SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૪ અકસ્માતુ પ્રગટ કર્યું. તે જોઈને શાંબ લ પામી જતો રહ્યો. પછી કૃષ્ણ જાંબુવતીને કહ્યું કે “તારા પુત્રની ચેષ્ટા તેં પ્રત્યક્ષ જોઈ?” તે બોલી કે “મારો પુત્ર તો ભોળો છે, આ તો બાળક્રીડા છે.” કૃષ્ણ કહ્યું કે “ખરી વાત છે, સિંહણ પોતાના બાળકને ભદ્ર ને સૌમ્ય જ માને છે.” પછી બીજે દિવસે શાંબ હાથમાં એક ખીલો રાખીને ચૌટામાં જતાં કૃષ્ણ તથા સર્વ લોકો સાંભળે તેમ બોલ્યો કે “ગઈ કાલની મારી વાત જે પ્રગટ કરશે તેના મુખમાં આ ખીલી મારવી છે.” તે સાંભળીને કૃષ્ણ તેને ગામ બહાર જતા રહેવાનો હુકમ કર્યો, ત્યારે શાંબ પ્રદ્યુમ્ર પાસેથી કેટલીક વિદ્યા શીખીને નીકળી ગયો. પછી ભીરૂકને પ્રદ્યુમ્ર હમેશાં પીડા કરવા લાગ્યો, એટલે તેને સત્યભામાએ કહ્યું કે “હે શઠ! તું પણ શાબની જેમ કેમ ગામમાંથી જતો નથી?” પ્રદ્યુમ્ર બોલ્યો કે “હે માતા! ક્યાં જાઉં?” તે બોલી કે “સ્મશાનમાં.” ફરીથી તેણે પૂછ્યું કે “હે માતા! હું પાછો ક્યારે આવું?” તે બોલી કે “જ્યારે હું શાંબને હાથ પકડીને ગામમાં લાવું ત્યારે તારે આવવું.” તે બોલ્યો કે “બહુ સારું. આપની આજ્ઞા મારે પ્રમાણ છે.” એમ કહી પ્રદ્યુમ્ર શાંબની પાસે ગયો. પછી સત્યભામાં અત્યંત હર્ષ પામી, અને પોતાના પુત્રને યોગ્ય એવી નવાણું કન્યાઓ તેણે એકઠી કરી (મેળવી;) સો કન્યાઓ પૂરી કરવાના વિચારથી તે એકને માટે શોઘ કરવા લાગી, પણ ક્યાંય મળી નહીં. આ વાત પ્રદ્યુમ્રના જાણવામાં આવી. તેથી તે માયા વડે જિતશત્રુ નામનો રાજા બન્યો, શબને પોતાની કન્યા બનાવી, અને માયાવી સૈન્ય બનાવ્યું. એવી રીતે તે દ્વારિકાની બહાર આવી પડાવ નાખીને રહ્યો. તે વાત સત્યભામાએ સાંભળી, એટલે તેણે તે કન્યાની માગણી કરી. ત્યારે જિતશત્રુ રાજાએ કહ્યું કે “જો મારી પુત્રીને સત્યભામા પોતે હાથ પકડીને ગામમાં લઈ જાય, અને વિવાહ વખતે મારી કન્યાનો હાથ ભીરૂકના હાથ ઉપર રખાવે તો હું મારી કન્યા આપું.” તે વાત સત્યભામાએ કબૂલ કરી. પછી તે કન્યાને હાથે પકડીને સત્યભામા ગામમાં લઈ જવા લાગી; તે વખતે સર્વ પૌરજનો શાંબ અને પ્રદ્યુમ્રને જોઈને કહેવા લાગ્યા કે “અહો! પોતાના પુત્રનો વિવાહોત્સવ હોવાથી સત્યભામા શાંબ પ્રદ્યુમ્રને મનાવીને ઘેર લઈ જાય છે.” પછી સત્યભામાને ઘેર જઈને ચતુર બુદ્ધિવાળા શાંબે ભીરૂકનો જમણો હાથ પોતાના ડાબા હાથ ઉપર રાખીને પકડ્યો, અને નવાણું કન્યાઓના જમણા હાથને પોતાના જમણા હાથથી પકડ્યા. એવી રીતે યુક્તિથી નવાણું કન્યા સાથે ફેરા ફરીને સર્વ કન્યાઓને શાંબ પરણ્યો. પછી તે કન્યાઓ સાથે શાંબ વાસગૃહમાં ગયો; તેની પાછળ ભીરૂક આવ્યો. એટલે શાંબે તેની પાસે પણ પોતાનું મૂળ સ્વરૂપે પ્રગટ કરી ભૃકુટી ચડાવીને જોયું, તેથી ભય પામીને ભીરૂક ભાગ્યો અને માતા પાસે જઈને તે વાત કરી. એટલે ગાભરી બનેલી સત્યભામા વાસગૃહમાં ગઈ. તેને પણ શાંબે મૂળરૂપ બતાવ્યું, એટલે તે ક્રોધથી બોલી કે “અરે દુખ! તને અહીં કોણે આપ્યો?” ત્યારે શાંબ બોલ્યો કે “હે માતા! તમે જ મને ગામમાં લાવ્યા છો, અને આ નવાણું કન્યાઓ સાથે પણ તમે જ મને પરણાવ્યો છે. તે બાબતમાં આ સર્વ પૌરજનો સાક્ષી છે.” તે સાંભળીને સત્યભામાએ પીરજનોને પૂછ્યું, ત્યારે તેઓએ શાબનું વચન સત્ય કહ્યું. આવી શાંબની અકલિત માયા જોઈને અત્યંત રોષાતુર થયેલી સત્યભામા લાચાર થઈને નિઃશ્વાસ મૂકી પોતાના ગૃહમાં ગઈ. આવી રીતે ૧ સત્યભામા જિતશત્રુ રાજા ને તેની કન્યાનું રૂપ દેખતી હતી અને નગરજનો તેને શાંબ, પ્રદ્યુમ્ર રૂપે દેખતા હતા તે તેની વિદ્યાનો ચમત્કાર હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy