SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ફળપૂજાવિષે દુર્ગતાસ્ત્રી-કરયુગલની કથા જે પ્રાણી ભક્તિથી શ્રીજિનેન્દ્રપ્રભુની પાસે ઉત્તમ વૃક્ષનાં શ્રેષ્ઠ ફળ અર્પણ કરે છે તેનાં સર્વ મનોરથ જન્માંતરમાં પણ સફળ થાય છે. ઉત્કૃષ્ટ સમૃદ્ધિ સંયુક્ત જિનવરની પૂજાનું ફળ જેમ કીરયુગળ અને દરિદ્ર સ્ત્રી પામી તેમ અન્ય પ્રાણી પણ પામે છે. કથારંભ પૃથ્વીરૂપી સ્ત્રીના આભૂષણરૂપ દેવનગરીના જેવી કંચનપુરી નામે નગરી છે. તે નગરીની બહાર અરનાથ પ્રભુના જિનમંદિરના દ્વારની આગળ એક આમ્રવૃક્ષની ઉપર નીલકમળના પત્ર જેવું અને પ્રકૃતિએ ભદ્રિક એક શુકપક્ષીનું જોવું રહેતું હતું. અન્યદા તે જિનેન્દ્રના મંદિરમાં મહોત્સવ ચાલતો હતો; તે પ્રસંગે તે નગરનો રાજા નરસુંદર નગરજનોની સાથે ત્યાં આવ્યો અને ભક્તિથી સુંદર ફળ વડે તેણે પ્રભુની પૂજા કરી. રાજાની સાથે તે નગરમાં રહેનારી કોઈ એક દરિદ્રી સ્ત્રી પણ ત્યાં આવી હતી કે જે પ્રભુની પૂજા માટે એક ફળ લેવાને અસમર્થ અને અત્યંત દુઃખી સ્થિતિવાળી હતી. બીજા લોકોને પ્રભુ સમીપે ફળ અર્પણ કરી જોઈ તે સ્ત્રીએ હૃદયમાં દુઃખિત થઈને ચિંતવ્યું કે “જે પ્રાણી પ્રતિદિવસ પ્રભુની પાસે ઉત્તમ ફળ અર્પણ કરે છે તેને ધન્ય છે, હું અભાગિણી એક પણ ઉત્તમ ફળ અર્પણ કરવાને સમર્થ નથી.' તે સ્ત્રી એ પ્રમાણે ચિંતવે છે તેવામાં તે જિનમંદિર પાસેના આમ્રવૃક્ષ પર રહેલું તે વૃક્ષના ફળને ભક્ષણ કરતું પેલું શુકપક્ષીનું જોડું તેની દૃષ્ટિએ પડ્યું; એટલે તે સ્ત્રીએ શુક પક્ષીને કહ્યું–‘રે ભદ્ર ! તું એક આમ્રફળ મારે માટે નાંખ.” Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy