SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્વનિ સાથે તેમની અંતિમ યાત્રા નીકળી હતી. હાથી ઉપર તેમનો ભવ્ય ફોટો તથા પાલખીમાં તેમનો દેહ પધરાવીને અંતિમ યાત્રા ફરતી ફરતી પાલિતાણા શહેરમાં ફરીને છેવટે આદિનાથ મનોહરશ્રી જૈન સોસાયટીમાં આવી અને ત્યાં વિમલગચ્છાધિપતિ પ.પ્રદ્યુમ્નવિમલજી મહારાજના સંપૂર્ણ સહકારથી ત્રિસ્તુતિક તપસ્વિપ્રવરશ્રી રવીન્દ્રવિજયજી મહારાજ (અવધૂત) તરફથી આ કાર્ય નિમિત્તે ભેટ મળેલા વિશાળ પ્લોટમાં મૂળ ઝીંઝુવાડાના વતની ગોકુળ આઇસ્ક્રીમવાળા નવીનભાઈ બાબુલાલ કુબેરદાસ ગાંધીએ મોટી બોલી બોલીને અગ્નિ સંસ્કારની પવિત્ર વિધિ કરી હતી. આ પ્રસંગે જીવદયાની ટીપ આદિ અનેક અનેક ધર્માનુષ્ઠાનો થયાં છે. દેવવંદનમાં ૧0 જેટલાં સાધ્વીજી ભગવંત પધારેલાં હતાં. રાજકોટથી આવેલા શ્રી શશિકાંતભાઈ કીરચંદભાઈ મહેતાએ મારાં માતુશ્રીને સંઘમાતા વિશેષાણથી વિભૂષિત કર્યા હતાં. આ નિમિત્તે સંઘમાતા સાધ્વીજી શ્રી મનોહરશ્રીજી મહારાજના ગુણાનુવાદની સભા પાલિતાણામાં બિરાજમાન સાધુ ભગવંતોએ જંબૂદ્વીપ આરાધના ભવનમાં પોષ સુદિ ૧૪ રવિવારે (તા. ૧૫-૧-૯૫) બપોરે ત્રણ વાગે રાખેલી હતી તથા પોષ વદિ ૧ મંગળવારથી પોષ વદિ ૫ શનિવાર સુધી પંચાહ્નિક શ્રી જિનેન્દ્રભક્તિ મહોત્સવ તેમના શિષ્યા પરિવાર તથા ભક્તપરિવાર તરફથી રાખવામાં આવ્યો હતો. પોષ વદિ ૫ શનિવારે શ્રી સિદ્ધચક મહાપૂજન દાદાના દરબારમાં રાખવામાં આવ્યું હતું તથા દાદાની સુવર્ણથી ભવ્ય અંગ રચના કરવામાં આવી હતી. શ્રી સિદ્ધચક્રપૂજન ભણાવવા રાજકોટવાળા શશિકાંતભાઈ મહેતા આદિ પધાર્યા હતા. હું તો આ માતા-પિતારૂપી પરમાત્મામાં સમાઇ ગયો છું અને એ દ્વારા જ તીર્થકર અરિહંત પરમાત્મામાં સમાઇ જવું એ મારા જીવનનું સંપૂર્ણ ધ્યેય છે. આ ધ્યેયને પૂર્ણ કરવામાં પરમાત્મા મને સંપૂર્ણ સહાય કરે એવી અંત:કરણપૂર્વક શ્રી આદીશ્વરદાદા તથા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનને પ્રાર્થના કરું છું. આ શ્રીસિદ્ધહેમચંદ્રશબ્દાનુશાસનરહસ્યવૃત્તિનું મુદ્રણ થઇ ગયા પછી મારાં પરમાત્મસ્વરૂપ પૂ. માતુશ્રીનો સ્વર્ગવાસ થયો હોવાથી આ શ્રદ્ધાંજલિ અહિં આપી છે. સં. ૨૦૫૧, મહા સુદિ ૧ મંગળવાર તા. ૩૧-૧-૯૫ વીસાનીમા ભવન જૈન ઉપાશ્રય, તળેટી રોડ, પાલિતાણા - ૩૬૪ ૨૩૦ (ગુજરાત રાજ્ય). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002758
Book TitleSiddhhemchandrashabdanushasanam
Original Sutra AuthorN/A
AuthorJambuvijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year
Total Pages198
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Grammar
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy