SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ (પ્રકાશકીય) - ગુર્જર ભાવાનુવાદથી વિભૂષિત “સમતામદાવાદ: મદીવા' નામના પ્રસ્તુત ગ્રંથરત્નને પ્રકાશિત કરતા આજે અમે અનેરો આનંદ અનુભવિએ છીએ. આ મહાકાવ્યમાં વર્ધમાનતપોનિધિ, પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન અને ભાઈમહારાજ એવા સમતાસાગર, પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજનું સંસ્કૃત પદ્યાત્મક જીવનચરિત્ર છે. સાથે દરેક શ્લોકનો સરળ ગુજરાતી અર્થ પણ કરેલ છે. પંન્યાસપ્રવર શ્રીપદ્મવિજયજી મહારાજ એક મહાન સાધક હતા. કેન્સર જેવા જીવલેણ રોગમાં પણ તેઓશ્રીએ કરેલ ઉત્કૃષ્ટ સાધનાનું રોમાંચક વર્ણન આ મહાકાવ્યમાં કરાયું છે. આ મહાકાવ્ય સાધક જીવો માટે એક ઉચ્ચતમ આલંબરૂપ બનશે. આ મહાકાવ્યના પઠન-પાઠનથી સમતા-સમાધિ-સહનશીલતાની પ્રાપ્તિ અને વૃદ્ધિ થશે. આ મહાકાવ્ય અને તેના ભાવાનુવાદની રચના મુનિ રત્નબોધિવિજયજીએ કરેલ છે. સીમંધર જિનોપાસક વૈરાગ્યદેશનાદલ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ અમારુ ટ્રસ્ટ છેલ્લા ૨૫ વર્ષથી શ્રુતભક્તિના વિવિધ કાર્યો કરી રહ્યું છે. લગભગ ૩૩૮ જેટલા ગ્રન્થો આજ સુધી પ્રકાશિત થયા છે હજુ પણ વધુ ને વધુ શ્રુતભક્તિ કરી શકીએ એવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ. પ્રાન્ત, આ ગ્રન્થના અભ્યાસ દ્વારા સહુ આત્મકલ્યાણને સાધે એજ એક અભ્યર્થના. લી.શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટના ટ્રસ્ટિઓ
SR No.002349
Book TitleSamta Mahodadhi Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2009
Total Pages396
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy