા શુભાશયથી આપિશલિ-કાશ્યપ-ગાર્ય-ગાલવ-ચાક્રવાણી-ભારદ્વાજ-શાકટાયન-પાણિનીય-કાત્યાયનચંદ્રગોમી આદિ અનેક વૈયાકરણીઓએ સ્વ-સ્વસમયે જુદા જુદા નામવાળા વ્યાકરણો રચ્યાં હતાં. તે તમામ વ્યાકરણોની તુલનામાં કલિકાલસર્વજ્ઞે રચેલું વ્યાકરણ મુકુટસમાન શોભતું હતું. કલિકાલસર્વજ્ઞે એકલે હાથે એક જ વર્ષમાં વ્યાકરણના પાંચે અંગોની તથા લઘુવૃત્તિ (૬૦૦૦ શ્લોક) - તત્ત્વપ્રકાશિકા નામની બૃહવૃત્તિ (૧૮૦૦૦ શ્લોક) - શબ્દમહાર્ણવન્યાસ (૮૪૦૦૦ શ્લોક)ની રચના કરી હતી. તે રચનામાં વૃત્તિમાં જણાવેલા અર્થ કઈ રીતે સૂત્રમાંથી નિષ્પન્ન થાય, પૂર્વસૂત્રની અનુવૃત્તિ, અનુવર્તમાનસૂત્રની નિવૃત્તિ, એકવચન-બહુવચનાદિના ફળ, ઉદાહરણ-પ્રત્યુદાહરણગત અભિનવ શબ્દોની સાધનિકા- તેને લગતી ચર્ચા-સમન્વય-અવતરણ-ઉપસંહારાદિનો સમાવેશ કર્યો હતો. V વિ.સં. ૧૭૧૦માં મહોપાધ્યાય વિનયવિજયજી મહારાજે કલિકાલસર્વજ્ઞે રચેલા સૂત્રોને આધારે સાધનિકાના ક્રમ પ્રમાણે સૂત્રોની ગોઠવણી કરી હૈમલઘુપ્રક્રિયા નામે વ્યાકરણની રચના કરી હતી, તે બાળ જીવોને ઉપયોગી બનતી હતી પણ બૌદ્ધિક શક્તિનો વિકાસ થાય તે માટે કલિકાલસર્વજ્ઞે રચેલા સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનનું અધ્યયન કરવુંકરાવવું અત્યુત્તમ છે. કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય મહારાજે રચેલા વ્યાકરણમાં રહેલા ગૂઢતર-ગૂઢતમ રહસ્યો પર ઊંડાણપૂર્વક અભ્યાસ-અવગાહન-અવલોકન કરી કોઈક વ્યાકરણવિશારદે કુંઢિકાની રચના કરી હતી. હૂંઢિકાકારે ઢૂંઢિકાની રચના કરતાં કરતાં વ્યાકરણના સૂત્રોમાં રહેલા મૂળ શબ્દોની તથા સૂત્રોમાં આપેલા ઉદાહરણ-પ્રતિઉદાહરણોમાં કયો ધાતું છે – કેવો છે – કયા કયા અનુબંધો લોપ થયા છે- કયા અર્થમાં કયો પ્રત્યય લાગ્યો છે - કયા પ્રત્યયની પ્રાપ્તિ હતી – પ્રત્યય લાગ્યા પછી ગુણ-વૃદ્ધિ સંબંધી કયા કયા ફેરફારો થયા - કયા ન્યાયસંગ્રહના સૂત્રોથી કયા કયા ફેરફારો થયા - કયો સમાસ થયો – કઈ વિભક્તિ લાગી - કઈ રીતે વિભક્તિનો લોપ થયો વિગેરે અનેક હકીકતો સુંદર શૈલીમાં અતિવિસ્તૃત વર્ણવી છે. સિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વ્યાકરણનું અધ્યયન કરનાર - કરાવનારને શરૂઆતથી જ સરળતા અનુભવાય રૂચિ જાગે - ઉત્સાહ વધે તેવા શુભાશયથી અજ્ઞાતકર્તૃકા હૂંઢિકાનું સંપાદન કર્યું છે. ભોયણી તીર્થમંડન મલ્લિનાથ ભગવાનની પરમ પાવનકારી શીતલછાયામાં સંપાદન કાર્યની શુભ શરૂઆત કરી હતી. સાતે અધ્યાયનું સંપૂર્ણ પ્રેસમેટર તૈયાર કરવામાં લગભગ ત્રણ વર્ષ જેટલો સમય લાગ્યો હતો. સંપાદન કાર્ય કરતાં કરતાં અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા હતા, તે પ્રશ્નોના સમાધાન માટે વ્યાકરણવિશારદ પંડિતવર્ય છબીલદાસ કેશરીચંદ સંઘવીને વિનંતિ કરી હતી પણ તેમનું સ્વાસ્થ્ય સ્વસ્થ-સાનુકૂળ ન હોવાથી તેમણે પંડિત જગદીશભાઈ સી. શાહને ભલામણ કરી, તેમણે તેમની મતિ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.003291
Book TitleSiddha Hemchandra Shabdanushasane Agyat kartuka Dhundika Part 01
Original Sutra AuthorN/A
AuthorVimalkirtivijay
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2008
Total Pages252
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy