SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૫ સ્તિંભ ૨૧ નિરંતર સેવન કરવું. યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય ત્યાં સુધી સમિતિ ગુણિરૂપ આઠ ચારિત્રાચારનું સેવન કરવું. શુક્લધ્યાન પ્રાપ્ત થાય ત્યાં સુધી તપાચારનું સેવન કરવું અને સર્વ સંવર પ્રાપ્ત થાય ત્યાં સુધી વીર્યાચારનું સેવન કરવું. આ પાંચ આચારનું પાલન કર્યા વિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. માટે જ્ઞાનપૂર્વક ક્રિયામાં તત્પર થયેલો, સમતાએ કરીને શુદ્ધ આત્માવાળો અને જિતેન્દ્રિય પુરુષ ભવસમુદ્રથી પોતે તરી જાય છે, અને પોતાને શરણે આવેલા બીજાઓને પણ ઉપદેશ આપીને તારવા સમર્થ થાય છે. તે આત્મારામી કહેવાય છે. જ્ઞાન ક્રિયાયુક્ત હોય તો જ હિતને માટે થાય છે, એટલું જ્ઞાન કાંઈ પણ હિત કરી શકતું નથી. કહ્યું છે કે क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् । गतिं विनापथज्ञोऽपि, नाप्नोति पुरमीप्सितम् ॥१॥ ભાવાર્થ-“ક્રિયારહિત એવું માત્ર જાણવારૂપ સંવેદન જ્ઞાન કે જે વાણીના વ્યાપારરૂપ અને મનના વિકલ્પરૂપ છે તે અનર્થક છે, વંધ્ય છે, એટલે મુક્તિને સાઘનારું નથી; કેમકે (પુરના) માર્ગને જાણનારો માણસ પણ ગતિરૂપ ક્રિયા કર્યા વિના કદી પણ ઇચ્છિત પુરને પામતો નથી.” તે જ વાતને દ્રઢ કરવા માટે કહે છે स्वानुकूलां क्रियां काले, ज्ञानपूर्णोऽप्यपेक्षते । પ્રપઃ સ્વાવશોજિ, તૈનપૂર્યાવિ યથા રા. ભાવાર્થ-“તત્ત્વબોઘની પ્રાપ્તિરૂપ સ્પર્શશાન કરીને પૂર્ણ છતાં પણ કાર્ય સાધનસમયે સ્વકાર્યને અનુકૂળ એવી ક્રિયાની અપેક્ષા રાખે છે; તે માટે જ મુનિ મહારાજ આવશ્યકાદિ ક્રિયા યથોક્ત કાળે કરે છે. કેમકે દીવો પોતે પ્રકાશમાન છતાં પણ તેલ પૂરવા વગેરેની અપેક્ષા રાખે છે. અર્થાત્ સ્વયંપ્રકાશી છતાં તેલ, વાટ, પવનથી રક્ષણ વગેરેની અપેક્ષા રહે છે. गुणवद् बहुमानाद्यैर्नित्यस्मृत्या च सत्क्रिया । जातं न पातयेद्भावमजातं जनयेदपि ॥१॥ ભાવાર્થ-“સંયમાદિક ગુણવાળાનું બહુમાન કરવા વડે, આદિ શબ્દ કરીને પાપની દુર્ગચ્છા (નિંદા) કરવા વડે અને અતિચારની આલોચનાદિ કરવા વડે, વળી પૂર્વે ગ્રહણ કરેલા વ્રતનું નિરંતર સ્મરણ કરવા વડે થયેલી જે સત્ ક્રિયા, અર્થાત્ તે તે ગુણયુક્ત થતી શુભ ક્રિયા તે ઉત્પન્ન થયેલા ભાવનો નાશ થવા દેતી નથી, અને નહીં ઉત્પન્ન થયેલા શુક્લધ્યાનાદિક ભાવને ઉત્પન્ન કરે છે.” શ્રેણિક રાજાને તથા કૃષ્ણ વાસુદેવ વગેરેને ગુણીના બહુમાનથી, મૃગાવતીને પાપના પશ્ચાત્તાપથી, અતિમુક્ત મુનિને અતિચારની આલોચના કરવાથી અને રતિસુંદરીને ઘર્મમાં સ્થિરતા રાખવાથી-ઇત્યાદિ અનેક કારણોથી અનેક ભવ્યજનોને પરમાનંદપદની પ્રાપ્તિ થઈ છે. અહીં પ્રસંગોચિત રતિસુંદરીની કથા છે તે આ પ્રમાણે - રતિસુંદરીની કથા સાકેતપુરમાં જિતશત્રુ રાજાને રતિસુંદરી નામે પુત્રી હતી. તે જ નગરમાં એક શ્રેષ્ઠીની પુત્રી ઋદ્ધિસુંદરી, મંત્રીની પુત્રી બુદ્ધિસુંદરી અને પુરોહિતની પુત્રી ગુણસુંદરી નામે હતી. એ ચારે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy