SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર-ભાગ ૫ સ્તિંભ ૨૦ પ્રભાવથી ઉનડુલપુરમાં પદ્મા, જયા, વિજયા અને અપરાજિતા એ ચાર દેવીઓ માનદેવસૂરિની સેવા કરવા લાગી. તે જોઈને “આ સૂરિ સ્ત્રીઓથી પરિવરેલા કેમ છે?” એવી કોઈ મુગ્ધને શંકા થઈ, તેને તે દેવીઓએ જ શિક્ષા આપી. પછી તે દેવીઓએ સૂરિને કહ્યું કે, “હે સ્વામી! અમને કાંઈ પણ કાર્ય બતાવો.” સૂરિ બોલ્યા કે, “હું સંઘનો ઉપદ્રવ નિવારણ કરવા માટે તમારા નામોથી ગર્ભિત લઘુશાંતિ સ્તોત્ર રચું છું, તેનું અધિષ્ઠાતાપણું તમારે સ્વીકારવું.” આ પ્રમાણેના ગુરુના વાક્યને તે દેવીઓએ અંગીકાર કર્યું. હવે વ્યતિરેક યુક્તિવડે કહે છે કે, “જે મુનિ રસત્યાગ કરતા નથી તે મંગુસૂરિ વગેરેની જેમ મોટી હાનિને પામે છે.” મંગુસૂરિનું દ્રષ્ટાંત મથુરા નગરીમાં મંગુ નામના આચાર્ય પાંચસો સાધુ સહિત રહેતા હતા. તેના ઉપદેશથી રાગી થયેલા લોકો તેને યુગપ્રધાન તરીકે માનતા હતા, અને બીજા સર્વ કામો પડતાં મૂકીને તથા બીજા સર્વ મુનિઓનો અનાદર કરીને જાણે ભક્તિ વડે વશ થયા હોય તેમ ઘણા લોકો તે સૂરિને જ સેવતા હતા. તે લોકો હંમેશાં સ્નિગ્ધ અને મઘુર આહારાદિકવડે સૂરિની સેવા કરતા હતા. અનુક્રમે કર્મના વશથી સૂરિ રસમાં લોલુપ થયા. તેથી એક સ્થાને જ વાસ અંગીકાર કર્યો. પછી અધિક સુખ મળવાથી (સાતાગારવથી) વિહાર તથા ઉપદેશ આપવામાં પણ આળસુ થયા. ઋદ્ધિગારવના વશપણાથી મિથ્યાભિમાની થયા, અને યથાયોગ્ય વિનયાદિ ક્રિયામાં પણ મંદાદરવાળા થયા; અને રસમાં લોલુપ થવાથી ક્ષેત્ર, કુળ વગેરે સ્થાપન કરીને ગોચરીની ગવેષણા કરવામાં પણ આળસુ થયા. અનુક્રમે તે આચાર્ય મૃત્યુ પામીને તે જ નગરની ખાઈ પાસે આવેલા કોઈ યક્ષના મંદિરમાં તેના અધિષ્ઠાયક વ્યત્તરપણે ઉત્પન્ન થયા. ત્યાં વિર્ભાગજ્ઞાનથી પોતાનો પૂર્વ ભવ જાણીને પશ્ચાત્તાપ કરવા લાગ્યા. પછી હમણાં તો “આમ કરવું જ યોગ્ય છે.” એમ વિચારીને તે મંદિર પાસેથી જતા આવતા સાધુઓને યક્ષ પ્રતિમાના મુખમાંથી મોટી જિલ્લા બહાર કાઢીને દેખાડવા લાગ્યા. એ રીતે હમેશાં કરવાથી એકદા કોઈ સાહસિક સાઘુએ તેને પૂછ્યું કે, “તું કોણ છે? અને આ જિલ્લા બહાર કાઢીને શા માટે બતાવે છે?” તે સાંભળીને તે યક્ષે પ્રત્યક્ષ થઈને ખેદ સહિત પોતાની સર્વ વૃત્તાંત કહી બતાવ્યો કે, “હું ઘર્મરૂપી માર્ગમાં પંગુ (લંગડો) થયેલો તમારો ગુરુ મંગુ નામનો આચાર્ય પ્રમાદથી મૂળોત્તર ગુણોનો ઘાત કરીને મહાવ્રતનો ભંગ કરવાથી આ નગરની ખાઈમાં યક્ષ થયો છું, માટે તમારે રસમાં લોલુપ થવું નહીં. હું જિલ્લાના સ્વાદથી ભ્રષ્ટ થયો છું, તેવું જણાવવાને માટે જિલ્લા બહાર કાઢીને બતાવું છું.” આ સાંભળીને તે સર્વ સાધુઓ રસત્યાગરૂપી તપમાં તત્પર થયા, અને સર્વ લોકોને ઉપદેશ કરવા લાગ્યા કે, “હે ભવ્ય પ્રાણીઓ! પુરુષોને ઇન્દ્રિયજય મહા સંપત્તિનું કારણ થાય છે. કહ્યું છે કે इन्द्रियाण्येवतत्सर्वं, यत्स्वर्गनरकावुभौ । निगृहीतविसृष्टानि, स्वर्गाय नरकाय च ॥१॥ ભાવાર્થ-સ્વર્ગ અને નરક એ બેની જે પ્રાપ્તિ થવી, તે સર્વ ઇન્દ્રિયો વડે જ છે; કેમકે ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાથી સ્વર્ગ મળે છે, અને તેમને છૂટાં મૂકવાથી નરક પ્રાપ્ત થાય છે. ૧. રાણકપુરની પંચતીર્થીમાં નાડોલ આવે છે તે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002174
Book TitleUpdeshprasad Part 5
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy