SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ (તંભ ર૧) વ્યાખ્યાન ૩૦૧ પૂર્ણતા ગુણ पूर्णतागुणसंपृक्तं वाचंयममहामुनिम् । जयघोषो द्विजः प्रेक्ष्य, पूर्णानन्दमयोऽभवत् ॥१॥ ભાવાર્થ–“વાણીને નિયમમાં રાખનાર એવા મહામુનિને પૂર્ણતા ગુણથી યુક્ત જોઈને જયઘોષ નામનો બ્રાહ્મણ પૂર્ણ આનંદમય થયો હતો.” પૂર્ણતા ગુણનું વર્ણન પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કર્યું છે पूर्णता या परोपाधेः, सा याचितकमंडनम् । या तु स्वाभाविकी सैव, जात्यरत्नविभानिभा ॥१॥ ભાવાર્થ-“જે પરઉપાધિથી પૂર્ણતા થયેલી છે તે માગેલા અલંકાર જેવી છે; અને જે સ્વાભાવિક પૂર્ણતા છે તે જાતિવંત રત્નની પ્રભા જેવી છે.” આ શ્લોકનું તાત્પર્ય એ છે કે, “પર ઉપાધિ એટલે પુગલના સંબંધથી ઉત્પન્ન થયેલ દેહ, દ્રવ્ય, કામિની, કીર્તિ વગેરે ઉપાધિથી નરેન્દ્ર અને દેવેન્દ્રાદિક જે પૂર્ણતા માને છે તે માગીને પહેરેલા અલંકારાદિક જેમ થોડો વખત શોભા આપે છે તેમ થોડા વખતની શોભા છે, અનંતકાળ પર્યત તે શોભા રહેતી નથી. કેમકે તેવા અલંકારાદિકથી જે ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તે ઐશ્વર્ય તો આ વિશ્વવાસી ઘણા જીવોએ અનન્તવાર ભોગવીને ઉચ્છિષ્ટ કરેલું છે, તેથી તે પ્રાણીઓને અશુદ્ધતાના કારણભૂત છે. આવી રીતે સમજીને જે આત્મસ્વરૂપના અનુભવની શોભા ઘારણ કરે તે શોભા જ નિર્મળ રત્નની કાન્તિ જેવી શુદ્ધ છે એમ જાણવું.” આ પૂર્ણતા જેને સમ્યકત્વાદિ પ્રાપ્ત થયું હોય તેને જ હોય છે. તે વિષે કહ્યું છે કે कृष्णपक्षे परिक्षीणे, शुक्ले च समुदञ्चति । द्योतन्ते सकलाध्यक्षाः पूर्णानन्दविधोः कला ॥२॥ (ાનસર) ભાવાર્થ-“કૃષ્ણપક્ષ ક્ષીણ થાય અને શુક્લપક્ષનો ઉદય થાય, ત્યારે જ પૂર્ણાનન્દ રૂપી ચન્દ્રની કળા સમગ્ર લોકની સમક્ષ પ્રકાશમાન થાય છે.” વિશેષાર્થ-કૃષ્ણપક્ષ ક્ષય પામે અને શુક્લપક્ષ ઉદય પામે, ત્યારે સમસ્ત લોકને પ્રત્યક્ષ એવી ચન્દ્રની કળા પ્રકાશે છે એ લોકસિદ્ધ રીતિ છે; તેવી જ રીતે કૃષ્ણપક્ષરૂપી અર્ધપુદ્ગલ પરાવર્તન ઉપરાંત તમામ સંસાર ક્ષય પામે, અને શુક્લપક્ષરૂપી અર્થ પુગલ પરાવર્તનની અંદર રહેલો સંસાર પ્રવર્તમાન થાય ત્યારે પૂર્ણાનંદ (આત્મા) રૂપી ચંદ્રની સ્વરૂપાનુયાયી ચૈતન્ય પર્યાય ૧. શ્રી યશોવિજયજી ઉપાધ્યાયકૃત જ્ઞાનસાર (જેમાં ૩૨ અષ્ટક છે)ના પહેલા પૂર્ણતાષ્ટકમાં આ શ્લોક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy