SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ લઈ ගගගගගගය ? त्वदीयं तुभ्यं समर्पयामि । જેઓ સંસારીપણે લંડનની ઓકસફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ.ની સમકક્ષ બેંકીંગની પરીક્ષામાં ફર્સ્ટ કલાસ આવેલ હતા. જેઓ ભરયુવાન વયમાં દીક્ષિત બન્યા હતા. જેઓ પ.પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના સાંનિધ્યમાં જીવનભર રહ્યા. તેઓની તનતોડ સેવા કરી. અને તેઓના પરમકૃપાપાત્ર બન્યા હતા. જેઓ વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા વર્ધમાન તપોનિધિ બન્યા હતા. જેઓ ન્યાય દર્શનનો ઊંડો અભ્યાસ કરી ન્યાય વિશારદ બન્યા હતા. જેઓ ન્યાય-વ્યાકરણ કર્મગ્રંથો-યોગગ્રંથો, આગમગ્રંથો, સાહિત્યગ્રંથોના તલસ્પશી અભ્યાસ કરી મહાવિદ્વાન બન્યા હતા. જેઓ ષગ્દર્શનના સાંગોપાંગ ખેડાણથી તર્કસમ્રાટ બન્યા હતા. જેઓ ૪૫ આગમગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા આગમજ્ઞ બન્યા. જેઓ વિદ્વાન-સંયમી-આચાર સંપન્ન એવા ૨૫૦ જેવા શિષ્યોના પરમતારક ગુરુદેવ અને વિજય પ્રેમસૂરિ સમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા. જેઓ બેજોડ વિદ્વાન હોવાથી સાથે પરમગીતાર્થ હતા. જેઓ અનેક અંજનશલાકાઓ, પ્રતિષ્ઠાઓ, છ'રી પાલિત સંઘો, ઉપધાનો, દીક્ષાઓ, ઉજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા પરમ શાસન પ્રભાવક બન્યા હતા. જેઓ શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્યનિતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને લોકહ્દયના આસ્થાકેન્દ્ર બન્યા હતા. જેઓ પૂ. પ્રેમસૂરિ મ.ના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ યુવા શિબિરના આદ્ય પ્રણેતા હતા. કરતી જેઓ પરમાત્માના પરમ ભક્ત હતા. જેઓ કટ્ટર આચાર સંપન્ન હતા. જેઓ નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા. જેઓ ૪૦-૪૦ વર્ષથી ચાલતા દિવ્યદર્શન પાક્ષિકના માધ્યમે શુદ્ધ, સાત્વિક, શાસ્ત્રશુદ્ધ, મોક્ષલક્ષી તાત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના મહા ઉપકારક બન્યા હતા. Jain Education International For Private & Personal Use Only ඝා છ www.jainelibrary.org
SR No.003285
Book TitleKaumudi Mitranand Nataka
Original Sutra AuthorN/A
AuthorRamchandrasuri, Punyavijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2005
Total Pages160
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy