SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ [તંભ ૨૨ ભાવાર્થ-“જ્વર, ભગંદર, કુષ્ઠ અને ચોથો ક્ષય, એ રોગો સ્પર્શ કરવાથી એક માણસથી બીજા માણસમાં સંક્રમણ કરે છે.” - આ વ્યાધિથી તેનો શૌચઘર્મ નષ્ટ થયો, અને શરીરમાં અતિ વેદના થવા લાગી. એકદા તે કોઈ યતિની પાસે ગયો. ત્યાં યતિએ તેને ઘર્મોપદેશ આપ્યો. કદંબે યતિને પૂછ્યું કે “તમે સ્નાન કરતા નથી, તો તમારી શુદ્ધિ શી રીતે થાય છે?” મુનિએ જવાબ આપ્યો કે “આ શરીર સદા અશુચિ જ છે, તેનું સ્નાન કરવાથી શી રીતે શુચિપણું થાય? માટે મનની શુદ્ધિ જ જોવી જોઈએ; કેમકે રસ, લોહી, માંસ, મેદ, અસ્થિ, મજ્જ, શુક્ર અને વસા, ઇત્યાદિ અશુચિના સ્થાનરૂપ શરીરનું શુચિપણું ક્યાંથી હોય? અહો! નવ દ્વારમાંથી નિરંતર અશુચિ રસને ઝરવાવાળા અને અશુચિથી વ્યાપ્ત એવા આ દેહમાં શૌચનો સંકલ્પ માત્ર કરવો, તે પણ મહામોહનું વિલસિત જ છે.” આ પ્રમાણેનો ઉત્તર સાંભળી કદંબે વિચાર્યું કે “હું તો ફોગટ જ શૌચવાદ કરું છું, ખરેખર તો આ સાઘુઓ જ પવિત્ર છે, કેમકે બ્રહ્મચારી સવા શુરઃ બ્રહ્મચારી નિરંતર પવિત્ર જ છે.” ઇત્યાદિ વિચાર કરીને પછી તેણે ફરીથી ગુરુને પૂછ્યું કે “હે સ્વામી! મને શરીરમાં મહાદુઃસહ પીડા થાય છે, એક ક્ષણમાત્ર પણ શાંતિ થતી નથી, તેનું શું કારણ?” ગુરુ બોલ્યા કે “કર્મની ઘટના ઊંટના પૃષ્ઠ જેવી મહા વિષમ છે. જાતિ, કુળ, દેહ, વિજ્ઞાન, આયુ, બળ, ભોગ અને સંપદા વગેરેની વિષમતા જોઈને આ સંસારમાં વિદ્વાન માણસને પ્રીતિ કેમ થાય? ન જ થાય. વળી રત્નત્રયી પરિણત અને તીવ્ર ક્ષયોપશમવાળા મુનિ અપૂર્વ કરણના બળથી ઉપશમશ્રેણિ પામીને ચારિત્ર પરિણામ પર આરૂઢ થઈ સર્વથા મોહોદય રહિત થાય છે અને તે કેવળીની હદે પહોંચે છે; તો પણ દુષ્ટ કર્મને લીઘે અર્થાત્ સત્તામાં રહેલા મોહનીય કર્મના ઉદયથી અથવા આય કર્મનો અંત થવાથી (આયુષ્ય પૂર્ણ થવાથી) ત્યાંથી પણ ભ્રષ્ટ થાય છે અને ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે. દુષ્ટ મોહનીયના વશથી પ્રાણીને અનંત સંસાર પરિભ્રમણ કરવું પડે છે, તેથી કોઈ પણ પ્રયત્ન ચેતનાને કર્માધીન કરવી નહીં, સ્વાધીન કરવી. વળી કર્મની વિષમતા એવી છે કે કોઈ રંક માણસ શુભ કર્મના ઉદયથી એક ક્ષણમાત્રમાં રાજા થાય છે, અને કોઈ રાજા અશુભ કર્મના ઉદયથી ક્ષણમાત્રમાં રંક થાય છે. પુરાણમાં પણ કહ્યું છે કે ___ यादृशं क्रियते चित्तं, देहिभिर्वर्णनादिषु । तादृशं कविवबूनं, जायते सततं जने ॥१॥ ભાવાર્થ-“સ્તુતિ-નિંદા વગેરેમાં કવિઓની જેમ પ્રાણીઓ જેવું ચિત્ત (ભાવ) કરે છે તેવું લોકમાં નિરંતર પ્રાપ્ત થાય છે.” એકદા બ્રહ્મા વગેરે ઘણા દેવો એકત્ર મળીને પોતપોતાના ઉત્કર્ષનું વર્ણન કરતા હતા, તે વખતે શનિશ્ચર બોલ્યો કે “હું સર્વ દેવાદિકને સુખ દુઃખ આપવા સમર્થ છું.” તે સાંભળી શંકરે કહ્યું કે “તું કેવું સુખ દુઃખ આપે છે તે જોઈશું, મને બતાવજે.” એમ કહીને મહાદેવે સ્વસ્થાને જઈને તે વાત પાર્વતીને કહી. પછી શિવે પોતે પાડાનું રૂપ લીધું, અને પાર્વતીએ ભેંસનું રૂપ કર્યું. પછી નગરની અશુચિમય ખાળમાં જઈને બન્ને જણા રહ્યા. ત્રણ દિવસ રહીને તે બન્ને ત્યાંથી નીકળી ઘેર આવી પોતાના મૂળ સ્વરૂપવાળા થયા. પછી શંભુએ શનિ પાસે જઈને કહ્યું કે “તારી દશા કાલે પૂરી થઈ. તેં તો મને કાંઈ પણ દુઃખ આપ્યું નહીં.” શનિ બોલ્યો કે “તમે ક્યાં રહ્યા હતા?” ત્યારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy