SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વપીઠિકા ૧૧૯ તથા મનુષ્યોની પર્ષદામાં દેવતાએ રચેલા કમળ ઉપર બેસી ધર્મદેશના આપવા લાગ્યા–“ભો ભવ્ય પ્રાણીઓ ! આદિ અને અંત રહિત આ ચાર ગતિવાળા ઘોર સંસારમાં ભટકતાં જિનધર્મના જ્ઞાનથી રહિત એવો જીવ અનેક પ્રકારનાં દુઃખોને સહન કરે છે. સુકૃત કર્મથી રહિત એવા પ્રાણીને આ મનુષ્યભવ ચિંતામણિ રત્નની જેવો દુર્લભ છે, તે મનુષ્યભવ ક્યારેક પ્રાપ્ત થવો ઘણો દુર્લભ છે. ધર્મનું મૂળ દયા છે, દયાનું મૂળ શુદ્ધ અને ઉત્તમ જ્ઞાન છે. તે જ્ઞાન પ્રાપ્ત થતાં પણ ચારિત્રના પરિણામ થવા દુર્લભ છે. તેવા પરિણામ ક્યારેક થાય તો પણ તેમાં ક્ષાયિક ભાવ ઉત્પન્ન થવો મુશ્કેલ છે, પરંતુ જો ક્ષાયિક ભાવે ચારિત્રગુણ પ્રગટ થાય તો પછી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે અને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી અવશ્ય શાશ્વત સુખ મળે છે.” આ પ્રમાણે કેવળીભગવંતના મુખકમળમાંથી નીકળેલા વચનોને સાંભળીને કેટલાએકે દીક્ષા ગ્રહણ કરી અને કેટલાએક શ્રાવકો થયા. પછી દેવ, મનુષ્ય અને કિંમર સર્વે કેવળીભગવંતને નમી હૃદયમાં હર્ષ પામતા સર્વે પોતપોતાને સ્થાનકે ગયા અને દેવેન્દ્ર તથા નરેન્દ્ર વૃંદથી પૂજિત એવા ભગવાન વિજયચંદ્ર કેવળી પણ ભવિજનરૂપ પોયણાને બોધ કરતા પૃથ્વી ઉપર વિહાર કરવા લાગ્યા. વિહાર કરતાં કરતાં અન્યદા તેઓ કુસુમપુર નગર સમીપે આવ્યા કે જ્યાં પ્રસિદ્ધ એવો તેમનો પુત્ર હરિચંદ્ર રાજા રાજય કરતો હતો. દેવ તથા મનુષ્યોએ જેમના ચરણની પૂજા કરેલી છે અને ઘણા શ્રાવક અને સાધુઓના પરિવારથી જેઓ પરવરેલા છે એવા તે મહાત્મા નગરીની બહારના ઉદ્યાનમાં સમોસર્યા. ત્યાં દેવ તથા મનુષ્યની પર્ષદામાં દેવતાએ રચેલા સુવર્ણના આસન ઉપર બેસી, દેવતાઓ જેમના ચરણકમળની સ્તુતિ કરી રહ્યા છે એવા તેઓ ધર્મદેશના આપવા લાગ્યા. એ સમયે નગરની બહાર દેવતાએ પૂજેલા પોતાના પિતાને આવેલા સાંભળી હરિચંદ્રરાજાનાં હૃદયમાં અત્યંત હર્ષ ઉત્પન્ન થયો; એટલે તરત જ નગરના સ્ત્રીપુરુષોથી પરિવરીને તે પોતાના પિતાને વંદન કરવા માટે ઉદ્યાનમાં આવ્યો. મુનિવરને જોતાં જ તે દૂરથી હસ્તી ઉપરથી ઉતરી પડ્યો અને આનંદના અશ્રુથી નેત્રને પૂરીને તેમની પાસે આવી નમસ્કાર કર્યો. Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002557
Book TitleVijaychandchariyam
Original Sutra AuthorChandrashi Mahattar
AuthorJitendra B Shah
PublisherShrutratnakar Ahmedabad
Publication Year2008
Total Pages218
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Literature
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy