SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૬] ઘર્મનું માહાભ્ય ૨પપ ખાતાં પોતાનું સ્થાન જણાવવા માટે મંગળકળશ બોલ્યો કે “ઉજ્જયિની નગરીના જળ વિના આ મોદક સ્વાદિષ્ટ લાગતા નથી.” તે સાંભળીને રાજપુત્રીએ આશ્ચર્ય પામીને વિચાર્યું કે “અહો! આ અઘટમાન (અસંગત) વાક્ય કેમ બોલે છે?” એમ વિચારીને તેણે પતિને સુગંથી તાંબૂલ આપ્યું. પછી ફરીથી તે દેહચિંતાના મિષે બહાર નીકળીને અશ્વો વગેરે લઈ અવંતિ તરફ ચાલ્યો. અનુક્રમે અવંતિ પહોંચ્યો. તેના માબાપ તેને આવેલો જોઈ શોકરહિત થયા. પછી તેણે પોતાના માતાપિતાને પોતાનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું. અહીં મંત્રીએ મંગળકુંભનો વેષ પહેરાવીને પોતાના પુત્રને રાજપુત્રી પાસે મોકલ્યો. તે કોઢીઓ આવા ભુવનમાં જઈને શય્યા પર ચઢી રાજપુત્રીને સ્પર્શ કરવા લાગ્યો. તેને જોઈને તત્કાળ તે રાજપુત્રી શયનગૃહમાંથી બહાર નીકળીને દાસીઓ પાસે બેઠી, અને આખી રાત્રિ ખેદયુક્ત ચિત્તે ત્યાં જ નિર્ગમન કરી. પ્રાતઃકાળે મંત્રીએ રાજા પાસે જઈને કહ્યું કે “હે સ્વામી! મારો પુત્ર આપની પુત્રીના સ્પર્શથી કુષ્ઠી થયો હોય એમ જણાય છે. હવે શું કરવું?” તે સાંભળીને રાજા બોલ્યો કે “કર્મની વિચિત્ર ગતિ છે. કહ્યું છે કે चिन्तयत्यन्यथा जीवो, हर्षपूरितमानसः । विधिस्त्वेष महावैरी, कुरुते कार्यमन्यथा ॥१॥ ભાવાર્થ-હર્ષથી પૂર્ણ મનવાળો થઈને જીવ જે કાર્ય કરવાનું ચિંતવે છે, તે આ મહાશત્રુ રૂપ વિધિ અન્યથા કરે છે.” હે મંત્રી! આમાં મારી પુત્રીનો જ દોષ છે, તારા પુત્રનો દોષ નથી.” એવી રીતે રાજાએ આશ્વાસન આપેલો મંત્રી પોતાને ઘેર ગયો. રાજાએ પુત્રીના દોષને લીધે ક્રોધથી તેને પોતાની પાસે આવવાનો નિષેધ કર્યો. એકદા પિતાનો ક્રોઘ શાંત થયો, ત્યારે તે પિતાની પાસે જઈને બોલી કે “હે પિતા! મને પુરુષનો વેષ આપો. હું ઉજ્જયિની ગયેલા મારા પતિને મળીને મારું કલંક દૂર કરીશ.” રાજાએ તેને અનુમતિ આપી, એટલે તે કેટલાક સૈન્ય સહિત સિંહ નામના સામંતની સાથે ઉજ્જયિની ગઈ. ઉજ્જયિનીના રાજાએ ચંપાપુરીનો રાજપુત્ર આવ્યાના સમાચાર જાણી તેને રહેવા માટે મહેલ વગેરે આપી તેનો સત્કાર કર્યો. એકદા પોતાના ઉતારા પાસેથી પાણી પીવા જતા પોતાના પિતાના નામાંકિત અશ્વો જોઈને તેણે પોતાના સેવકોને તેની પાછળ મોકલી તે અશ્વના સ્વામીનું નામ ઠામ વગેરે પુછાવ્યું. તે માણસોના મુખથી તેને હજુ જ્ઞાનનો અભ્યાસી જાણીને તેણે સર્વ છાત્રો સહિત તેના અધ્યાપકને જમવાનું નિમંત્રણ કર્યું, એટલે અધ્યાપક સર્વ છાત્રોને લઈને જમવા આવ્યા. તેની અંદર પોતાના ભર્તારને જોઈને તે રાજપુત્રી બહુ હર્ષ પામી. પછી સર્વનું અશન વસનાદિ વડે સન્માન કરીને તે કુમારરૂપ રાજપુત્રીએ અધ્યાપકને કહ્યું કે “આ છાત્રોમાંથી કોઈ પણ મારું વૃત્તાંત જાણતો હોય તે તમારી આજ્ઞાથી કહી બતાવે તેમ કરો.” તે સાંભળીને અધ્યાપકે તેનું વૃત્તાંત જે જાણતો હોય તેને કહેવાની આજ્ઞા આપી; એટલે મંગળકુંભે તે પુરુષવેષને ધારણ કરનાર પોતાની પ્રિયા છે, એમ ઓળખીને સિંહ સામંત વગેરે સર્વના સાંભળતાં પોતાના વિવાહ વગેરેનું પૂર્વ વૃત્તાંત કહ્યું. તે સાંભળીને રાજપુત્રીએ સિંહ સામંતને કહ્યું કે “આ જ મારો પતિ છે, અને તેને શોઘવા માટે જ હું પુરુષનો વેષ ઘારણ કરીને અહીં આવી છું.” સિંહ સામંતે કહ્યું કે “જો તે જ તારો પતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy