SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૫૪] કુઘર્મનો ત્યાગ કર્તવ્ય ૨૪૭ પામેલા તે તો ઘરમાંથી જ વિહળ વચન અને વજનવાળા બહાર નીકળ્યા, માટે હે રાજ! સ્વર્ગે ગમનાગમનની સર્વ વાત અસત્ય જ માનવા યોગ્ય છે.” આ પ્રમાણે રાણીએ કહેલ યુક્તિ સાંભળ્યા છતાં પણ ધૂર્તના વચનથી વ્યગ્રાહિત થયેલા ચિત્તવાળાની જેમ રાજાએ જરા પણ બૌદ્ધગુરુ પરના દ્રષ્ટિરાગનો ત્યાગ કર્યો નહીં. કહ્યું છે કે कामरागस्नेहरागा - वीषत्करनिवारणौ । दृष्टिरागस्तु पापीयान्, दुरुच्छेद्यः सतामपि ॥१॥ ભાવાર્થ-કામરાગ અને સ્નેહરાગ એ બેને નિવારણ કરવામાં બહુ થોડી મહેનત પડે છે, તેનું નિવારણ સહેજે થઈ શકે છે; પણ પાપિષ્ઠ એવો દ્રષ્ટિરાગ તો સપુરુષોથી પણ દુઃખે તજી શકાય-છેદી શકાય તેવો છે.” અન્યદા રાજાએ બૌદ્ધગુરુને ભોજન માટે નિમંત્રણ કર્યું. તે જમવા આવ્યા ત્યારે રાણીએ તેનાં ઉપાનહ (પગરખાં) પોતાના સેવક પાસે ગુપ્ત રીતે મંગાવી તેના સૂક્ષ્મ કકડા કરી તેનું ચૂર્ણ શાક વગેરેમાં ખબર ન પડે તેમ ભેળવી દીધું. ભોજન કરતી વખતે ગુરુએ ભોજનના સ્વાદને લીધે કાંઈ પણ જાણ્યું નહીં. ભોજન કરી રહ્યા પછી પોતાને સ્થાને જતી વખતે ગુરુએ ચોતરફ પોતાનાં ઉપાનહ શોધ્યાં, પણ હાથ લાગ્યાં નહીં, ત્યારે ચેલણાએ રાજાને કહ્યું કે “હે સ્વામી! તમારા ગુરુ જ્ઞાની છે કે નહીં? જો જ્ઞાની હોય તો ઉપાનહની શોઘ શા માટે કરે છે? જ્ઞાનથી જ જાણી લે કે ક્યાં છે? અને જો અજ્ઞાની છે, તો હમણાં જમેલા ભોજનને તેના નામને પણ ભૂલી જશે. માટે હે રાજ! આ દાંભિક માણસો શું જાણી શકે? સમગ્ર વિચારમાં નિપુણ તો જૈનમુનિઓ જ હોય છે.” પછી ગુરુ તો ખેદ પામી પોતાને સ્થાને ગયા. ઘેર પહોંચ્યા કે તરત કંઠ સુઘી ભોજન કરેલું હોવાથી તેમને વમન થયું, તેમાં ચર્મના સૂક્ષ્મ કકડાઓ નીકળ્યા, એટલે ગુરુએ રાજાને બોલાવીને તે વાત કહી. રાજાએ કહ્યું કે “અમારા ભોજનમાં એવા કોઈ જાતનો દોષ ઘારશો નહીં.” પછી તે વાત રાજાએ રાણી પાસે આવીને કહી; એટલે રાણી બોલી કે “તમારા ગુરુ જ્ઞાનીના નામથી પૂજાય છે, તો એટલું પણ જાણી શક્યા નહીં કે મારાં ઉપાનહ મારા ઉદરમાં જ છે.” તે સાંભળી રાજા મૌન રહ્યો. હવે રાજાએ ચેલણાને પોતાના ઘર્મની દ્રષિણી જાણીને તેનો ગર્વ દૂર કરવા માટે એકદા પોતાના સેવકોને કહ્યું કે “તમે સ્મશાનમાં જઈને ત્યાંથી કોઈ તરતનું મરેલું બાળકનું શબ લાવીને રસોઇયાને આપો.” સેવકોએ તે પ્રમાણે કર્યું. એટલે રાજાએ તે શબના માંસાદિક યુક્ત ક્ષીર વગેરે ભોજનની સામગ્રી તૈયાર કરાવી. પછી અનુચરોને જૈનમુનિને આમંત્રણ કરવા માટે મોકલ્યા. ચેલણાએ અનુમાનથી કાંઈક હકીકત જાણીને રાજાને પૂછ્યું કે “હે સ્વામી! આજ તમે ચંચળ ચિત્તવાળા અને ઉત્સુક કેમ જણાઓ છો?” રાજાએ કહ્યું કે “રાજ્યાદિકની ચિંતાથી, બીજું કાંઈ નથી.” પછી રાજા રસોડામાં જઈને બેઠો, અને રાણી સાથુને આવવાના માર્ગે ગોખમાં બેઠી. થોડી વારે રાજાના સેવકે બતાવેલા માર્ગે એક મુનિને આવતા જોયા. તે વખતે રાણીએ વિચાર કર્યો કે “આ નિઃસ્પૃહ મુનિ મારી સામું પણ જોશે નહીં, કેમકે તે ઈર્યાસમિતિ શોઘવા માટે નીચું જોઈને જ ચાલે છે; તેથી કાંઈક યુક્તિ કરું કે જેથી તે મારા સામું જુએ.” એમ વિચારીને જ્યારે મુનિ તે ગોખની નીચે આવ્યા, ત્યારે રાણીએ ઊંચા હાથ કરીને બારીનાં બારણાં એકદમ ખખડાવ્યાં, એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy