SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશકીય સંસ્કૃત છાયાથી અલંકૃત પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી શાંતિસૂરિજી મ. વિરચિત “ચેઈયવંદણમહાભાસ' નું પ્રકાશન કરતાં અમે અત્યંત હર્ષ અનુભવીએ છીએ. સંવત ૧૯૭૭ માં આત્માનંદ જૈન સભા તરફથી આ ગ્રંથની ૨૫૦ નકલ છપાયેલ. ૬૬ વર્ષ પૂર્વેને પ્રકાશિત આ ગ્રંથ જીર્ણ તથા અપ્રાપ્ય હેવાથી તેમજ જૈનસંઘમાં અતિશય ઉપયોગી હોવાથી આદ્ય પ્રકાશક આત્માનંદ જૈન સભા પ્રત્યે કૃતજ્ઞતાને ભાવ વ્યક્ત કરીને આ ગ્રંથનું અમે પુનઃપ્રકાશન કરીએ છીએ. ચૈત્યવંદન એ સાધુ અને શ્રાવકને અવશ્ય કરવાનું દૈનિક કર્તવ્ય છે, આ ગ્રંથમાં જ જણાવેલ છે કે સાધુએ અવશ્ય જ બે વાર ઉત્કૃષ્ટ દેવવંદન કરવું જોઈએ. શ્રાવકેએ ત્રણવાર કરવું જોઈએ, કારણવશાત્ આનાથી ઓછું થાય તે ચાલે પણ કઈ પણ જાતનું કારણ ન હોય તે અવશ્ય જણાવ્યા મુજબ કરવું જોઈએ. - ચૈત્યવંદનનું મહત્વ, વિધિ વગેરે બતાવતા આ ગ્રંથના વાંચન અને મનનથી દેવાધિદેવ પ્રત્યે અતિશય બહુમાન ઉત્પન્ન થાય છે, એટલું જ નહિ ચૈત્યવંદનાદિ વિધિમાં અતિશય ઉલ્લાસ પ્રવર્તે છે, અવિધિનું શક્ય નિવારણ થાય છે, અને તેથી સમ્યગ્દર્શનની શુદ્ધિ તથા કર્મ નિર્જરાના મહામૂલા લાભની પ્રાપ્તિ થાય છે. પૂજ્યપાદ સિદ્ધાંતમહેદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશિષથી તથા તેઓશ્રીના પટ્ટાલંકાર વર્ધમાનતનિધિ આચાર્ય દેવ શ્રીમદ્દ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાના આશીર્વાદથી તથા તેઓશ્રીના
SR No.002267
Book TitleChaiyavandanmahabhasam
Original Sutra AuthorN/A
AuthorShantisuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1987
Total Pages192
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy