SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Gus labellis 65 વૈરાગ્યકલ્પલતા જેવા દળદાર સંસ્કૃત ગ્રંથો અને સંવેગરંગશાળા જેવા આકર પ્રાકૃત ગ્રંથોના ગાથાના અકારાદિક્રમો આમાં સંગૃહીત થયા છે. Yon અનુક્રમણિકા જોશો એટલે ગ્રંથોની નામાવલિ મળી જશે. પુસ્તકનાં પાના જોશો તો આની વ્યવસ્થિત ગોઠવણી અને પ્રુફ જંતર વાંચનશુદ્ધિ નિરખાશે પણ ખરેખરું નિદર્શન તો આમાં એમનો કરતા આત્મા પરોવાયો છે તે રહેશે. મરજીવા બન્યા વિના મોતી હાથ લાગતા નથી તેમ પ્રચંડ પુરુષાર્થ કર્યા વિના આવા વિશિષ્ટ ગ્રંથો સર્જન પામતા નથી. માં 10: સાહિત્ય જગતની સંવેદનાને સમજતી દરેક વ્યક્તિ આ પ્રકાશનથી આનંદિત બનશે, એ ચોક્કસ છે. હજારો મહાત્માઓ અને જ્ઞાનપ્રેમી શ્રાવકાદિના મૂલ્યવાન કલાકોની બચત તો થશે જ સાથોસાથ સંશોધન કાર્યમાં પ્રેરક બળ ઉમેરાતાં સંશોધિત ગ્રંથો પણ વધુ પ્રમાણભૂત બનશે. આ જ મુનિવરે આ પૂર્વે ‘શાસ્ત્રસંદેશમાળા’ નામે લગભગ ૫૪૩ જેટલા સ્વ-પર ગચ્છીય ગ્રંથ નિર્માતાઓના અધ્યયન પ્રાયોગ્ય ગ્રંથોને ચોવીસ ભાગમાં સંકલન કરીને શાસ્ર સંશોધક-અધ્યેતા અધ્યાપકાદિ વર્ગ માટે સુંદર આલંબન પુરું પાડ્યું હતું. તે જ શ્રેણિમાં આગળ વધીને તેમના દ્વારા ‘અકારાદિક્રમ'નું ભગીરથ કાર્ય થયું હજુ પણ આવાં શ્રુતોપયોગી કાર્યોમાં પ્રયત્નશીલ બની પોતાના જ્ઞાનાવરણીયાદિ કર્મોની પ્રબળ નિર્જરા સાધતાં સાધતાં તેઓ અન્ય સુયોગ્ય ભવ્યાત્માઓ માટે ઉત્તમ શ્રુતાલંબનો પૂરાં પાડતાં રહે એ જ મંગલ કામના કરું છું. insie મુંબઈ લાલબાગ, વિ.સં. ૨૦૬૫, વૈશાખ વદ-૧૧, બુધ, તા.૨૦-૫-૦૯ ‘સૂરિ-પ્રેમ’ સ્વર્ગદિન તપાગચ્છાધિરાજ પૂ.આ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના વિનેયરત્ન વર્ધમાન તપોનિધિ પૂ.આ.શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજનો વિનેય આ.શ્રી વિજય કીર્તિયશસૂરિ. (10)
SR No.002422
Book TitlePrakrit Padyanam Akaradikramen Anukramanika 02
Original Sutra AuthorN/A
AuthorVinayrakshitvijay
PublisherShastra Sandesh Mala
Publication Year2009
Total Pages446
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy