SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [તંભ ૨૦ જોવાથી તે હંસી આર્તધ્યાનવડે તેનું જ સ્મરણ કરતી મૃત્યુ પામીને વ્યત્તર નિકાયમાં દેવી થઈ. ત્યાં તેણે વિલંગ જ્ઞાનથી પોતાને અને મુનિનો સર્વ સંબંધ જાણીને “આ મારા દિયરે મારું વચન માન્યું નથી.” એ વાત સંભારી ક્રોધાયમાન થઈને તે મુનિને હણવા તૈયાર થઈ; પણ મુનિના ધ્યાનતપના પ્રભાવથી તે તેને મારી શકી નહીં. પછી તે દેવી મુનિની પાસે પોતાની દિવ્ય શક્તિથી અનેક સ્ત્રીઓનાં રૂપો વિકુવને બોલી કે, “હે મુનિ! તમે શું વિચારો છો? તમારું સંયમ સદ્ય સફળ થયું છે, માટે આ દિવ્ય ભોગ ભોગવો. હવે શા માટે ફોગટ તપ કરો છો? તમારી વયને યોગ્ય પ્રત્યક્ષ પ્રાપ્ત થયેલું સુખ અંગીકાર કરો.” ઇત્યાદિ અનેક અનુકૂળ ઉપસર્ગો તે દેવીએ કર્યા, પણ મુનિ કિંચિત્ માત્ર ક્ષોભ પામ્યા નહીં. તેઓ વિચારવા લાગ્યા કે, “સંસારમાં આસક્ત થયેલા બાહ્યદ્રષ્ટિવાળા જીવોને સુંદર સ્ત્રી અમૃતના ઘડા જેવી લાગે છે, તે સ્ત્રીને માટે ઘન ઉપાર્જન કરે છે, અને તેને જ માટે મોહનિમગ્ન થઈને રાવણાદિકની જેમ પ્રાણનો પણ ત્યાગ કરે છે; પરંતુ જેઓ નિર્મળ અને એકાન્ત આનંદમય આત્મસ્વરૂપને જોવામાં દક્ષ થયેલા છે તેઓને તો આ સ્ત્રીઓ મળ, મૂત્ર, માંસ, મેદ, અસ્થિ, મજ્જ અને શુક્ર વગેરે અશુચિ પદાર્થનું પાત્ર માલૂમ પડે છે. તેથી સ્ત્રીઓનો ત્યાગ કરનાર જંબૂસ્વામી વગેરે જ સર્વોત્તમ છે.” ઇત્યાદિ નિર્મળ ધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને અનુક્રમે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. પછી સર્વ લોકોની સમક્ષ પોતાનો અને તે દેવીનો સર્વ સંબંઘ કહીને અનુક્રમે તે મુનિ મુક્તિપદને પામ્યા. “ક્ષમાં ગુણ ઘારણ કરનાર મુનિને ધ્યાનથી ચલિત કરવા માટે રાગથી વિહ્વળ થયેલી તે સ્ત્રી કોઈ પણ ભવમાં સમર્થ થઈ નહીં, અને તે મુનીશ્વર પણ અનેક પ્રકારનાં પરિષહો ઉત્પન્ન થયા છતાં એકાગ્ર ધ્યાનથી ભ્રષ્ટ થયા નહીં.” વ્યાખ્યાન ૨૭. તપાચારનો બારમો ભેદ-કાયોત્સર્ગ હવે કાયોત્સર્ગ નામના બારમા તપાચાર વિષે કહે છે प्रायो वाङ्गनसोरेव, स्याध्याने हि नियंत्रणा । कायोत्सर्गे तु कायस्याप्यतो ध्यानात् फलं महत् ॥१॥ ऊर्ध्वस्थशयिताद्यैश्च, कायोत्सर्गः क्रियारतैः । एकोनविंशतिदोषैर्मुक्तः कार्यो यथाविधिः॥२॥ ભાવાર્થ-“ધ્યાનમાં પ્રાયે વાણી અને મનની જ નિયંત્રણા (કબજે રાખવાપણું) થાય છે, પણ કાયોત્સર્ગમાં તો કાયાની પણ નિયંત્રણા થાય છે, માટે ધ્યાન કરતાં કાયોત્સર્ગનું મોટું ફળ છે. (૧) ક્રિયામાં આસક્તિવાળા પુરુષોએ ઊભા રહેવાવડે તથા શયન વગેરેએ કરીને ઓગણીશ દોષથી રહિત એવો કાયોત્સર્ગ યથાવિધિ કરવો (૨).” એકાંત સ્થાનમાં લાંબા હાથ રાખીને કાયોત્સર્ગ કરવામાં આવે છે તે, કાયોત્સર્ગનિર્યુક્તિમાં કલી ઘોડાયāમારૂ એ ગાથામાં કહેલા ઓગણીશ દોષ રહિત, ઊભા રહીને અથવા શયનાદિકવડે કરવો. “આદિ' શબ્દનું ગ્રહણ કર્યું છે માટે બેઠા બેઠા પણ કરી શકાય છે. તેમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy