SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર હતો? તે બધી વાત કહે મને તું સાંભળવાનું મોટું કૌતુક છે.” સુડી બોલી– “સ્વામી ! તમને મેં જોયા હતા તે વિષેની હકીકત વિસ્તારથી કહું છું તે સાંભળો-આ તમારા રાજયમાં પૂર્વે એક પરિવ્રાજકા રહેતી હતી તે ઘણાં કૂડકપટથી ભરેલી હતી, અને મિથ્યાત્વી રૂદ્રદેવોની ભક્ત હતી. તમારી રાણી શ્રીદેવીએ બહુ વખત સુધી તેની ઉપાસના કરી હતી. અન્યદા તેની સેવા વડે પ્રસન્ન થવાથી શ્રીદેવીને તેણે પોતાની ઇચ્છા જણાવવા કહ્યું, એટલે શ્રીદેવી બોલી કે- “મારો સ્વામી રાજા ઘણી સ્ત્રીવાળો છે, હું તેની રાણી છું; પરંતુ દૈવયોગે સર્વમાં દુર્ભગા થયેલી છું. માટે હે ભગવતી ! મારી ઉપર પ્રસન્ન થઈને એવું કરી આપો કે હું તેને વલ્લભ થાઉં અને મારો સ્વામી મારે એવો વશ થાય કે તે મારા જીવિતવડે જીવે અને મારા મૃત્યુથી મૃત્યુ પામે.” આ પ્રમાણે તેણીની પ્રાર્થના સાંભળીને પરિવ્રાજિકા બોલી “વત્સ ! તું આ ઔષધિનું વલય છે. તે તારા પતિને હાથે બાંધજે, જેથી તારો પતિ તારે વશ થશે.” શ્રીદેવી બોલી– ભગવતી ! રાજાના મહેલમાં મારાથી પ્રવેશ પણ કરી શકાતો નથી તો તેનું દર્શન પણ મને ક્યાંથી થાય ? અને રાજાને હાથે ઔષધિનું વલય તો શી રીતે જ બંધાય? પરિવ્રાજિકા બોલી– ભદ્ર ! જો એમ છે તો હું સૌભાગ્યને ઉત્પન્ન કરનારો એક મંત્ર તને આપું તે ગ્રહણ કર અને એકાગ્ર મને તે સાધ.” શ્રીદેવીએ તે કબૂલ કર્યું. પછી શુભ મુહૂર્ત પરિવ્રાજિકાએ તેને તે મંત્ર આપ્યો, શ્રીદેવીએ તેની પૂજા કરીને વિધિપૂર્વક ગ્રહણ કર્યો. ત્યારપછી શ્રીદેવી પ્રતિદિવસ પ્રયત્નવડે તે મંત્રનું ધ્યાન કરવા લાગી. એટલે એક દિવસ એકાએક રાજાએ એક પ્રતિહારીને તેની પાસે મોકલી. તેણે આવીને કહ્યું કે “હે દેવી ! મહારાજા આજ્ઞા કરે છે કે આજે . તમારે અવશ્ય રાજભુવનમાં આવવું, અને તે સંબંધી કાંઈ પણ કુવિકલ્પ કરવો નહીં.' રાજાની આજ્ઞા મળવાથી શ્રીદેવી રાત્રે શૃંગાર ધારણ કરી કેટલાક પરિવાર સહિત હાથણી ઉપર બેસીને રાજભુવનમાં આવી. રાજાએ તેનું સન્માન કર્યું, અને બધી રાણીઓમાં તેને શ્રેષ્ઠ પદ આપ્યું, એટલે તે બીજી રાણીઓને દૌર્ભાગ્ય અર્પણ કરી પોતે સૌભાગ્ય ગ્રહણ કરીને મહાદેવી થઈ પડી. ત્યારથી તે ઇચ્છિત સુખને ભોગવવા લાગી. વળી તે જેની ઉપર સંતુષ્ટ થતી તેને ઇચ્છિત દાન આપતી હતી અને જેની ઉપર રુષ્ટમાન થતી તેનો તે નિગ્રહ કરતી હતી. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy