SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [સ્તંભ ૨૩ દોહદ થયો હતો, તે દોહદને પૂર્ણ કરવા કોઈ સમર્થ થયું નહોતું; તેથી તેના પિતાએ ચાણાક્યને કહ્યું, ત્યારે તે બોલ્યો કે “જો તે પુત્રીના ગર્ભમાં રહેલો પુત્ર મને આપવાનું કબૂલ કરો તો હું તેનો દોહદ પૂર્ણ કરું.” તે સાંભળીને “ગર્ભવતી પુત્રી દોહદ પૂર્ણ ન થવાથી મરી ન જાઓ” એમ ઘારી તેઓએ ચાણાક્યનું વચન કબૂલ કર્યું. પછી ચાણકયે એક છિદ્રવાળો વસ્ત્રનો મંડપ કરાવ્યો, તે મંડ૫ની ઉપર છાની રીતે તે છિદ્રને ઘીરે ઘીરે ઢાંકવા માટે એક ગુપ્ત માણસને રાખ્યો ને તે છિદ્રની નીચે મંડપમાં દૂધથી ભરેલો એક થાળ મૂક્યો. કાર્તિકી પૂર્ણિમાની રાત્રે ચંદ્રનું પ્રતિબિંબ તે થાળમાં પડ્યું. તે પ્રતિબિંબ તે ગર્ભિણીને બતાવીને ચાણાક્ય બોલ્યો કે “આ ચંદ્રનું પાન કર.” પછી પ્રસન્ન થયેલી તે સ્ત્રીએ ચંદ્રપાનની બુદ્ધિથી થાળમાંનું દૂઘ પીવાનો આરંભ કર્યો. જેમ જેમ તે સ્ત્રી થાળમાંથી દૂધ પીતી ગઈ, તેમ તેમ મંડપ ઉપર ગુપ્ત રહેલા પુરુષે ઘીરે ઘીરે તે છિદ્ર ઢાંકવા માંડ્યું. એવી રીતે બધું દૂઘ પૂર્ણ થયું ત્યારે તે આખું છિદ્ર ઢાંકી દીધું. એ પ્રમાણે તેનો દોહદ ચાણાક્ય પૂર્ણ કર્યો. પૂર્ણ સમયે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો. તેનું ચંદ્રગુપ્ત એવું નામ પાડ્યું. ચાણાક્ય તો અનેક પ્રયત્નો કરીને દ્રવ્ય ઉપાર્જન કરવા લાગ્યો. અહીં ચંદ્રગુપ્ત કિશોર વયનો થયો, એટલે સમાન વયવાળા બાળકોની સાથે રાજાની જેમ ક્રીડા કરવા લાગ્યો. તેમાં દેશ, પુર, ગોકુળ, હાથી, ઘોડા અને અમાત્ય વગેરેની સ્થાપના કરતો હતો અને તેમાંથી અનેક પ્રકારનું દાન આપતો હતો. તેવામાં ભમતો ભમતો ચાણાક્ય ત્યાં આવ્યો. તે બોલ્યો કે “હે બાળક! મને પણ કાંઈક આપ.” ચંદ્રગુતે કહ્યું કે આ ગાયો લઈ લે.” ચાણાક્ય કહ્યું કે “એ ગાયો લેતાં મને બીક લાગે છે.” ત્યારે ચંદ્રગુપ્ત બોલ્યો કે “બીશ નહીં, આ પૃથ્વી વીર પુરુષને જ ભોગવવા લાયક છે.” તે સાંભળીને હર્ષ પામેલા ચાણાક્ય બીજા બાળક પાસેથી તેનું નામ તથા ગોત્રાદિક જાણીને એ પોતાનો જ બાળક છે, એમ નિશ્ચય કરી તેને કહ્યું કે “હે વત્સ! ચાલ, હું તને સાચું રાજ્ય આપું.” તે સાંભળીને તરત જ તે તેની સાથે જવા તૈયાર થયો, એટલે તેને લઈને ચાણક્ય નાસી ગયો. પછી તેણે સૈન્ય તૈયાર કરીને પ્રથમ પાટલિપુત્રને જ ઘેરો ઘાલ્યો. નંદરાજાએ ક્ષણવારમાં તેના થોડા સૈન્યને જીતી લીધું; એટલે ચાણાક્ય ચંદ્રગુપ્તને લઈને નાસી ગયો. તેની પાછળ નંદરાજાના સવારો દોડ્યા, તેમાંથી એક સવાર દૂરથી ચાણાક્ય અને ચંદ્રગુપ્તના જોવામાં આવ્યો. તેથી ચાણક્ય ચંદ્રગુપ્તને પાસેના સરોવરમાં સંતાડીને પોતે ઘોબીનું કામ કરવા લાગ્યો. તેવામાં તે ઘોડેસવારે પાસે આવીને તેને પૂછ્યું કે “ચંદ્રગુપ્ત અહીંથી જતો હતો, તેને તેં જોયો છે?” તે બોલ્યો કે “તે આ સરોવરમાં પેઠો છે.” તે સાંભળીને તે સવાર માત્ર લંગોટી મારીને તે સરોવરના જળમાં પેઠો; એટલે ચાણાયે તેનું જ ખડ્ઝ લઈને તેનું માથું છેદી નાંખ્યું. પછી તેના ઘોડા ઉપર ચંદ્રગુપ્તને બેસાડીને ચાણાક્ય આગળ ચાલ્યો. ચાલતાં ચાલતાં તેણે ચંદ્રગુપ્તને પૂછ્યું કે “હે વત્સ! જ્યારે મેં તે ઘોડેસવારને સરોવરમાં મોકલ્યો, ત્યારે તેં શું ઘાર્યું હતું?” તે બોલ્યો કે, “જે ઉત્તમ પુરુષો કરે છે તે ઉત્તમ જ હોય છે, એમ મેં ઘાયું હતું.” આ પ્રમાણેના તેના વિનયવાળા વાક્યથી ચાણાક્ય ઘણો ખુશી થયો. થોડે દૂર જતાં ચંદ્રગુપ્તને ક્ષધિત જાણીને ચાણાક્ય ભોજનને માટે જતાં માર્ગમાં કોઈ બ્રાહ્મણને તરતનો જ કરંબો ખાઈને આવતો જોઈ તેનું પેટ ચીરી તેમાંથી તે ભોજન લઈ તે વતી ચંદ્રગુપ્તને જમાડ્યો. ચંદ્રગુપ્ત ભૂખ્યો હોવાથી ભોજનના રસનો વિપર્યય જાણી શક્યો નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy