SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર વિસ્તારથી વિસ્મય પામેલા રાજાએ તેઓને પૂછ્યું કે “દેવતાઓને પણ દુર્લભ એવો સુગંધી ધૂપ તમને ક્યાંથી પ્રાપ્ત થયો છે કે જે ધૂપના ગંધથી તમારા વસ્ત્રો પણ સુગંધમય થઈ ગયાં હોય તેમ લાગે છે.’ લોકોએ કહ્યું – “હે સ્વામી ! અમારાં વસ્ત્રો કાંઈ ધૂપથી ધૂપિત કરેલાં નથી પણ માત્ર ધૂપસારના દેહથી અમે તેવા ધૂપિત થઈ ગયા છીએ.” આ પ્રમાણેની વાત સાંભળીને રાજાની રાણીઓ પણ પોતાનાં વસ્ત્ર ધૂપસારના દેહથી સુગંધી કરાવવા પ્રવર્તી રાજાને ધૂપસારની ઈર્ષ્યા થઈ આવી, એટલે તેને રાજસભામાં બોલાવીને પૂછ્યું કે : “કેવી જાતના ધૂપથી આવો ગંધ તારા શરીરમાંથી ઉછળે છે.” ગંધસારે કહ્યું છે સ્વામી ! આ કોઈ પણ જાતના ધૂપની સુગંધ નથી પણ મારા શરીરમાંથી જ આવી સ્વાભાવિક સુગંધ નીકળે છે. તે સાંભળી રાજાએ રષ્ટમાન થઈને પોતાના પુરુષોને આજ્ઞા કરી કે “આ ગંધસારના શરીર ઉપર અશુચિ ચોપડીને નગરના મધ્યમાં ઊભો રાખો કે જેથી તેના દેહમાંથી બધી સુગંધ નાશ પામે.” રાજાની આવી આજ્ઞા થતાં રાજપુરુષોએ તરતજ તે પ્રમાણે કર્યું. હવે પેલો યક્ષ તથા યક્ષિણી છે કે વિનયંધર ઉપર પ્રસન્ન થયા હતા તે ત્યાંથી ચ્યવી મનુષ્યજન્મ પામી જૈનધર્મ પાળીને પાછા તે બન્ને દેવલોકમાં ઉત્પન્ન થયા હતા. તે બન્ને દેવતાઓએ કોઈ કેવળીભગવંત પાસે જતાં માર્ગમાં ધૂપસારને અત્યંત અશુદ્ધિથી લીધેલો જોયો; એટલે અવધિજ્ઞાન વડે તેને ઓળખીને પૂર્વભવના સ્નેહથી તેમણે તેની ઉપર સુગંધી જળ અને પુષ્પની વૃષ્ટિ કરી; તેથી ધૂપસારના શરીરમાંથી દશે દિશાઓના ભાગને સુગંધી કરતી અને સર્વ લોકોને આનંદ આપતી સુગંધ વિશેષ પ્રકારે ઉછળવા લાગી. આ વૃત્તાંત જાણીને ભય પામેલો રાજા તેની પાસે આવ્યો અને પગે પડીને પોતાનો અપરાધ ખમાવવા લાગ્યો. રાજાએ કહ્યું- “હે યશસ્વી ! મેં તમારા ઉપર જે દુશરિત કર્યું તે સર્વ ક્ષમા કરો.” ગંધસાર બોલ્યો- “હે રાજેન્દ્ર ! તેમાં આપનો અલ્પ પણ દોષ નથી. સર્વ પ્રાણી પોતે પૂર્વે કરેલાં શુભાશુભ કર્મને જ અનુભવે છે.' ધૂપસારના આવા અસદશ ચરિત્રથી રાજા હૃદયમાં બહુ વિસ્મય પામ્યો. તેણે ચિંતવ્યું કે “આ વિષે કેવળીભગવંત પાસે જઈને પૂછી જોઉં.” પછી રાજા પોતાના પરિજનવર્ગ સહિત અને ધૂપસાર પોતાના કુટુંબી સહિત કેવળીની પાસે આવ્યા; અને કેવળીને પ્રણામ કરી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy