SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ કુમારપાલપ્રતિબોધ ગ્રંથ તે જ જણાય છે કે જે પ્રસ્તુત સંગ્રહમાં આ ચરિત્રની પછી પ્રકાશિત છે અને જેનું પૂરું નામ કુમારપાલપ્રબોધપ્રબંધ અથવા કુમારપાલપ્રતિબોધપ્રબંધ છે. (૩) કુમારપાલપ્રબોધપ્રતિબોધ) પ્રબંધ આ સંગ્રહના ત્રીજા ગ્રંથનું નામ કુમારપાલપ્રબોધપ્રબંધ કે કુમારપાલપ્રતિબોધપ્રબંધ છે. આ નામ ગ્રંથની પ્રારંભિક કંડિકાના ઉલ્લેખ ઉપરથી અંકિત કરેલ છે. તેમાં લખ્યું છે કે “શ્રીમરપતિપૂપાનસ્થ પ્રારતેવું પ્રવોધપ્રબન્ધ:' આ ઉલ્લેખ સિવાય આ ગ્રંથમાં અન્ય કોઈ સ્થાનમાં કે અંતિમ પુષ્પિકા લેખમાં પણ આ ગ્રંથનું નામ લખેલું પ્રાપ્ત થતું નથી. પૂનામાં ઉપલબ્ધ એક ત્રુટિત પ્રતિમાં “પ્રબોધ' શબ્દની જગ્યાએ પ્રતિબોધ' એવો પાઠ મળે છે એના ઉપરથી અનુમાન થઈ શકે છે કે આ ગ્રંથનું નામ કુમારપાલપ્રતિબોધપ્રબંધ' પણ હોઈ શકે છે અને આ નામને લક્ષ્ય કરીને પ્રસ્તુત સંગ્રહના બીજા નંબરના કુમારપાલદેવચરિત્રાના કર્તા પૂ. આ. શ્રી સોમતિલકસૂરિ મહારાજાએ લખ્યું છે કે આનો વિસ્તાર કુમારપાલપ્રતિબોધ” શાસ્ત્રથી જાણવો. આ ગ્રંથનું મુદ્રણ કરવાના સમયે મુનિ જિનવિજયજીને પ્રથમ એક જ પ્રતિ પ્રાપ્ત થયેલી અને તે પાટણના જ્ઞાનભંડારની છે. તે પ્રતિના અંતમાં ગ્રંથલેખનપ્રશસ્તિ આપેલી છે તે આ ગ્રંથની સાથે મુદ્રિત કરેલી છે. (જુઓ પૃઇ- ૨૧૨-૨૧૩) તેનાથી જણાય છે કે વિ. સં. ૧૪૬૪માં દેવલપાટક (કાઠિયાવાડના દેલવાડા)માં પંડિત દયાવર્ધન નામના યતિવરના આદેશથી શ્રાવકવર્ગે પોતાના ગચ્છના અનુયાયીઓને ભણવા માટે આ ચરિત્રની પ્રતિલિપિ કરાવી છે. આ ગ્રંથનું સંપૂર્ણ મુદ્રણ થયા પછી બીકાનેરથી એક પ્રતિ મુનિ જિનવિજયજીને મળી અને તે વિ. સં. ૧૬પ૬ની લખેલી છે. ઉપર જણાવેલ પાટણની પ્રતિ અને બીકાનેરની આ પ્રતિમાં પરસ્પર કોઈ કોઈ પાઠભેદ ઉપલબ્ધ છે. એમાંથી જે પાઠભેદ ખાસ વિશેષ છે તે પ્રથમવૃત્તિમાં મુનિશ્રી જિનવિજયજીએ પરિશિષ્ટમાં શુદ્ધિ-વૃદ્ધિ પત્રકમાં આપેલ છે. પ્રારંભના મંગલાચરણના ચાર પદ્ય મુદ્રિતગ્રંથમાં છે તેના કરતાં બીકાનેરવાની પ્રતિમાં તદ્દન ભિન્ન જોવા મળે છે. (જુઓ પૃષ્ઠ-૮૦ ટિપ્પણીમાં) આનું કારણ આ હોઈ શકે છે કે આ ગ્રંથના સંકલનકર્તાએ પહેલાં જે એક આદર્શ તૈયાર કર્યો છે તેની પ્રતિલિપિવાળી પાટણ અને પૂનાની પ્રતિઓ છે અને તેના પછી સંકલનકર્તાએ ગ્રંથમાં જે કાંઈ પાછળથી સંશોધન પરિવર્તન કર્યું હશે તે આદર્શની પ્રતિલિપિવાળી પરંપરાની આ બીકાનેરવાની પ્રતિ હોવી જોઈએ. કેમ કે બીકાનેરવાની પ્રતિનો પાઠ પ્રસ્તુત ચરિત્ર જે પ્રતિ ઉપરથી મુદ્રિત થયેલ છે તે પાટણની પ્રતિના પાઠથી શબ્દસંદર્ભ અને વાક્યરચનાની દૃષ્ટિથી કાંઈક વિશેષ પરિમાજિત જણાય છે. ત્યારપછી પૂનામાં પણ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002501
Book TitleKumarpalcharitrasangraha New Publication of Shrutaratnakar
Original Sutra AuthorN/A
AuthorJinvijay
PublisherSinghi Jain Shastra Shiksha Pith Mumbai
Publication Year2008
Total Pages426
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy