SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૪ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૩ વ્રત પૂર્ણ થાય ત્યારે ઉદ્યાપન કરવું. તેમાં અશોક વૃક્ષની નીચે અશોક તથા રોહિણી સહિત શ્રી વાસુપૂજ્ય સ્વામીનું રત્નમય બિંબ ભરાવવું. તે તપના મહિમાથી તું આવતા ભવમાં અશોક રાજાની રોહિણી નામની સ્ત્રી થઈને તે જ ભવમાં સિદ્ધિપદને પામીશ, અને આ તપ કરવાથી તને ઘણું સુખ પ્રાપ્ત થશે. તે ઉપર દ્રષ્ટાંત કહું છું તે સાંભળ સિંહપુરમાં સિંહસેન નામે રાજા હતો. તેને દુર્ગઘ નામનો પુત્ર હતો. તે કુમાર સર્વને અનિષ્ટ હતો, કોઈને ગમતો નહીં. તેથી રાજાએ એકદા શ્રી પદ્મપ્રભુસ્વામીને પૂછ્યું કે “હે ભગવન્! કયા કર્મથી મારા પુત્રને દુર્ગઘીપણું પ્રાપ્ત થયું છે?” પ્રભુ બોલ્યા કે “હે રાજનું! નાગપુરથી બાર યોજના દૂર નીલ નામે એક પર્વત છે. ત્યાં એક શિલા છે. તેની ઉપર કોઈ તપસ્વી સાધુ ધ્યાન કરતા હતા, તેના પ્રભાવથી ત્યાં પારઘીનાં શસ્ત્રો જીવહિંસામાં પ્રવર્તી શકતાં નહીં. તેથી કોઈ એક પારઘીને મુનિ ઉપર ક્રોધ ચડ્યો. પછી જ્યારે મુનિ ભિક્ષાને માટે ગામમાં ગયા, ત્યારે તે શિલાની નીચે તેણે ઘાસ તથા લાકડાં નાંખ્યા અને પોતે ગુપ્ત રીતે સંતાઈ રહ્યો. થોડી વારે મુનિ ભિક્ષા લઈને આવ્યા, અને આહાર કરીને શિલા ઉપર ધ્યાન ઘરીને બેઠા. તે વખતે પેલા પારઘીએ તે શિલા નીચે અગ્નિ મૂક્યો. તેના તાપને સહન કરતા તે મુનિ શુભધ્યાનથી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા. તે પારઘી ઘોર પાપકર્મથી કોઢિયો થયો. ત્યાંથી ઘણા ભવમાં ભ્રમણ કરીને કોઈ શ્રાવકને ઘેર પશુપાળ થયો. ત્યાં તે નવકાર મંત્ર શીખ્યો. એકદા તે અરણ્યમાં પશુ ચારવા ગયો. ત્યાં નિદ્રાવશ થયો, તેટલામાં દાવાનળ લાગવાથી તે બળવા લાગ્યો, એટલે નવકાર મંત્રનું ધ્યાન કર્યું, તેના પ્રભાવથી તે પશુપાળ મરણ પામીને તારો પુત્ર થયો છે. શેષ રહેલા પાપકર્મના દોષથી આ ભવમાં તે દુર્ગઘપણું પામ્યો છે.” તે સાંભળીને કુમારને જાતિસ્મરણ થયું. પછી શ્રી જિનેશ્વરે તેને રોહિણી તપ કરવાનો ઉપદેશ આપ્યો. કુમાર તે તપ કરીને શરીરનું સુગંધપણું પામ્યો. માટે હે દુર્ગધા! તું પણ તે તપનું આચરણ કર.” આ પ્રમાણે સાંભળીને દુર્ગઘાએ વિધિપૂર્વક ઉદ્યાપન સહિત રોહિણી તપ કર્યું. તેના પ્રભાવથી તે જ ભવમાં તે સુગંધીપણું પામીને સ્વર્ગે ગઈ. ત્યાંથી ચ્યવીને તે મઘવા રાજાની પુત્રી રોહિણી નામે થઈ. તે તારી રાણી થઈ છે. હે અશોક રાજા! તે તપના પુણ્યથી જન્મથી આરંભીને તે દુઃખને કે રુદનને જાણતી જ નથી.” આ પ્રમાણે શ્રી વાસુપૂજ્યસ્વામીના શિષ્યના મુખથી સર્વ હકીકત સાંભળીને અશોકરાજાએ ફરીથી પૂછ્યું કે “હે ગુરુ! અમારે બન્નેને પરસ્પર અતિ સ્નેહ થવાનું શું કારણ?” ગુરુ બોલ્યા કે “સિંહસેન રાજાએ સુગંઘકુમારને રાજ્ય સોંપી દીક્ષા ગ્રહણ કરી. પછી સુગંઘ રાજા જૈનઘર્મનું પાલન કરીને મહાવિદેહ ક્ષેત્રમાં પુષ્કલાવતી વિજયમાં પુંડરીકિણી નામની પુરીમાં અર્કકીર્તિ નામે ચક્રવર્તી રાજા થયો. ત્યાં સાધુના સંયોગથી દીક્ષા લઈને અનુક્રમે મૃત્યુ પામી બારમા દેવલોકે દેવ થયો. ત્યાંથી ચ્યવીને તું રોહિણીના મનને આનંદ આપનારો અશોક રાજા થયો છે. તમે બન્નેએ પૂર્વે સમાન તપ કર્યું હતું, તેથી તમારે પરસ્પર અતિશય પ્રેમ છે. વળી હે અશોક રાજા! તારા મોટા સાત પુત્રો ગુણી થયા, તેનું કારણ એ છે કે “મથુરા નગરીમાં અગ્નિશર્મા બ્રાહ્મણને સાત પુત્રો હતા. તે સર્વ દરિદ્રી હતા. એકદા તેઓએ સર્વ અલંકારથી વિભૂષિત અને મહાભાગ્યવાન રાજપુત્રોને ક્રીડા કરતા જોઈને વિચાર્યું કે “આપણે પૂર્વે કાંઈ પણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy