SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૩૩૦] અનુભવ ૧૫૫ તેણે સર્વ સ્વજનોને તથા પોતાની સ્ત્રીને કહ્યું કે “આ દુકાનના વ્યાપારથી મને ઘણો અલ્પ લાભ મળે છે, માટે ઘણો લાભ મેળવવા સારુ મારે પરદેશ વ્યાપાર કરવા જવું છે; તેને માટે અહીં બે સાર્થવાહ છે. તેમાં એક સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપીને ઇચ્છિત નગરમાં લઈ જાય છે અને મેળવેલા ઘનમાં પોતે ભાગ લેતો નથી; અને બીજો સાર્થવાહ એવો છે કે તે પોતાનું ઘન આપતો નથી અને તેની સેવા કરતાં તે પ્રથમનું ઉપાર્જન કરેલું સર્વ ઘન પણ લઈ લે છે, તો તમે સર્વ કહો કે હું કયા સાર્થવાહની સાથે જાઉં?” ત્યારે સર્વ બોલ્યા કે “તમે પહેલા સાર્થવાહની સાથે જાઓ.” તે સાંભળીને તે વણિક સર્વે બંધુઓને લઈને બહાર ઉદ્યાનમાં આવ્યો. ત્યાં બંધુઓએ “સાર્થવાહ ક્યાં છે?” એમ પૂછ્યું, ત્યારે તે બોલ્યો કે “આ વૃક્ષની નીચે બેઠેલા સિદ્ધિપુરીના સાર્થવાહ આ સાધુ છે. તે પોતાના ઘર્મરૂપી ઘનને આપીને હમેશાં વ્યાપાર કરાવે છે, અને તેમાં જે લાભ મળે છે તેમાંથી તે લેશમાત્ર પણ ગ્રહણ કરતા નથી. તેથી આની સાથે ઇશ્કેલી એવી મુક્તિપુરીએ હું જઈશ. બીજો સાર્થવાહ તે સ્ત્રી, સ્વજન વગેરે જાણવા. તે પૂર્વનું ઘર્મરૂપી ઘન લઈ લે છે, અને નવું ઘન બિલકુલ આપતા નથી, માટે તમે જ મને આનંદથી કહ્યું છે કે પહેલા સાર્થવાહ જોડે જાઓ, તેથી હું તમારા સર્વનો સંબંઘ મૂકીને આ મુનિનો જ આશ્રય કરું છું.” इत्युदीर्य स वणिग् मुनिपार्श्वे, बन्धुमोहमपहाय महात्मा । प्राप सानुभवधर्ममुदारं, सौख्यमत्र परत्र च लेभे ॥१॥ ભાવાર્થ-“એમ કહીને તે મહાત્મા વણિક બંદુ વગેરેના મોહનો ત્યાગ કરીને મુનિની પાસેથી અનુભવવાળા ઉદાર ઘર્મને અંગીકાર કરીને આ લોક તથા પરલોકનું સુખ પામ્યો.” ક્રિવિંશતિતમ સંભ સમાપ્ત || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy