SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૦ સ્ત્રી કાંઈ કામ માટે બહાર ગઈ અને તે જાર સૂઈ ગયો, ત્યારે તેને મેં મારી નાંખ્યો. મારી સ્ત્રીએ આવીને તેને મરેલો જોયો, એટલે તરત જ તેને ઊંચકીને ઘરના વાડામાં એક ખાડો ખોદી તેમાં દાટી દીધો. તે સર્વ સ્ત્રીચરિત્ર જોઈને પાછો હું ઉદ્યાનમાં પેલી વેશ્યા પાસે આવ્યો અને તેને સર્વ વાત કહી. પછી વેશ્યા સાથે હું રાજગૃહી નગરીમાં આવી તેને ઘેર ઘણા કાળ સુધી રહ્યો. પછી વેશ્યાની રજા લઈને હું ફરીથી મારી સ્ત્રીનું ચરિત્ર જોવાની ઉત્કંઠાથી ઘેર ગયો. મારી સ્ત્રી નિરંતર મારી સેવા કરવા લાગી, મેં પણ તેનું ચરિત્ર પ્રગટ કર્યું નહીં. હવે તે હમેશાં પેલા જારને જ્યાં દાટ્યો હતો તે સ્થાનની ભોજનાદિક નૈવેદ્યથી પ્રથમ પૂજા કરી પછી જમતી હતી. એક દિવસ મારી સ્ત્રીએ મારે માટે ઘેબર વગેરે મિષ્ટ ભોજન તૈયાર કર્યું, તે વખતે મેં તેને કહ્યું કે, આજે પ્રથમથી કોઈને તારે આ ભોજન આપવું નહીં; જે તને અધિક પ્રિય હોય તેને જ પ્રથમ આપવું.” ત્યારે તે બોલી કે, “મારે તમારાથી બીજો કોઈ અધિક નથી.' એમ કહીને તે મારી દ્રષ્ટિ ચુકાવીને પેલા જારવાળા સ્થળની પૂજા કરવા ગઈ. મેં તે જાણીને તેને કહ્યું કે, “હે અપ્રાર્થ્ય પ્રાર્થિકે! (મૃત્યુને માગનારી!) હજુ સુધી તું તારું ચરિત્ર છોડતી નથી.” ત્યારે તેણે જવાબ આપ્યો કે, “મેં કોઈ પણ વખત તમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું નથી, હું કોઈ વખત કડવું વચન પણ બોલી નથી, અને શા માટે કારણ વિના મને ઠપકો આપો છો?” એમ બોલીને ક્રોઘથી અશ્રપાત કરતી તેણે તપાવેલા તેલથી ભરેલો લોઢાનો તવો મારી ઉપર ફેંક્યો. તેમાંથી ઊછળતા તેલના બિંદુઓ એટલાં બધાં મારા શરીર ઉપર પડ્યા કે મારા શરીરની બઘી ચામડી નાશ પામી ગઈ. પછી હું ભયથી એકદમ નાસીને મહા મુશ્કેલીએ મારી માના ઘરમાં પેસી ગયો, ત્યાં જતાં જ હું મૂછ ખાઈને પડી ગયો. મારા સ્વજનોએ મને શતપાક તૈલ વગેરે ઉપચારો કરીને સાજો કર્યો. પછી મેં સર્વ કુટુંબને સત્ય વૃત્તાન્ત કહીને સાધુ પાસે આવી ઘર્મોપદેશ સાંભળી વૈરાગ્યથી દીક્ષા ગ્રહણ કરી. અત્યારે પણ તે ભયનું મને સ્મરણ થયું.” તે સાંભળી અભયકુમાર બોલ્યો કે, “હે પૂજ્ય! તમે તો બાહ્ય અને અત્યંતર બન્ને પ્રકારના ભયથી રહિત છો, પણ અમે જ કર્મના સમૂહથી ભારે થતા સર્વ ભયની મધ્યે રહીએ છીએ.” ઇત્યાદિ ઘણી રીતે તેમની પ્રશંસા કરીને અભયકુમારે રાત્રી પોસહ પૂર્ણ કર્યો. સૂર્યોદય થયો ત્યારે મંત્રી ઉપાશ્રયની બહાર નીકળ્યા. ત્યાં કાયોત્સર્ગમાં તત્પર અંતઃકરણવાળા સુસ્થિતમુનિના કંઠમાં પેલો હાર જોઈને તેમણે વિચાર્યું કે “અહો! રાત્રીના દરેક પ્રહરે તે ચારે મુનિઓ, “મહાભય પ્રાપ્ત થયું.” એમ બોલ્યા હતા તે સત્ય છે, કેમકે નિઃસ્પૃહ મુનિઓને તો કાંચન મહાભય રૂપ જ છે. અહો! સાધુઓની નિલભતા કેવી છે! રાજ્ય સમાન દિવ્ય હાર જોઈને પાંચમાંથી કોઈએ કિંચિત પણ લોભ કર્યો નહીં. ખરેખર સર્વ ભયો લોભમાં જ રહેલાં છે. આ પ્રમાણે વિચારી સુસ્થિતમુનિને ત્રણ પ્રદક્ષિણાપૂર્વક વાંદીને તથા સ્તુતિ કરીને અભયકુમાર બોલ્યા કે, અહો! તમે જ ખરેખરો લોભને જીત્યો છે.” પછી તે હાર મુનિના કંઠથી પોતે જ ઉતારીને હર્ષ પામતા રાજસભામાં જઈ શ્રેણિક રાજાને આપ્યો, અને રાત્રીનું સર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજાએ મંત્રીને કહ્યું કે, “મુનિઓના ગુણની સ્તુતિ વગેરે કરવાથી અનન્ત ભવનાં દુઃખ ચિંતાદિકનો નાશ થાય છે, તો પછી તમારી ઐહિક ચિંતાનો નાશ થાય તેમાં તો કહેવું જ શું? તેમના મહિમાથી સ્વયમેવ સર્વ દુઃખનો ક્ષય થાય છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy