SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૧ [સ્તંભ ૨૧ ભાવાર્થ-“હે વિચક્ષણ સ્ત્રી! આ આશ્ચર્ય છે કે આજે આ કૃત્યને તારા વિયોગથી ચાર પ્રહરવાળી રાત્રિ પણ હજાર પ્રહર જેટલી લાંબી થઈ.” આ ગાથા લખાવીને રાજાએ પોતાની પાસે રાખી. કેટલાક દિવસો ગયા પછી વિનયંઘર તો તે વાત પણ ભૂલી ગયો. પછી રાજાએ તે ગાથા સભામાં બતાવીને કહ્યું કે “આ ગાથા વિનયંઘરે મારા અંતઃપુરમાં મોકલી છે.” આ પ્રમાણે તે શ્રેષ્ઠીની ચાર સ્ત્રીઓને ગ્રહણ કરવા માટે રાજાએ તેના પર ખોટું કલંક મૂકી તેને કારાગૃહમાં નાંખ્યો, અને તેની ચારે સ્ત્રીઓને પકડી લાવીને અંતઃપુરમાં રાખી. ત્યાં તે ચારે સ્ત્રીઓ બે ભવમાં પાળેલા શીલવ્રતના પ્રભાવથી તથા પતિવ્રત લોપ ન કરવાથી અત્યંત કદરૂપી થઈ ગઈ. તે જોઈને રાજાએ ભય પામી શ્રેષ્ઠીને છોડી દીઘો તથા તે સ્ત્રીઓને મુક્ત કરી. તે સ્ત્રીઓનો શીલપ્રભાવ પૃથ્વીપર વિસ્તાર પામ્યો. “તે ચારે સ્ત્રીઓના અંગ ઉપર કદાપિ કુશીલનો લેશ પણ સ્પર્શ થવા પામ્યો નહીં; અને આ લોકના અનેક પ્રકારનાં ભોગસુખો પ્રાપ્ત થયા છતાં પણ તેઓ લપાઈ નહીં, તેથી શુદ્ધ કર્મ કરીને સ્વર્ગસુખને પામી.” વ્યાખ્યાન ૩૧૪ મંત્રીપણાની નિંદા વિષે ध्यायत्यशुभकर्माणि, प्रत्यहं राष्ट्रचिन्तया । अनेकपापपाथोचिं, मंत्रित्वं नाद्रियेत् सुधीः॥१॥ ભાવાર્થ-“નિરંતર દેશના રક્ષણની ચિંતાથી મંત્રીને અશુભ કર્મોનું ધ્યાન કરવું પડે છે, માટે એવા અનેક પ્રકારનાં પાપના સમુદ્ર સમાન પ્રઘાનપદને ડાહ્યા માણસે આદરવું (સ્વીકારવું) નહીં.” આ પ્રસંગ ઉપર શકટાલ મંત્રીની કથા છે તે નીચે પ્રમાણે શકટાલ મંત્રીની કથા પાટલીપુર નગરમાં કોણિકના પુત્ર ઉદાયી રાજાના વંશમાં નંદ નામે રાજા થયો. તેને શકટાલ નામે મંત્રી હતો. તે મંત્રીને લક્ષ્મીવતી નામની પત્નીથી સ્થૂલભદ્ર અને શ્રીયક નામના બે પુત્રો થયા હતા. તે નગરમાં ચાતુર્યલક્ષ્મી અને સ્વરૂપલક્ષ્મીના ભંડાર જેવી કોશા નામની વેશ્યા રહેતી હતી. એકદા તે કોશાને જોઈને સ્થૂલભદ્ર તેના પર મોહિત થઈ તેને ઘેર ગયો અને ત્યાં રહ્યો. વિવિધ પ્રકારના વિલાસ કરતા તે બન્નેને અત્યંત નીવડ પ્રેમ બંઘાયો. અત્યંત અનુરાગી એવા તે બન્નેના શરીર ભિન્ન હતાં પણ તેમનું મન ભિન્ન નહોતું, તેથી નખ અને માંસની જેમ તેઓ એકબીજાના વિયોગને સહન કરી શકતા નહોતા. આવી દ્રઢ પ્રીતિ બંઘાયાથી સ્થૂલભદ્ર પોતાને ઘેર પણ જતો નહીં, રાત્રિદિવસ કોશાને ઘેર જ પડ્યો રહેતો. આ પ્રમાણે તેણે બાર વર્ષ ત્યાં નિર્ગમન કર્યા. અહીં રાજાની સભામાં હમેશાં વરરુચિ નામનો કવિ એકસો ને આઠ નવા શ્લોકો બનાવીને નંદ રાજાની સ્તવના કરતો હતો. તે સાંભળીને પ્રસન્ન થયેલો રાજા શકટાલ મંત્રીની સામું જોતો હતો; પણ તે કવિ મિથ્યાદ્રષ્ટિ હોવાથી મંત્રી તેના શ્લોકોની પ્રશંસા કરતો નહોતો, તેથી રાજા પ્રસન્ન થયા છતાં પણ તેને કાંઈ પણ દાન આપતો નહોતો. આ પ્રમાણે થવાથી “રાજા મંત્રીને આધીન છે' એમ વરરુચિના જાણવામાં આવ્યું. પછી કવિએ મંત્રીને પ્રસન્ન કરવાની તજવીજ કરતાં લોકોના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy