SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૪ અને જલદી જાય છે તે પાંસુલી સ્ત્રીના જેવી સંપત્તિ ઉપર હે ડાહ્યા પુરુષો! કોણ આસક્તિ કરે?” માટે હું પ્રાયઃ વિડંબનાભૂત એવી આ રાજ્યસંપદાને તજીને મુક્તિ આપનારી સમતારૂપ સામ્રાજ્યસંપદાનો આશ્રય કરું.” એમ વિચારી જેનો મમતારૂપી અગ્નિ શાંત થયો છે એવા તે દ્વિમુખ રાજાએ તે જ વખતે પોતે જ કેશનો લોચ કરીને દેવદત્ત મુનિવેષને ધારણ કરી પૃથ્વી પર વિહાર કર્યો. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના નવમા અધ્યયનમાં શ્રી વીરસ્વામીએ કહ્યું છે કે વરવહુ સિંગેસુ, પાંગાસુ તુદો | नमिराया विदेहेसु, गंधारेसु च नग्गइ॥१॥ ભાવાર્થ-“કલિંગ દેશમાં કરકંડુ રાજા, પાંચાલ દેશમાં દ્વિમુખ રાજા, વિદેહ દેશમાં નમિ રાજા અને ગાંઘાર દેશમાં નગ્નતિ રાજા થયા છે.” આ ચારે રાજાઓ પુષ્પોત્તર વિમાનથી એક કાળે અવ્યા, એક કાળે દીક્ષા લીધી અને એક કાળે મોક્ષપદને પામ્યા છે. આ ચારે રાજાઓ મુનિ થયા પછી એકત્ર મળતાં તેમને પરસ્પર સંવાદ થયો હતો. તે હકીકત આ પ્રમાણે છે–આ ચારે મુનિઓ વિહાર કરતાં કરતાં એકદા ક્ષિતિપ્રતિષ્ઠપુરમાં આવ્યા. ત્યાં ગામની બહાર કોઈ એક યક્ષનું ચાર દ્વારવાળું ચૈત્ય હતું. તેમાં પૂર્વાભિમુખે તે વ્યંતરની પ્રતિમા રહેલી હતી. તેમાં પ્રથમ પૂર્વના દ્વારથી કરકંડુ મુનિએ પ્રવેશ કર્યો. પછી દક્ષિણ તરફના દ્વારથી દ્વિમુખમુનિએ પ્રવેશ કર્યો. તે વખતે યક્ષે વિચાર્યું કે “હું સાદુથી પરાભૂખ કેમ રહું?” એમ ઘારીને તેણે દક્ષિણ તરફ બીજું મુખ કર્યું. પછી નમિ મુનિએ પશ્ચિમના દ્વારથી પ્રવેશ કર્યો, ત્યારે પણ તે યક્ષ ત્રીજું મુખ કરીને સન્મુખ રહ્યો. પછી ઉત્તરના દ્વારથી નગ્નતિ મુનિએ પ્રવેશ કર્યો, ત્યારે યક્ષે તે તરફ ચોથું મુખ કર્યું. આ પ્રમાણે તે યક્ષ મુનિની ભક્તિથી ચતુર્મુખ થયો. હવે કરકંડ મુનિને લૂખી ખરજ હજુ સુધી પણ દેહમાં હતી, તેથી શરીરે ખરજ આવવાથી તેણે ખરજ ખણવાનું અધિકરણ લઈને ખરજ ખણી. પછી તેને સંતાડતા જોઈને દ્વિમુખ મુનિ બોલ્યા કે “હે કરકંડ મુનિ!તમે રાજ્યાદિક સર્વનો ત્યાગ કર્યો છે ત્યારે આટલી આ ખરજ ખણવાની વસ્તુનો સંચય શા માટે કરો છો?” તે સાંભળીને કરકંડુ મુનિ તો કાંઈ બોલ્યા નહીં, પણ નમિરાજર્ષિએ દ્વિમુખે મુનિને કહ્યું કે “હે મુનિ! તમે રાજ્યાદિ સર્વ કાર્યનો ત્યાગ કરીને નિગ્રંથ થયા છો, તો પણ અન્યના દોષને જોવારૂપ કાર્ય તો હજુ કરો છો, તે હવે તમને નિઃસંગને યોગ્ય નથી.” તે સાંભળીને દુર્ગતિરહિત થયેલા નગ્નતિ મુનિએ નમિમુનિને કહ્યું કે “હે મુનિ! તમે એમને કહો છો, પણ તમે જ્યારે સર્વનો ત્યાગ કરીને મોક્ષને માટે જ ઉદ્યમી થયા છો, ત્યારે શા માટે વૃથા અન્યની નિંદા કરો છો?” પછી કરકંડ મુનિ સર્વને ઉદ્દેશીને બોલ્યા કે-“મોક્ષની ઇચ્છાવાળા મુનિઓને અહિતથી રોકનાર સાધુ, નિંદક શી રીતે કહેવાય? કેમકે या रोषात् परदोषोक्तिः, सा निंदा खलु कथ्यते । स तु कस्यापि नो कार्या, मोक्षमार्गानुसारिभिः॥१॥ ભાવાર્થ-“ક્રોઘથી પરનો દોષ કહેવો તે નિંદા કહેવાય છે. તે નિંદા મોક્ષમાર્ગને અનુસરનારા મુનિઓએ કોઈની પણ કરવી નહીં.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy