SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૮ શ્રી ઉપદેશપ્રાસાદ ભાષાંતર–ભાગ ૪ [સ્તંભ ૧૯ શાસનદેવતાએ ક્રોઘથી પાત્રમાં સર્પ વિકર્યો. તે જોઈને સોમિલ ભય પામ્યો, અને ગુરુ પાસે ક્ષમા માગી, ત્યારે ગુરુ બોલ્યા કે “તે કાંઈ મારું કાર્ય નથી.” પછી દેવ બોલ્યો કે “તે સાધુને બોઘ કરવા માટે મેં સર્પ વિક્ર્યો છે, કેમકે સર્વ કાર્યો મુનિએ પ્રમાર્જના પૂર્વક જ કરવાનાં છે.” તે સાંભળીને સોમિલે આદાન નિક્ષેપ સમિતિ ઘારણ કરી. અનુક્રમે તે કેવળજ્ઞાન પામીને મોક્ષે ગયો. હવે પારિષ્ઠાપનિકા સમિતિ નામનો પાંચમો આચાર કહે છે निर्जीवेऽशुषिरे देशे, प्रत्युपेक्ष्य प्रमाय॑ च । જ્યાગો મતમૂત્ર, સોત્સસમિતિઃ સ્મૃતા શા. ભાવાર્થ-નિર્જીવ અને પોલાણ વિનાના પ્રદેશમાં જોઈને તથા પંજીને મલ, મૂત્રાદિકનો ત્યાગ કરવો તે ઉત્સર્ગ સમિતિ (પારિષ્ઠાપનિકા સમિતિ) કહેવાય છે.” | મુનિએ મૂત્ર, પુરીષ, શ્લેષ્મ, ઘૂંક, કર્ણ તથા નેત્રનો મેલ વગેરે, આહાર, જળ, વસ્ત્ર, પાત્ર વગેરે જે કોઈ વસ્તુ પરઠવવા યોગ્ય હોય તે સર્વ વસ્તુ; લીલું ઘાસ, બીજ, અંકુરા, સૂક્ષ્મ કુંથુવા, કીડી, મંકોડી વગેરે ન હોય તેવા અચિત્ત સ્થાનકે યતનાપૂર્વક પરઠવવી. “યતના' એટલે મૂત્ર, જળ વગેરે પ્રવાહી વસ્તુ થોડી થોડી પૃથ પ્રદેશમાં પરઠવવી કે જેથી તેનો રેલો ચાલે નહીં, અને તરત જ સુકાઈ જાય. અશન વગેરેને ચોળીને પરઠવવું કે જેથી કીડી, મંકોડી વગેરે તેમાં પડે નહીં. વસ્ત્રાપાત્રાદિકના અતિ સૂક્ષ્મ કકડા કરવા કે જેથી ગૃહસ્થીના ઉપયોગ રૂપ દોષ ન લાગે. ચંડિલ (સ્થાન) ના ગુણો ઉત્તરાધ્યયનમાં “પાવાવમíો” વગેરે પાઠમાં બતાવ્યા છે તે આ પ્રમાણે–(૧) “અનાપાત' એટલે પોતાને અથવા બીજા કોઈને જ્યાં વારંવાર જવું આવવું નથી એવું જે સ્થાન તે અનાપાત અંડિલ કહેવાય છે. “અસંલોક' એટલે પોતે દૂર છતાં પણ વૃક્ષાદિકના વ્યવઘાનને લીધે જ્યાં પોતાના પક્ષના સાઘુઓ વગેરે પણ જોઈ શકે નહીં તેવું સ્થાન તે અસંલોક કહેવાય છે. અહીં અનાપાત અને અસંલોક એ બન્નેના ચાર ભાંગા કરવા, તેમાં પ્રથમ ભાંગો શુદ્ધ છે, જેમાં બન્નેમાંથી એકે દોષ લાગતા નથી. તેવા સ્થાનકે પરઠવવા જવું. (૨) “અનપઘાતિક એટલે જ્યાં કોઈ તાડનાદિક કરે તો તેથી શાસનનો ઉડ્ડાણ થાય તેવું ન હોય તે સ્થાન અનુપઘાતિક કહેવાય છે. તેમાં ઉપઘાત ત્રણ પ્રકારનો છે. સંયમ(ચારિત્ર)નો, પ્રવચનનો અને પોતાનો. (૩) “સમર્થંડિલ' એટલે જે સ્થાન ઊંચું નીચું ન હોય, સરખું હોય, તે સમÚડિલ કહેવાય છે, ઊંચું નીચું સ્પંડિલ હોય તો ત્યાં મૂત્ર પુરીષ કરતાં વિશીર્ણ થાય, તેથી છ કાયની હિંસા થાય, અને ચારિત્રની વિરાઘના થાય. (૪) “અશુષિર” એટલે તૃણ, પર્ણ વગેરે જ્યાં ન હોય તે અશુષિર સ્થાન કહેવાય છે. શુષિર સ્થાનમાં પરઠવવાથી વીંછી વગેરે હોય તો તે ડસે છે. (૫) “અચિરકાલકૃત એટલે જે સ્થાનો જે ઋતુમાં અગ્નિ વગેરે લગાડવાના કારણથી નિર્જીવ કરેલાં હોય, તે જ તુમાં તે સ્થાનો અચિરકાલકૃત કહેવાય છે. માટે બે માસના પ્રમાણવાળી તે ઋતુમાં તે સ્થાનો શુદ્ધ જાણવાં. ત્યાર પછી બીજી સ્તુમાં તે સ્થાનો મિશ્ર જાણવાં; તેમજ જે સ્થાને એક વર્ષાકાલ સુધી ગૃહસ્થો સહિત ગામ વસેલું હોય તે સ્થાન બાર વર્ષ સુધી અંડિલ માટે શુદ્ધ સ્થાન જાણવું, ત્યાર પછી અશુદ્ધ જાણવું. (૬) વિસ્તીર્ણ એટલે જધન્યથી આયામ તથા વિષ્કમ એક હાથનો હોય, ૧ અનાપાત અસંલોક, અનાપાત સંલોક, આપાત અસંતોક અને આપાત સંલોક એ ચાર ભાંગા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002173
Book TitleUpdeshprasad Part 4
Original Sutra AuthorVijaylakshmisuri
Author
PublisherJain Book Depo Ahmedabad
Publication Year2001
Total Pages320
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy