SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૦ વિષે વહુમા” ઇત્યાદિ આઠ પ્રકારના જ્ઞાનાચારની દેશ આશાતનામાં એક આયંબિલ અને સર્વાશાતનામાં એક ઉપવાસ કરવો અને સ્થાનાંગ સૂત્ર અનુસારે જઘન્ય આશાતનામાં પુરિમ, મધ્યમમાં એકાસણું અને ઉત્કૃષ્ટમાં આંબિલ કરવું. આચાર્ય, ઉપાધ્યાય, પુસ્તક, પાટી, કેવળી, ઓળીયા, નવકારવાળી વગેરે દરેકની આશાતનામાં જઘન્યથી એક આંબિલ આવે. નિંદા, અદ્વેષ, મત્સર, ઉપહાસ વગેરે રૂપ દરેક આશાતનામાં એક એક ઉપવાસ આવે. ઈર્યાવહી પ્રતિક્રમ્યા વિના સ્વાધ્યાય વગેરે કરે તો એક પુરિમઢનું પ્રાયશ્ચિત્ત આવે. પોતાના પ્રમાદથી પુસ્તકાદિકનો અગ્નિથી દાહ થયો હોય, અથવા નષ્ટ થયાં હોય તો શક્તિ છતે તે પુસ્તકો ફરીથી નવાં લખાવવાં. અક્ષરોને પણ અડકે તો નીવિ આવે, જ્ઞાન સમીપ છતાં (પાસે હોવા છતાં) આહાર-નિહાર કરવાથી નીવિ આવે, ઘૂંકવડે અક્ષર કાઢે તો પુરિમઠું આવે, જપમાળા (નવકારવાળી) તૂટે અથવા તેને પગનો સ્પર્શ થાય કે ખોવાય તો નીવિ આવે, કાળ વખતે સિદ્ધાંત ભણે ગણે અથવા કોઈને ભણવામાં અંતરાય કરે તો પુરિમઠ્ઠનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે જાણીને જે માણસ જ્ઞાન સંબંધી પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહીં, આલોવે નહીં તે માણસ વરદત્તના જીવ વસુદેવ આચાર્યની જેમ અને પુસ્તક પાટી વગેરેને બાળી નાખનાર ગુણમંજરીના જીવ સુંદરીની જેમ મહાન દુઃખ પામે છે.' હે “નિર્ણાય નિવિય' ઇત્યાદિ આઠ પ્રકારના દર્શનાચારને વિષે દેશશંકામાં આયંબિલનું પ્રાયશ્ચિત્ત આવે, સર્વ શંકા થાય તો ઉપવાસ આવે. (આ પ્રમાણે આઠેમાં સમજી લેવું.) સ્થાનાંગ સૂત્રમાં દર્શનાચારના અતિચાર સંબંધી જઘન્યથી પુરિમઢ, મધ્યમથી એકાસણું અને ઉત્કૃષ્ટથી ઉપવાસ કહેલો છે. પ્રમાદથી દેવગુરુને વંદના ન કરે તો પુરિમઢ, પ્રતિમાની સાથે વાસકુંપી, ધૂપઘાણું વગેરે અથડાઈ જાય, પ્રતિમા પડી જાય, વગર ઘોયેલા વસ્ત્રવડે પૂજા કરે તો પુરિમઢ અને દેવ, ગુરુ, પુસ્તક, સંઘ, ચૈત્ય, તપ, સાધુ, શ્રાવક અને સામાચારીની દેશથી આશાતના કરે તો આંબિલ અને સર્વાશાતનામાં પ્રત્યેકે ઉપવાસ; દેરાસરની અંદર તંબોળ ખાવું, જળ પીવું, ભોજન કરવું ઇત્યાદિ દશ પ્રકારની ચૈત્યની આશાતના દેશથી થાય તો આંબિલ, સર્વથી આશાતના થાય તો ઉપવાસ; સામાન્ય મિથ્યાત્વ ક્રિયા કરે તો પુરિમઠ્ઠ, ઉત્કૃષ્ટથી આયંબિલ; અન્યતીર્થિકના દેવગુરુનું વંદન પૂજન કરે, શ્રાદ્ધ સંવત્સરી કરે, માંડલા માંડે, ઉતાર મૂકે ઇત્યાદિ બાદર મિથ્યાત્વ એક વાર કરવાથી પ્રત્યેકે એક એક ઉપવાસ, વારંવાર તેવી કરણી કરે તો પ્રત્યેક દશ દશ ઉપવાસ; સાધર્મિકની સાથે અપ્રીતિ કરે તો જઘન્યથી એકાસણું, મધ્યમથી આંબિલ અને ઉત્કૃષ્ટથી ઉપવાસ; સ્થાપનાચાર્યની પડિલેહણા ન કરે તો પુરિમદ્ર, પડી જાય તો એકાસણું, ખોવાઈ જાય તો ઉપવાસ; પ્રતિમાની અંગુલી વગેરે પોતાના પ્રમાદથી નષ્ટ થાય તો દશ ઉપવાસ; સૂક્ષ્મપણે દેવદ્રવ્યનો ઉપભોગ થઈ જાય તો જઘન્યથી પુરિમઢ, મધ્યમથી ઉપવાસ અને પ્રમાદથી વારંવાર ભોગમાં લે તો દશ ઉપવાસ, દેવદ્રવ્ય ભક્ષણ કરીને જે મનુષ્ય પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરે નહીં તે સંકાશ શેઠ, સાગર શેઠ વગેરેની જેમ અનેક દુઃખસંતતિને પામે છે. પૃથ્વી પર પડી ગયેલાં પુષ્પ પ્રમાદથી પ્રભુને ચડાવે તો આંબિલનું પ્રાયશ્ચિત્ત આવે. આ પ્રમાણે પ્રાયશ્ચિત્ત લેવાથી થોડા તપવડે શુદ્ધિ થાય છે, અને જો ગુરુ પાસે જઈ પ્રાયશ્ચિત્ત ન લે તો તે માતંગના પુત્રની જેમ ઘણું દુઃખ પામે છે. ૧ આ દ્રષ્ટાંતો પૂર્વે વ્યાખ્યાન ૨૧૫ માં આવી ગયેલાં છે. જુઓ ઉપદેશપ્રાસાદ ભાગ ૪ પૃષ્ઠ ૧૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy