SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ કલશપૂજાવિષે વિપ્રસુતાની કથા ૧૮૩ મસ્તક ધુણાવીને ચિંતવ્યું કે “અહો ! આ સંસારમાં કર્મનો પરિણામ મહા વિષમ છે !' પછી તે દુ:ખી સ્ત્રીએ પણ રુદન કરતાં કરતાં ગદ્ગદ્ સ્વરે કહ્યું કે હે ભગવન્! મેં પૂર્વભવમાં જે પાપકર્મ બાંધ્યું હોય તે કહો.” મુનીશ્વર બોલ્યા–“ભદ્ર ! સાંભળ. પૂર્વ ભવમાં તે ભગવંત તરફ દર્શાવેલા શ્રેષથી અશુભ કર્મ બાંધેલું છે. તે પૂર્વે બ્રહ્મપુરમાં સોમા નામે બ્રાહ્મણી હતી. તે ભવમાં સોમશ્રી નામની તારી પુત્રવધુએ જિનેશ્વરભગવંતની પાસે જળપૂર્ણ કળશ ચડાવ્યો હતો. તેથી તે કોપ કરી પુત્રવધુને કહ્યું હતું કે “તેં જિનેશ્વર ભગવંત પાસે જળકળશ શા માટે ચડાવ્યો ?' તારા એ વચનથી તને આવા દારુણ દુઃખની પ્રાપ્તિ થઈ છે.” મુનિનાં આવાં વચન સાંભળીને તે પશ્ચાત્તાપ કરતી બોલી કે–“હે ભગવન્! એ ઘોર કર્મ શું હજુ પણ મારે ભોગવવાનું બાકી છે ?' મુનિ બોલ્યા–“પૂર્વભવમાં પાછળથી તેં પશ્ચાત્તાપ ઘણો કર્યો હતો, તેથી તે એક જ ભવમાં તેમનું ઘણું કર્મ ખપાવી દીધું છે. જેમ મૃગાવતીએ પોતાની ગુરુણીને ખમાવતાં ઘણાં કર્મ ખપાવ્યાં હતાં તેમ જીવ શુદ્ધભાવે પશ્ચાત્તાપ કરવાથી પોતાનાં ઘણાં કર્મો ખપાવે છે. પછી તેણીએ ફરી ગુરુને પૂછ્યું કે “હે ભગવન્! તે સોમશ્રી મૃત્યુ પામીને હાલ ક્યાં ઉત્પન્ન થયેલ છે? અને તે કઈ ગતિને પામશે? તે જ્ઞાનવડે જોઈને કહો.” મુનિ બોલ્યા- તે સોમશ્રી મરણ પામીને આ શ્રીધર રાજાની કુંભશ્રી નામે પુત્રી થઈ છે અને તે અહીં તેના પિતાની ને તારી પાસે જ બેઠી છે. તે આ ભવમાં ઇચ્છિત સંપત્તિને ભોગવે છે અને આગામી ભવમાં દેવ તથા મનુષ્ય સંબંધી સુખ ભોગવીને અનુક્રમે પાંચમે ભવે જિનેશ્વરભગવંતની જળપૂજા કર્યાના પ્રભાવથી મોક્ષસુખને પામશે.” ગુરુમહારાજનાં આ પ્રમાણેનાં વચનો સાંભળીને જેના શરીરમાં ભરપૂર હર્ષ થયો છે એથી કુંભશ્રીએ દૂરથી ઊઠીને ગુરુના ચરણ કમળમાં આવી નમસ્કાર કર્યો. પછી પૂછ્યું કે “હે ભગવન્! જેણે પૂર્વે કુંભ આપવા વડે મારી ઉપર મહા ઉપકાર કરેલો છે તે કુંભકાર હાલ ક્યાં છે?” મુનિ બોલ્યા “હે ભદ્રે ! તે કુંભકાર જિનપૂજાની અનુમોદનાના પ્રભાવથી મૃત્યુ પામીને આ તારો પિતા રાજા થયેલ છે. આ પ્રમાણે પોતાના પૂર્વ ભવનું સ્વરૂપ સાંભળીને રાજા પણ સંતુષ્ટ થયો, અને પૃથ્વી પર મસ્તક મૂકીને મુનિને વારંવાર નમવા લાગ્યા. પછી ત્રણેને ઉહાપોહ કરતાં પૂર્વ જન્મના સંબંધને બતાવનારું જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. એટલે તેઓ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy