SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવધર્મનાં પ્રભાવ પર પ્રકાશ પાથરતું ધર્મદેવ-કૂર્માપુત્રનું ચરિત્ર ૬૫ ૮૮-૯૦. આ ઉદાહરણનો સાર ઘટાવતા કેવલીભગવંત કહે છે કે, આમ દરિયાની મઝધારમાં પડી ગયેલું–‘સકલરત્ન શિરોમણિ' તે રત્ન વાણિયો ઘણું શોધે તો તેને શુ મળે ? ના મળે. તેમ ઘણાં સેકડો ભવો ભમ્યા પછી મળેલ માનવભવને પ્રમાદવશ જીવ થોડા જ સમયમાં ખોઈ નાંખે છે, પરંતુ તે પુરુષો ધન્ય છે કે જેઓ પોતાના હૃદયમાં જિનધર્મને ધારણ કરે છે–તેવાઓનો જ માનવભવ સફળ બને છે–લોકમાં વખાણવા લાયક બને છે. / કુમારે સંયમ સ્વીકાર્યું બધા “મહાશુક્રમાં દેવ બને છે ૯૧. આવી કેવલીભગવંતની દેશના સાંભળીને યક્ષિણીએ સમ્યક્તને અને કુમારે ગુરુ પાસે ચારિત્રને સ્વીકાર્યું. ૯૨. હવે દુર્લભમુનિ સ્થવિરમુનિઓ પાસે ૧૪ પૂર્વોનો અભ્યાસ કરે છે. દુષ્કર તપ-ચરણમાં ઉદ્યમશીલ થાય છે, માતા-પિતા મુનિની સાથે વિહાર કરે છે. ૯૩. દુર્લભમુનિ, તેના માતા-પિતા આ ત્રણેય જણ ચારિત્રનું પાલન કરીને-છેવટે મહાશુક્ર નામનાં દેવલોકમાં મંદિર નામના વિમાનમાં દેવ તરીકે અવતર્યા. ૯૪. યક્ષિણી ત્યાંથી ચ્યવીને–વૈશાલી નગરીમાં ભ્રમર નામના રાજાની કમલા નામની સત્ય–શીલવતી રાણી થઈ. ૯૫. ભ્રમરરાજા અને કમલારાણી, જિનધર્મ સ્વીકારીને, અંતે શુભ અધ્યવાસને કારણે મહાશુક્રનાં મંદિર વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા. | રાજગૃહીમાં “કૂર્મા દેવીનાં પુત્ર તરીકે જન્મ ! ૯૬. રાજગૃહ નામનું શ્રેષ્ઠ નગર છે. તેમાં નગરજનોની) હવેલીઓ માનું વ્યવસ્થાતંત્ર શ્રેષ્ઠ હતું–જેથી તે હવેલીઓ જાજરમાન (૨) બની હતી. અથવા નગરનાં સુંદર વ્યવસ્થાતંત્ર = નયને કારણે, Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002556
Book TitleSirikummaputtachariam
Original Sutra AuthorJinmanikyavijay
AuthorChandanbalashreeji
PublisherBhadrankar Prakashan
Publication Year2009
Total Pages194
LanguageSanskrit, Hindi, Gujarati, English
ClassificationBook_Devnagari & Literature
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy