SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ અવશિષ્ટ સુરપ્રિયની કથા રાજા હરિધામ શ્રીજિનેશ્વ આ પ્રમાણે શ્રીજિનેશ્વરભગવંતની અષ્ટપ્રકારી પૂજાનું ફળ સાંભળી રાજા હરિશ્ચંદ્રે કહ્યું- હે ભગવન્! આ પૂજા અતિ સુખકારી ફળને આપનારી છે તેથી તે વિષે મારે આદર કરવો જોઈએ, કારણ કે હજુ સુધી હું મુનીન્દ્રના ધર્મ અંગીકાર કરવાને અસમર્થ છું.' મુનિ બોલ્યા- હે ભદ્ર ! તારે જિનપૂજામાં નિશ્ચળ ચિત્ત રાખવું. એ જિનપૂજા જ તને મોક્ષફળ આપનારી થશે.” પુનઃ રાજાએ હૃદયમાં સંશય આવવાથી મુનિને નમન કરીને પૂછ્યું કે‘ભગવન્! કર્યું છે પાપ જેણે એવો ગૃહસ્થ પણ શું શુદ્ધિને પામે ?' ભગવંત બોલ્યા–“પાપ કરનાર ગૃહસ્થ પણ જો પાપનો પશ્ચાત્તાપ કરી શરીરમાં તાપ પામે તો તે શુદ્ધ થઈ જાય છે; જેમ સુરપ્રિય નામે પુરુષ પશ્ચાત્તાપ કરવાથી લાભ મેળવવામાં મુનિથી પણ ચડિયાતો થયો હતો. રાજાએ પૂછ્યું કે- હે સ્વામી ! તે સુરપ્રિય પુરુષ કોણ હતો ? અને તેણે કયા પ્રકારે ઉત્તમ શુદ્ધિ પ્રાપ્ત કરી હતી ? તે કહો. તે સાંભળવાનું મને અતિ કૌતુક છે.” મુનીશ્વર બોલ્યા–“રાજેન્દ્ર ! તે સુરપ્રિયે જેવી રીતે સંપત્તિ પ્રાપ્ત કરી અને જે રીતે તે સિદ્ધિપદને પામ્યો તેનું ચમત્કારી ચરિત્ર હું કહું છું તે સાંભળો– આ ભરતખંડમાં દેવનગર જેવું સુસૌમ્ય નામે નગર છે. તેમાં પોતાના બંધવરૂપ કુમુદમાં ચંદ્ર જેવો ચંદ્ર નામે રાજા હતો. તે રાજાને ગુણના સમૂહરૂપ આભરણથી જેનું શરીર વિભૂષિત છે એવી ગુણતારા નામે પ્રિયા હતી. ઉન્નત અને પ્રવર સ્તનવડે રમણીય એવી તે બાળા જાણે કામદેવની પુત્રી હોય તેવી દેખાતી હતી. તેની સાતે વિષયસુખમાં આસક્ત મનવાળો રાજા ઇંદ્રાણી સહિત ઇંદ્રની જેમ નિર્ગમન થતા કાળને પણ જાણતો નહોતો. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy