SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ श्रेयोऽर्थिनो हि भूयांसो, लोको लोकोत्तरे च न । स्तोका हि रत्नवणिजः, स्तोकाश्च स्वात्मसाधकाः ॥ १॥ ભાવાર્થ—આ દુનિયામાં ઘન, સ્વજન અને શરીરાદિકના સુખની પ્રાર્થના કરનારાઓ–તેને ઇચ્છનારાઓ ઘણા છે; પણ અમૂર્ત આત્માના સ્વભાવને પ્રગટ કરવારૂપ લક્ષણવાળા લોકોત્તર કાર્યમાં પ્રવૃત્તિ કરનારા–તેના અર્થી ઘણા હોતા નથી તે યોગ્ય છે; કેમકે બધા વેપારીઓમાં રત્નના વેપારી થોડા જ હોય છે, તેમજ જીવોમાં આત્માનું સાઘન કરનારા–નિરાવરણપણું ઉત્પન્ન કરનારા પણ થોડા જ હોય છે.’' ૧૪૬ [સ્તંભ ૨૨ सर्वत्राप्यधिगम्यन्ते, पापिनो नेतरे जनाः । भूयांसो वायसाः सन्ति, स्तोका यच्चाषपक्षिणः ॥२॥ ભાવાર્થ-સર્વ સ્થાને પાપી જનો મળી આવે છે, પણ ઇતર એટલે ઘર્મી માણસો મળી આવતા નથી; કેમકે દુનિયામાં કાગડાઓ ઘણા છે, પણ ચાષ (નીલકંઠ) પક્ષીઓ તો થોડા જ છે.'’ આ પ્રસંગ ઉપર એક કથા કહે છે— શ્વેતશ્યામ પ્રાસાદની કથા એકદા શ્રેણિક રાજાની સભામાં શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ, દૂત, દ્વારપાળ, માંડલિક રાજાઓ, યુવરાજ, અમાત્ય, મહામાત્ય અને સેવકો વગેરે સર્વ બેઠા હતા. તે વખતે ધર્મચર્ચા ચાલતાં આ નગરમાં ધર્માં લોકો ઘણા છે કે અધર્મી ઘણા છે?’’ એવો પ્રશ્ન થયો. તે વખતે સર્વ સભાસદોએ કહ્યું કે “પાપી ઘણા છે અને ધર્મિષ્ઠ થોડા છે.” ત્યારે રાજાએ આગ્રહપૂર્વક અભયકુમાર મંત્રીને પૂછ્યું, ત્યારે તે બોલ્યા કે ‘હે સ્વામી! ધર્મિષ્ઠ લોકો ઘણા છે અને પાપી થોડા છે.’’ તે સાંભળીને રાજાએ અતિ આગ્રહથી પૂછ્યું કે ‘“તે શી રીતે?’’ ત્યારે અભયકુમારે કહ્યું કે ‘“હું બતાવી આપીશ.’’ પછી તેણે ગામની બહાર એક શ્વેત અને એક શ્યામ એવાં બે ચૈત્યો કરાવ્યાં, અને ત્રિક, ચત્વર, રાજમાર્ગ અને બીજા મોટા માર્ગ વગેરે આખા નગરમાં પડહ વગડાવ્યો કે આજે સર્વ લોકોએ ગામ બહાર જવું. તેમાં જેઓ ધર્માં હોય તેઓએ શ્વેત પ્રાસાદમાં જવું, અને જેઓ પાપી હોય તેઓએ શ્યામ પ્રાસાદમાં જવું.'' આવી ઉદ્ઘોષણા સાંભળીને સર્વ લોકો પોતપોતાની સંપત્તિ અનુસાર વસ્ત્રાદિક પહેરીને શ્વેત ચૈત્યમાં ગયા. માત્ર કોઈ મામો ભાણેજ બે જ જણ શ્યામ ચૈત્યમાં ગયા. પછી અભયમંત્રીની પ્રેરણાથી સર્વ પરિવાર સહિત શ્રેણિક રાજા ગામ બહાર પેલા ચૈત્ય પાસે આવ્યા. ત્યાં સર્વ લોકોને શ્વેત પ્રાસાદમાં જોઈને રાજાએ પૂછ્યું કે હે પૌરજનો! તમે સર્વે શ્વેત પ્રાસાદમાં કેમ પેઠા છો?’' તે સર્વે બોલ્યા કે “હે મહારાજ! અમે સર્વે પોતપોતાના કુળક્રમથી આવતા ઘર્મનું આચરણ કરનારા હોવાથી ધર્મી છીએ, તેથી આ પ્રાસાદમાં આવ્યા છીએ.’’ તે સાંભળીને ‘અહો! પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, પરસ્ત્રીગમન અને દ્યુત વગેરે સાતે વ્યસનના દોષની ખાણરૂપ આ સર્વ લોકો પોતાને ધર્મવાળા કહે છે. આ પ્રમાણે હોવાથી અભયમંત્રીનું વચન સત્ય થયું.' એમ માનતો રાજા શ્યામ પ્રાસાદમાં ગયો. ત્યાં માત્ર મામા ભાણેજને જોઈને તેમને રાજાએ પૂછ્યું કે “તમે બે આ ચૈત્યમાં કેમ આવ્યા?’' તેઓ બોલ્યા કે ‘‘હે ૧ આ અર્થ ટીકાને અનુસારે કર્યો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy