SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ [સ્તંભ ૨૩ પ્રયત્ને તેને અગ્નિ પ્રવેશ કરતાં અટકાવી હતી; પરંતુ પોતાના પાપની નિવૃત્તિ માટે તેણે પોતાનું સતીપણું સત્ય કરી બતાવ્યું. તાપસી પણ તેની સાથેના સ્નેહને લીધે બળી મૂઈ.'' તે સાંભળીને—‘અહો! આ હોલિકા સતીની ભસ્મ મહા પવિત્ર છે, તેનું અંગ પર વિલેપન કર્યાથી જરૂર સર્વ દુઃખનો નાશ થશે.' એમ બોલતા લોકો તેની ચિતાને પગે લાગવા લાગ્યા અને તેની ભસ્મ લઈને માથે ચઢાવવા લાગ્યા. ત્યાર પછી દર વર્ષે ફાલ્ગુન સુદી પૂર્ણિમાની રાત્રિએ તે સ્થાને સર્વ લોકો ઇંધન, છાણા વગેરેનો ઢગલો કરીને હુતાશની સળગાવવા લાગ્યા. એ પ્રમાણે સર્વત્ર હોળીનું પર્વ પ્રખ્યાત થયું. એકદા કામપાળે હોલિકાને કહ્યું કે “ઘન વિના મનોરથ પૂર્ણ થતા નથી; માટે હું દ્રવ્યને માટે પરદેશ જાઉં.’’ તે સાંભળીને હોલિકા બોલી કે “હે સ્વામી! તમારે માટે મેં જાતિ કુળાદિકનો ત્યાગ કર્યો છે, તમારો વિરહ એક ક્ષણ પણ હું સહન કરી શકું તેમ નથી.’’ તે સાંભળીને કામપાળે મોહને લીધે તેનું વચન સત્ય માન્યું, અને જવાનો વિચાર બંધ રાખ્યો; કેમકે ‘લીલાવાળી સ્ત્રીઓના સ્વાભાવિક વિલાસો પણ મૂઢ પુરુષના હૃદયમાં સ્ફુરણાયમાન થયા કરે છે. કમળ ઉપર સ્વાભાવિક રાગ હોવાથી ત્યાં ભ્રમરાઓ વૃથા ભ્રમણ કર્યા કરે છે.’’ .. અન્યદા હોલિકાએ કહ્યું કે ‘“હે પ્રિય! મેં સર્વ વિચાર કર્યો, પણ મારા પિતાના ઘર સિવાય બીજે કોઈ સ્થાને ઘનનો લાભ જણાતો નથી.'' ત્યારે કામપાળ બોલ્યો કે “આપણે મોટું અકાર્ય કરીને નીકળી ગયા, તેથી હવે પાછું ત્યાં શી રીતે જવાય?'' તે બોલી કે “હું એવી દંભ રચના કરીશ કે જેથી પિતા વગેરે સર્વ જનો અનુકૂળ થશે. આપણે નીકળ્યા પછી તે ગામમાં મહાપૂજ્ય અને માન્ય એવું હોલીનું પર્વ લોકોમાં પ્રસર્યું છે, માટે ત્યાં જ જવું યોગ્ય છે.’’ એમ વિચારીને તે બન્ને જયપુર ગામની નજીક આવ્યા. પછી હોલિકાએ કામપાળને કહ્યું કે ‘‘તમે મારા બાપની દુકાને જઈને એમ કહો કે ‘હે શેઠ! મારી સ્ત્રીને માટે એક સારી મૂલ્ય લઈને આપો.’ ' તે સાંભળીને કામપાળ મનોરથ શેઠની દુકાને જઈને તેની પાસેથી મૂલ્ય આપીને એક સાડી લઈ હોલિકા પાસે આવ્યો. તે સાડી જોઈને હોલિકાએ કહ્યું કે “આવી સાડી શું કામની? બીજી સારી લઈ આવો.’' એટલે કામપાળે ફરીથી જઈને બીજી સાડી લાવી બતાવી. તે સાડી પણ હોલિકાએ પાછી મોકલી. ત્યારે મનોરથ શેઠે કહ્યું કે ‘“તમે વારંવાર જાવ-આવ કરો છો તે કરતાં તમારી સ્ત્રીને જ અહીં લાવો, એટલે તેને ગમે તેવી સાડી લઈ લે.'' તે સાંભળીને કામપાળે હોલિકાને જઈને તે શેઠનું વાક્ય કહ્યું; એટલે તરત જ હોળી શેઠની હાટે ગઈ. ત્યાં તે બીજી બીજી સાડીઓ જોવા લાગી. તે વખતે શેઠ અનિમેષ દૃષ્ટિએ તે હોળીની સામું વારંવાર જોવા લાગ્યો, એટલે પ્રથમથી શીખવી રાખ્યા પ્રમાણે કામપાળ બોલ્યો કે “હે શેઠ! તમે સુપાત્ર થઈને પરસ્ત્રીના સામું કેમ જોયા કરો છો?’' શેઠે કહ્યું કે ‘‘હું કામના વિકા૨થી જોતો નથી. પણ મારી પુત્રીના જેવું આનું રૂપ લાવણ્ય જોઈને મને વિચાર થયો કે શું તે જ મારી પુત્રી ફરીથી મનુષ્યરૂપે અહીં આવી છે? કેમકે તે તો અગ્નિમાં પ્રવેશ કરીને સતી થઈ છે.’’ કામપાળ બોલ્યો કે આ સ્ત્રીનું નામ પણ હોળી જ છે, પણ આ તો મારી પત્ની છે. આ પ્રમાણેના ભ્રમથી જ પૂર્વે મેં પણ સૂર્ય ચૈત્યમાં મારી પત્ની ઘારીને તમારી પુત્રીને આલિંગન કર્યું હતું. આજે તમને પણ મારી પત્ની ઉપર પોતાની પુત્રીનો ભ્રમ થયો, For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy