SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૩ કરવા અને ભાવનયને કાર્યપણે ગ્રહણ કરવા. સાઘનમાં ઉદ્યમરૂપ ક્રિયાનય લેવા અને તેમાં વિશ્રાંતિરૂપ જ્ઞાનનય લેવા. એ પ્રમાણે સર્વ નયમાં આસક્તિ રાખવી. શ્રી અનુયોગ દ્વારમાં કહ્યું છે કે सव्वेसिं पि नयाणं, बहुविह वत्तव्वयं निसामित्ता । तं सव्वनयविसुद्धं, जं चरणगुणठ्ठिओ साहू ॥४॥ ભાવાર્થ-“સર્વ નયની બહુ પ્રકારની વક્તવ્યતા સાંભળીને સર્વ નયથી વિશુદ્ધ એવો જે ચારિત્ર ગુણ તેને વિષે સાઘુ સ્થિત થાય છે.” આ પ્રસંગ ઉપર એક કથા છે તે નીચે પ્રમાણે એક પોપટની કથા કોઈ એક ગચ્છમાં એક તપસ્વી આચાર્ય વૃદ્ધ હોવાથી એક ગામમાં જ રહેતા હતા. તેનો એક શિષ્ય અતિ ચપળ હોવાથી ક્રિયામાં અનાદરવાળો હતો. તેણે એકદા ગુરુને કહ્યું કે “હું યુવાન છું, તેથી મૈથુન વિના રહી શકતો નથી.” તે સાંભળીને ગુરુએ તેને ગચ્છથી બહાર કર્યો. તે સાધુ બાલ્યાવસ્થામાં જ સમગ્ર શાસ્ત્રો ભણ્યો હતો, તેથી લોકોને આધીન કરીને પ્રાણવૃત્તિ કરવા લાગ્યો. અનુક્રમે આયુષ્ય પૂર્ણ થતાં તે આર્તધ્યાન વડે મૃત્યુ પામીને એક વૃક્ષની કોટરમાં પોપટ થયો. ત્યાં એકદા કોઈ સાધુનું દર્શન થતાં તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું, એટલે તેણે પોતાના પૂર્વ ભવનું સર્વ સ્વરૂપ જાણ્યું, અને ધર્મના સર્વ પ્રબંધ પણ સમજ્યો. એક દિવસ તે વનમાં એક ભીલ પક્ષીઓ પકડવા આવ્યો. કેટલાક પક્ષીઓ પકડીને તે આ પોપટને પણ પકડવા આવ્યો. તેનો એક પગ હાથમાં આવ્યો તે ખેંચીને માળામાંથી બહાર કાઢતાં તેનું એક નેત્ર કાણું થયું. પછી તે ભીલ પક્ષીઓને વેચવા માટે ચૌટામાં ગયો. ત્યાં બીજા પક્ષીઓને વેચવા માટે જતાં પેલા પોપટને એક જિનદત્ત નામના શ્રાવકની દુકાને મૂકી ગયો. ત્યાં તે પોપટ મનુષ્ય વાણીથી પોતાનું સર્વ વૃત્તાંત જિનદત્તને કહ્યું. તે સાંભળીને તેને સાઘર્મિક જાણી જિનદત્તે તેને વેચાતો લીઘો અને એક પાંજરામાં રાખ્યો. પછી તે પોપટે જિનદત્તના આખા કુટુંબને શ્રાદ્ધઘર્મી કર્યું, પણ જિનદત્તનો પુત્ર જિનદાસ કોઈ શ્રેષ્ઠીની રૂપવતી કન્યાને જોઈને તેનામાં આસક્ત થયો હતો, તેથી તે ઘર્મ શ્રવણ કરતો નહીં. તેને એકદા પોપટે કહ્યું કે “કેમ તારા ચિત્તમાં શ્રદ્ધા થતી નથી?” ત્યારે તે જિનદાસે પોતાના હૃદયની સાચી વાત કહી સંભળાવી. તે સાંભળી પોપટ બોલ્યો કે “તું સ્વસ્થ થા. તે શ્રેષ્ઠીપુત્રી હું તને પરણાવીશ.” એમ કહીને તે પોપટ ત્યાંથી ઊડીને તે શ્રેષ્ઠીને ઘેર ગયો. એકદા તે શ્રેષ્ઠીની પુત્રી વિવાહની ઇચ્છાથી દુર્ગાદેવીનું પૂજન કરીને વરની પ્રાર્થના કરવા લાગી, ત્યારે તે પોપટ પ્રચ્છન્ન રહીને બોલ્યો કે “જો તારે વરની ઇચ્છા હોય તો તું જિનદત્તના પુત્રને વર.” તે સાંભળીને તે પુત્રીએ હર્ષથી પોતાના પિતાને દેવીનું વાક્ય કહી જિનદત્તના પુત્રને પરણવાની ઇચ્છા જણાવી. તેના પિતાએ તે વાત સ્વીકારીને જિનદાસ સાથે તેનો વિવાહ કર્યો. પછી તે વહુ બીજી વહુઓમાં “હું દેવદત્તા છું' એમ કહી ગર્વ કરતી અને વિરુદ્ધઘર્મી હોવાથી પોપટનો ઉપદેશ પણ સાંભળતી નહીં. ત્યારે પોપટે સર્વ સ્વજનોની સમક્ષ હાસ્ય કરીને ૧. દેવદત્તાત્રેદેવતાએ આપેલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy