SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ શ્રીવિજયચંદ્રકેવળીચરિત્ર આક્રંદ કરવા લાગ્યા. પછી રાજાના અંગ ઉપર ચંદનજળનું સિંચન કરવાથી તે સચેત થયો એટલે તેણે સર્પના વિષને નાશ કરવા માટે અનેક વૈદ્યોને બોલાવ્યા; પરંતુ તેઓએ પણ પોતાના ઉપાય કામ ન લાગવાથી હાથ ખંખેર્યા, એટલે રાજા નિશ્ચષ્ટ થયેલી કન્યાને મૃત્યુ પામેલી જાણીને વાંજિત્રોના નાદ સાથે સ્મશાનમાં લઈ ગયો. ત્યાં ચંદનના કાષ્ઠોની ચિતા રચીને તેની ઉપર રાજકન્યાને સુવાડી, અને અગ્નિ પણ મૂકવા માટે પાસે લાવ્યા, તેવામાં પેલો વિનયંધર કોઈ ગામ જઈને પાછો આવતાં; તે માર્ગે નીકળ્યો ત્યાં તેણે રાજાને અને લોકોને સ્મશાનમાં રુદન કરતાં જોયાં. તે જોઈ કોઈ પુરુષને તેણે પૂછયું કે આ રાજા અને લોકો કેમ રુવે છે ?' એટલે તે પુરુષે રાજકન્યા સંબંધી બધો વૃત્તાંત તેની આગળ જણાવ્યો. તે સાંભળી વિનયંધરે તેને કહ્યું કે “જા, તારા રાજાને જઈને કહે કે “કોઈ પુરુષ કહે છે કે “હું રાજકન્યાને જીવિત આપું.” તે વચન સાંભળી હૃદયમાં હર્ષ પામેલા રાજાએ તરત જ તેને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે જો તું એને જીવિત આપે તો હું તને એ કન્યા અને અર્ધ રાજ્ય આપું; વળી વિશેષમાં જે કાંઈ તું કહે તે સર્વ આપું. વધારે શું કહું ! મારો જીવ માગે તો તે પણ આપું.” રાજાનાં આવાં વચન સાંભળી વિનયંધરે નમીને જણાવ્યું કે “હે દેવ ! એવું બોલો નહીં. જયારે તમારું કાર્ય સિદ્ધ થાય, ત્યારે જે તમને યુક્ત લાગે તે કરજો.” પછી વિનયંધર ચિતા પાસે આવ્યો અને કહ્યું કે “એ કન્યાને બહાર કાઢીને મારી પાસે લાવો.' એટલે રાજસેવકોએ તત્કાળ તેને ચિતામાંથી કાઢી; અને ઘણા લોકોની સમક્ષ વિનયંધર પાસે લાવીને સુવાડી. વિનયંધરે અક્ષત અને પુષ્પથી યુક્ત એવું ગોમયનું મંડળ રચાવીને તેમાં તેને મૂકાવી. પછી યક્ષનું સ્મરણ કરીને પેલા રત્નવાળા જળનું તે રાજપુત્રી ઉપર સિંચન કર્યું. કન્યાના ગાત્ર ઉપર રત્નજળનું સિંચન થતાં જ તે સચેત થઈ અને પાસે રહેલા લોકોની સામું જોવા લાગી. તેને સચેષ્ટ થયેલી જોઈને રાજાએ તેને પોતાના ખોળામાં બેસાડી, અને આનંદથી ઉઠેલી અશ્રુજળની ધારા વડે તેનું પ્રક્ષાલન કરવા લાગ્યો. પછી રાજાએ ગદ્ગદ્ વાણીએ રાજકન્યાને પૂછ્યું કે “વત્સ ! તારા શરીરમાં કાંઈ પીડા થાય છે?' રાજકન્યાએ કહ્યું કે “મને કાંઈ પીડા થતી નથી, પણ આ ચિતા શા માટે રચેલી છે? આ સ્મશાનભૂમિમાં હું ક્યાંથી? આ માંડવી કોના માટે તૈયાર કરેલી છે અને આ લોકો દુ:ખી થયા હોય તેમ મારી પાસે કેમ રુવે છે ?' તે સાંભળી Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy