SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ ભાવાર્થ-“આ ટાઢની ઋતુમાં મારી પાસે શીતથી રક્ષણ કરનારું વસ્ત્ર નથી, તાપવા માટે સગડી નથી, પૃથ્વીપર કટી ઘસવી પડે છે, અર્થાત્ ભૂમિપર પાથરવાનું પણ સાઘન નથી, તેમાં વાયુનો સંચાર ન થાય એવી ઝૂંપડી નથી, ખાવા માટે ચપટી ચોખા નથી, એક ઘડી પણ પ્રસન્નતા નથી, સારી રીતે વૃત્તિ થાય તેવું સાધન નથી અને સુંદર સ્ત્રી નથી. હે સ્વામી! એ સર્વ પ્રકારનાં મારે સંકટો છે, તોપણ હે ભોજરાજા! તમારા પ્રસાદરૂપ હાથીએ મારી આપત્તિરૂપ નદીને ભાંગી નાંખી છે, અર્થાત્ સર્વ આપત્તિ મટાડી દીધી છે.” रात्रौ जानुर्दिवा भानुः कृशानुः संध्ययोर्द्धयोः । राजन् ! शीतं मया नीतं, जानुभानुकृशानुभिः॥२॥ ભાવાર્થ-“રાત્રિએ જાનુ, દિવસે ભાન (સૂર્ય) અને બન્ને સંધ્યાસમયે કશાન (અગ્નિ) શીતની રક્ષા કરનાર છે, તેથી હે રાજા! જાનુ, ભાનુ અને કૃશાનુએ કરીને મેં શીતનો નાશ કર્યો છે.” આવા ટાઢના વખતમાં એકદા ઘનમિત્રે જિનદત્તને કૌતુકથી કહ્યું કે–“કોઈ પણ માણસ ગામ બહારના ઉદ્યાનમાં ઠંડા જળથી ભરેલા તળાવમાં આ માઘ માસને સમયે આખી રાત્રી સુધી કંઠપ્રમાણ જળમાં ઊભો રહે તો તેને હું એક લાખ દીનાર આપું.” તે સાંભળીને લોભી જિનદત્તે સર્વ લોકની સમક્ષ તેમ કરવાનું અંગીકાર કર્યું, અને આખી રાત્રિ તેવી જ રીતે નિર્ગમન કરી. પછી પ્રભાતે આવીને ઘનમિત્રને કહ્યું કે, “મને લાખ દીનાર આપ.” ઘનમિત્ર બોલ્યો કે, “તું આખી રાત્રિ તેવી જ રીતે રહ્યો છે તેની ખાતરી શી?” જિનદત્ત બોલ્યો કે, “તારા ઘરમાં આખી રાત્રિ દીવો બળતો હતો, તે નિશાનીથી તારે ખાતરી માનવી.” ઘનમિત્ર બોલ્યો કે, “ત્યારે તો દીવો જોવાથી તારી ટાઢ જતી રહી, માટે હવે તને ઘન નહીં આપું.” તે સાંભળીને જિનદત્ત ખેદયુક્ત ચિત્તે ઘેર ગયો. તેને ચિંતાતુર જોઈને વિપુલમતિ પુત્રી બોલી કે, “હે પિતા! તમે ખેદ કરો મા, તમને જે રીતે ઘનની પ્રાપ્તિ થશે તેમ હું કરીશ.” પછી પુત્રીના કહેવાથી જિનદત્તે ભર ઉનાળામાં ઘનમિત્રને પોતાને ઘેર ભોજનનું આમંત્રણ કર્યું. મધ્યાહ્ન સમયે તેને જમવા બેસાડ્યો. ભોજનમાં મીઠાવાળો અને સ્નિગ્ધ પદાર્થ વિશેષ હતો, તેથી ભોજન કરતાં ઘનમિત્રે વચમાં પાણી પીવા માગ્યું. તે વખતે જિનદત્તે શીતળ જળની ભરેલી ગાગર દેખાડીને કહ્યું કે, “જેમ તે વખતે શિયાળામાં દીવો જોવાથી મારી ટાઢ નાશ પામી હતી, તેમ આજે આ પાણીની ગાગર જોવાથી તારી તૃષા પણ નાશ પામો.” ઘનમિત્ર આનો જવાબ આપી શક્યો નહીં, એટલે તે હારી ગયો; તેથી શરતમાં ઠરાવેલા લાખ રૂપિઆ તેણે જિનદત્તને આપ્યા. પછી જિનદત્તે તેને જળ આપ્યું. - ભોજન કર્યા પછી ઘનમિત્ર પોતાને ઘેર ગયો અને વિચારવા લાગ્યો કે, “આ બુદ્ધિ કોની?” તે વખતે કોઈએ કહ્યું કે, “જિનદત્તની પુત્રી વિપુલમતિની.” તે સાંભળી ઘનમિત્રે પરણવા માટે વિપુલમતિનું માગું કર્યું. પણ જિનદત્તે વિચાર્યું કે, “મારી પુત્રી હું એને આપીશ તો તે ક્રોધથી તેનું વિરૂપ કરશે.” એમ ઘારીને તેને આપી નહીં. ત્યારે વિપુલમતિ બોલી કે, “હે પિતા! મને ઘનમિત્ર સાથે પરણાવો. બુદ્ધિના પ્રસાદથી બધું સારું થશે.”કેમકે यस्य बुद्धिर्बलं तस्य, निर्बुद्धेश्च कुतो बलम् । बद्धो गजो वने मत्तो, मूषकैः परिमोचितः॥१॥ ૧. પગ સંકોચીને સૂવાથી ટાઢ થોડી લાગે છે. Personal use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy