SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૪૬] યશોભદ્રસૂરિ અને બલભદ્રસૂરિ મુનિ ૨૧૭ બળભદ્ર મુનિએ ભૂલી ન જવાય તેટલા માટે સંજીવિની વિદ્યાની આવૃત્તિ કરી. તે વિદ્યાના પ્રભાવથી જેટલી લીંડીઓ હતી તેટલા બકરા બકરીઓ થઈ ગયાં; તેવામાં ગુરુ બહિર્ભૂમિથી આવ્યા. ઉપાશ્રયમાં બકરાંઓનો બૂત્કાર શબ્દ સાંભળીને ગુરુએ બળભદ્ર મુનિને ઉપાલંભ આપ્યો. ત્યારે તે મુનિએ કહ્યું કે “હે ગુરુ! થયું ન થયું થવાનું નથી. હવે હું શું કરું? આપ આજ્ઞા આપો.’’ ગુરુ બોલ્યા કે “જીવરક્ષાને માટે અજાપાળ (ગોવાળ)નું સ્વરૂપ ધારણ કરીને તથા સાધુવેષને ગુપ્ત કરીને બે વાડા ભિન્ન ભિન્ન કરી એકમાં બકરીઓ અને એકમાં બકરાઓ રાખવાં. તેમની સંતતિની વૃદ્ધિ ન થવા દેવા માટે બકરા તથા બકરીનો મેળાપ થવા દેવો નહીં. તેઓને ભક્ષણ પણ અચિત્ત આપવું. આ પ્રમાણે તે સર્વ જીવે ત્યાં સુધી યત્નથી તેમનું રક્ષણ કરવું.'' આ પ્રમાણે તે બકરાંની રક્ષાનો ઉપદેશ કરીને સૂરિએ અન્ય સ્થાને વિહાર કર્યો. પછી બળભદ્ર મુનિ ગુરુમહારાજની આજ્ઞાનો સ્વીકાર કરીને કોઈ ગિરિની ગુફામાં રહી અવ્યક્ત વેષે બકરાનાં ટોળાંને ઔષધિ (સૂકું ઘાસ) ચરાવવા લાગ્યા અને તેની લીંડીઓ વડે હોમ કરવા લાગ્યા. ત્યાં અનુક્રમે તેણે ઘણી વિદ્યાઓ સિદ્ધ કરી. એકદા રૈવતગિરિનું તીર્થ બૌદ્ધ લોકોએ દબાવ્યું, અને રાયખેંગાર રાજાને તથા તેની રાણીને તેઓએ પોતાના ઉપાસક બૌદ્ધધર્મી કર્યા; તેથી એવું થયું કે શ્વેતાંબરોનો તે તીર્થમાં પ્રવેશ પણ બંઘ થયો. એકદા ત્યાં શ્વેતાંબરના ચોરાશી સંઘો એકઠા થયા. તેમણે દર્શન કરવા જવાની માગણી કરી, તે વખતે રાજાએ આજ્ઞા કરી કે “બૌદ્ધ ધર્મનો અંગીકાર કરીને પછી દેવને વંદન કરવા જાઓ.’' તે સાંભળીને સર્વ અત્યંત ખેદ પામ્યા. પછી કોઈ કન્યાના દેહમાં અંબાદેવીને ઉતારીને તેને શ્વેતાંબરોએ કહ્યું કે ‘‘હે દેવી! સંઘના વિદ્મનું નિવારણ કરવામાં સહાયભૂત થાઓ.’’ દેવીએ કહ્યું કે ‘બૌદ્ધના વ્યંતરોએ તીર્થ રુંધ્યું છે, તેથી બીજા સહાયકારક વિના એકલી મારી શક્તિ તેની સામે ચાલે તેમ નથી. શાસનનો ઉદ્યોત ક૨વામાં સૂર્ય સમાન અને જીવન પર્યંત તપમાં આસક્ત એવા શ્રી યશોભદ્ર સ્વામી તો સ્વર્ગે ગયા છે; પરંતુ એક બળભદ્ર મુનિ અમુક સ્થાને બિરાજે છે, તે મુનિને જો તમે લાવો તો તે તીર્થ પાછું વળે.'' તે સાંભળીને સંઘપતિઓએ તે મુનિને બોલાવવા માટે એક સાંઢણી મોકલી, તેના પર બેસીને કેટલાક માણસો બળભદ્ર મુનિવાળા વનમાં ગયા. ત્યાં એક માણસ બકરાં ચારતો હતો, તેને તેઓએ પૂછ્યું કે “અહીં બળભદ્ર મુનિ ક્યાં રહે છે?” તે સાંભળીને અજાપાલનો વેષ ધારણ કરનાર તે બળભદ્ર મુનિ જ બોલ્યા કે “અમુક ગુફામાં જાઓ, ત્યાં તે બેઠા છે.’’ એમ કહીને તે માણસો તે સ્થાને પહોંચ્યા પહેલાં બળભદ્ર મુનિ ત્યાં જઈને સાધુવેષે બેઠા. પછી તે ઊંટ પર બેસીને આવેલા શ્રાવકોએ ત્યાં આવીને તેમને સંઘની કહેવરાવેલી વિજ્ઞપ્તિ કહી સંભળાવી. તે સાંભળીને બળભદ્ર મુનિ બોલ્યા કે “તમે ત્યાં જાઓ, હું જલદીથી આવું છું.’’ એમ કહીને તેઓને રજા આપી. પછી પોતે આકાશમાર્ગે સંઘની ભક્તિ કરવા ત્યાં ગયા, અને જીર્ણદુર્ગ (જૂનાગઢ) ના રાજા ખેંગાર પાસે જઈને તેને કહ્યું કે “હે રાજા! સંઘની યાત્રામાં અંતરાય ન કર. આ તીર્થ બૌદ્ધ લોકોનું નથી.'' રાજા બોલ્યો કે ‘બૌદ્ધ ધર્મ અંગીકાર કરે તો જ દેવને વંદન થવાનું છે, તે સિવાય થવાનું નથી.'' તે સાંભળીને મુનિએ રાજાના શરીર ઉપર મંત્રેલા અક્ષત C ૧ આ રાયખેંગાર સિદ્ધરાજ જયસિંહનાં વખતમાં થઈ-ગયા છે તે ન સમજવા. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy